પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે લાઠીચાર્જ કરી ટીયર ગેસના સેલ છોડ્યા: પાંચ પોલીસ કર્મચારીઓને ઇજા : 84 સામે નામજોગ ફરિયાદ : 58ની ધરપકડ
હત્યાનો પ્રયાસ, રાયોટિંગ, જાહેર મિલ્કતને નુકસાન, ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો
ખાસ-ખબર ન્યૂઝ વિછિયા
- Advertisement -
વિંછીયામાં થોરીયાળી ગામના ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની હત્યાની ઘટનામાં પકડાયેલા આરોપીઓના રિક્ધસ્ટ્રકશન બાદ આરોપીનું સરઘસ નહીં કાઢવામાં આવતા વિંછીયા પોલીસ સ્ટેશન સામે હજારો લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા ભારેલા અગ્નિ જેવી સ્ફોટક સ્થિતિ સર્જાતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો છતાં લોકોના ટોળા નહી વિખેરાતા પોલીસને ટીયરગેસના 12 સેલ છોડવાની ફરજ પડી હતી જિલ્લાના તમામ તાલુકાઓની પોલીસની ટીમના ધાડેધાડા વિંછીયા ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા. વિંછીયામાં કર્ફ્યું જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે 84 આરોપી સામે નામ જોગ ફરિયાદ દાખલ કરી છે.ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની 8 શખ્સો દ્વારા હત્યા નીપજાવવામાં આવી હતી જે ઘટનામાં વિંછીયા પોલીસ દ્વારા કુલ 8 આરોપીઓ પૈકી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આ હત્યાનો મુખ્ય આરોપી શેખા ગભરૂભાઈ સાંબડ, ભગવાન ઉર્ફે ભગો કાનાભાઈ કણોતરા , નવઘણ ઉર્ફે રામ ઉર્ફે રામો ભુરાભાઈ મોરી, બીજલ સોમાભાઈ આલ, રણછોડ ઉર્ફે અશોક મોતીભાઈ આલ અને વાઘા દેવશીભાઈ ખટાણાની વિંછીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય બે ફરાર આરોપીઓ દેવરાજ પોલાભાઈ સાંબડ અને કનુ ધીરૂભાઈ કરપડા નામના બન્ને શખ્સો હજુ ફરાર હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. આ હત્યાની ઘટનામાં લોકો દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી અને આશરે 3000 લોકોના ટોળા વિંછીયા પોલીસ સ્ટેશન સામે એકઠા થઈ ગયા હતા.
જો કે વિંછીયા પોલીસ દ્વારા આરોપીઓનું માત્ર રિક્ધસ્ટ્રકશન જ કરવામાં આવતા લોકોના ટોળા દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવતા ભારેલા અગ્નિ જેવી સ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી અને ટોળાને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. છતાં મામલો શાંત ન પડતા પોલીસ દ્વારા 12 જેટલા ટીયરગેસ સેલ છોડવામાં આવ્યા હતા પોલીસ પર પથ્થરમારો કરનારા 58 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં રાજકોટ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતેથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો વિંછીયા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો. આ પથ્થરમારાની ઘટનામાં 5 જેટલા પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા ત્રણને જીવલેણ ઇજા થઇ છે. ગઇકાલે બપોરે વિંછીયા તાલુકાના અલગ-અલગ ગામના હજારો લોકો આરોપીઓનું સરઘસ જોવા માટે પોલીસ સ્ટેશન સામે ઉમટી પડ્યા હતા. જો કે પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં નહી આવતા લોકો રોષે ભરાયા હતા વિંછીયાના કોળી સમાજના આગેવાન મુકેશ રાજપરાની આગેવાની હેઠળ પોલીસ સ્ટેશન સામે રોડ પર ચક્કાજામ કરવામાં આવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જેના પગલે લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
વિંછિયા પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો
(1) મુકેશભાઈ મનસુખભાઈ રાજપરા, (2) નવનીતભાઈ લાલજીભાઈ સોલંકી, (3) અજયભાઈ લાલજીભાઈ રાજપરા, (4) દેવરાજભાઈ રવજીભાઈ સાસકીયા, (5) રાહુલભાઈ અનુભાઈ સૈયદ, (6) કુલદીપભાઈ ભરતભાઈ સાસકીયા, (7) મોહનભાઈ રવજીભાઈ સાસકીયા, (8) લખમણભાઈ વાલાભાઈ ખટાણા, (9) હરેશભાઈ ભાણજીભાઈ તાવીયા, (10) ગોપાલભાઈ રમેશભાઈ કાગડીયા, (11) નિતેસભાઈ સામતભાઈ ઓળકીયા, (12) વિક્રમભાઈ માવજીભાઈ કાગડીયા, (13) હર્ષદભાઈ માવજીભાઈ કાગડીયા, (14) વિજયભાઈ રવજીભાઈ તાવીયા (15) વલ્લભભાઈ સોમાભાઈ કુકડીયા (16) ભૌતીકભાઈ પ્રકાશભાઈ નાખણીયા (17) ગોપાલભાઈ ચોથાભાઈ વાલાણી (18) વિશાલભાઈ લાખાભાઈ ખાવડુ (19) રાજુભાઈ જેઠાભાઈ ખાવડુ (20) કલ્પેશભાઈ જયંતીભાઈ બારૈયા (21) સુરેશભાઈ લાખાભાઈ ખાવડુ (22) હીતેશભાઈ શાંતીભાઈ હરણીયા (23) અશોકભાઈ કરતુરભાઈ ઓળકીયા (24) વિજયભાઈ ખોડાભાઈ જાદવ (25) મેહુલભાઈ ભવાનભાઈ જાદવ (26) હર્ષદભાઈ ચતુરભાઈ તલસાણીયા (27) જતીનભાઈ ભરતભાઈ ગોહીલ (28) વિજયભાઈ રાઘવભાઈ ગોહીલ (29) દિપકભાઈ ભરતભાઈ કીહલા (30) કલ્પેશભાઈ ગોરધનભાઈ ખીહડીયા (31) કલ્પેશભાઈ મનસુખભાઈ ઓળકીયા (32) શામજીભાઈ ભોળાભાઈ તાવીયા (33) વિશાલભાઈ પ્રવીણભાઈ વાલાણી (34) મહેશભાઈ વાલજીભાઈ પરમાર (35) મેઘજીભાઈ અમરશીભાઈ મીઠાપરા (36) સાગરભાઈ ધીરૂભાઈ ઝાપડીયા (37) લીંબાભાઈ જેરામભાઈ સોલંકી (38) માવજીભાઈ ઉકાભાઈ માંડાણી (39) અજયભાઈ જયંતીભાઈ શીયાળ (40) રસીકભાઈ ધીરૂભાઈ ઘોટીયા (41) કિશાનભાઈ બાબુભાઈ રાજપરા (42) પ્રવીણભાઈ દાનાભાઈ વાલાણી (43) જયરાજભાઈ નીલેશભાઈ લામ્બા (44) મુકેશભાઈ વિનુભાઈ મકવાણા (45) વિશાલભાઈ વિનોદભાઈ પરાલીયા (46) જયદીપભાઈ રાજુભાઈ ડાભી (47) કીશોરભાઈ ઉર્ફે કીસુ લધરાભાઈ ઘોડકીયા (48) હેમુભાઈ જેસિંગભાઈ હતવાણી (49) સુખદેવભાઈ ગેમાભાઈ સોલંકી (50) સંજયભાઈ બોધાભાઈ રંગપરા (51) અનીલભાઈ કેતનભાઈ ડાભી (52) પ્રકાશભાઈ ભુપતભાઈ મસીયાવા (53) દીપકભાઈ માવજીભાઈ ડાભી (54) હરેશભાઈ રાજુભાઈ જાડા (55) વીશાલ ઉર્ફે બિર્ચુ લધરાભાઈ ધોળકીયા (56) કાળુભાઈ રણછોડભાઈ કુમણખાણીયા (57) વિશાલભાઈ વિનુભાઈ બાવળીયા (58) જેન્તીભાઈ પરસોતમભાઈ સરવૈયા (59) શશીકાન્તભાઈ દેવદાનભાઈ ગોરાસવા (60) અજમભાઈ ભરતભાઈ રાઈરાણી (61) રસિકભાઈ સોમાભાઈ રોજાસરા (62) જેન્તીભાઈ પાટીયાળી ગામના સરપંચ (63) વિપુલભાઈ કાળાભાઈ ડેરવાળીયા (64) વિજય નાજાભાઈ રાજપરા (65) મુન્નો જાંપડીયા રહે. રેવાણીયા (66) સંજય ભોળાભાઈ તલસાણીયા (67) સંજય ઉર્ફે ગોગો બુધાભાઈ કાગડીયા (68) રમેશ છગનભાઈ જાંબુકીયા (69) કિશન વાલાણી (70) રાજુ કેશુભાઈ ઓળકીયા (71) વિશાલ સુરેશભાઈ રોજાસરા (72) ઉમેશભાઈ બેરાણી (73) માધાભાઈ મેઘાણી (74) રમેશ ગોવિંદભાઈ તલાવડીયા (75) રમેશ દેવાભાઈ બાવળીયા (76) વિશાલ ઝાંપડીયા (77) હિતેશ ચતુરભાઈ વ્યાસ (78) જયદીપભાઈ સાકરીયા (79) વૈભવ સુરેશભાઈ સાકરીયા (80) અમરતભાઈ કાળુભાઈ સાકરીયા (81) નિલેશભાઈ રામભાઈ રાઠોડ (82) રમેશભાઈ વલકુભાઈ રાઠોડ (83) મુકેશ દેવજી તાવિયા (84) એ.જે. નામનો વ્યકિત (85) અજાણ્યું અજાણ્યા પુરૂષો તથા મહીલાઓ તપાસમાં ખુલે તેની સામે ગુનો દાખલ થયો છે.
- Advertisement -
વિંછીયામાં જછઙની એક ટુકડી, ત્રણ DySP, પાંચ PI 10 PSIનો લોખંડી બંદોબસ્ત
વિંછીયામાં ગઈકાલે સાંજે 3000 લોકોના ટોળાએ તોફાન મચાવ્યું હતું. જોકે હાલ સ્થિતિ કંટ્રોલમાં હોવાનો પોલીસનો દાવો કરી રહી છે. હાલ એસઆરપીની એક ટુકડી, ત્રણ ડીવાયએસપી, પાંચ પીઆઇ, 10 પીએસઆઈનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.



