1.9 કરોડને નોટિસ: 16.5 કરોડ ફોર્મમાં તાર્કિક વિસંગતતાઓ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
- Advertisement -
પશ્ર્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ)ના બીજા તબક્કાના ભાગ રૂપે મંગળવારે (16 ડિસેમ્બર) જાહેર કરાયેલા ડ્રાફ્ટ મતદાર યાદીમાં રાજ્યમાં મતદારોની સંખ્યા ઘટીને 7.1 કરોડ રહી ગઈ છે. 29 ઓક્ટોબર, 2025 સુધીમાં નોંધાયેલા 7.6 કરોડ મતદારોમાંથી, 7.6 ટકા એટલે આશરે 58 લાખ નામ મૃત, સ્થળાંતરિત, ગેરહાજર અથવા એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા હોવાને કારણે યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
ચૂંટણી અધિકારીઓના જણાવ્યાનુસાર, ચકાસણી દરમિયાન 28 લાખ ગણતરી ફોર્મ અગાઉની જઈંછ યાદી સાથે મેળ ખાતા નથી, જ્યારે 16.5 કરોડ ફોર્મમાં તાર્કિક વિસંગતતાઓ જોવા મળી હતી. જેના કારણે, આશરે 1.9 કરોડ મતદારોને નોટિસ જાહેર કરવામાં આવશે. આ મતદારોએ સુનાવણી દરમિયાન તેમની સ્થિતિ સમજાવવી પડશે, નહીંતર તેમના નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ કરવામાં નહીં આવે.
અધિકારીઓએ એક મીડિયાને જણાવ્યું હતું કે, જે વિસંગતતાઓ મળી આવી છે તેમાં એક જ માતા-પિતાના છથી વધુ બાળકોની એન્ટ્રીઓ, પિતાના નામમાં ભૂલો, વાલી તરફથી અસામાન્ય ઉંમરનો તફાવત અને 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમણે પહેલાં ક્યારેય નોંધણી કરાવી ન હતી. જઈંછના બીજા તબક્કા માટેના નિયમોમાં ફેરફારને કારણે, દસ્તાવેજો સબમિટ કરવાનું હવે ફરજિયાત રહ્યું નથી, જેના કારણે મોટી સંખ્યામાં અપૂર્ણ અથવા ખોટી વિગતો જોવા મળી છે.
જિલ્લા સ્તરે નામ રદ કરવાના દરમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો. કોલકાતા ઉત્તરમાં 25.9 ટકા મતદારોના નામ દૂર કરવામાં આવ્યા, જ્યારે કોલકાતા દક્ષિણમાં 23.8 ટકા, જ્યારે પૂર્વ મેદિનીપુરમાં સૌથી ઓછો દર 3.3 ટકા હતો. પશ્ર્ચિમ બર્દવાનમાં 13.1 ટકા મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા.
બાંગ્લાદેશની સરહદે આવેલા મોટાભાગના જિલ્લાઓમાં રાજ્યના સરેરાશ કરતા કાઢી નાખવાનો દર ઓછો હતો, જોકે આ જિલ્લાઓમાં ‘પિતાના નામમાં અસંગતતા’નો દર વધુ હતો. માલદા, ઉત્તર દિનાજપુર અને મુર્શિદાબાદમાં 12 થી 16 ટકાની વચ્ચે દર નોંધાયો હતો.



