ભગવા ધ્વજ અને રંગનું સનાતન માહાત્મય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્વયંસેવકો કોઈ વ્યકિતને બદલે ભગવા ધ્વજને જ પોતાના માર્ગદર્શક અને ગુરૂ માને છે. જયારે સંઘના સ્થાપક ડો. હેડગેવારજીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી ત્યારે અનેક સ્વયંસેવકો ઈચ્છતા હતા કે સંસ્થાપક ના નાતે તેઓ જ આ સંગઠનના ગુરૂ બને. આ આગ્રહ છતા ડો. હેડગેવારજીએ હિન્દુ સંસ્કૃતિ જ્ઞાન, ત્યાગ અને સંન્યાસનાં પ્રતિક ભગવા ધ્વજને જ ગુરૂના રૂપમાં પ્રતિષ્ઠીત કરવાનો નિર્ણય કર્યો. હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે વ્યાસ પૂર્ણિમામાં ગુરુપૂર્ણિમાના દિવસે સંઘસ્થાને એકત્રીત થઈ સૌ સ્વયંસેવકો ભગવા ધ્વજનું વિધિવત પૂજન કરે છે અને ગુરુદક્ષિણા કરે છે. તેના મુખ્ય બે ઉદ્દેશ છે પ્રથમ પ્રાચીન ભારતની એ ગુરુ શિષ્ય પરંપરાને આગળ વધારવી જેમાં શિક્ષણ પૂર્ણ થયા બાદ તમામ શિષ્ય આદર અને કૃતજ્ઞતા ભાવથી પોતાના ગુરુને યથાશક્તિ દક્ષિણા આપતા હતા આમાં ધન કરતા કૃતજ્ઞતાનું મહત્વ વધારે હોય છે ગુરુપૂજન કાર્યક્રમ 99 વર્ષથી ઉજવવામાં આવે છે.
ગુરુદક્ષિણા કાર્યક્રમની અવધરણ સંઘના પ્રારંભિક કાળમાં જ થઈ હતી. તેના મુખ્ય બે ઉદેશો હતા પ્રથમ સંગઠનના વિસ્તાર માટે સંગઠનની અંદરથી જ ધન વ્યવસ્થા કરવી. અને બીજું એવું સ્થાપિત કરવું કે સંઘમાં ભગવો ધ્વજ સર્વોચ્ચ ગુરુ છે સમયાંતરે ગુરુદક્ષિણા કાર્યક્રમ જે સ્વયંસેવકોસંઘ શાખામાં નિયમિતપણે આવી શકતા નથી તેમને વર્ષમાં એક વાર સંઘ સાથે જોડવાનું સશક્ત માધ્યમ બની ગયો. સમયની સાથે અનેક સ્વયંસેવકો જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં સંઘના પ્રમુખ સંગઠનોમાં કામ કરતા કરતા દેશભરમાં ફેલાઈ ગયા ત્યારે એવા સ્વયંસેવકો માટે સંઘ કાર્યાલય કે પછી અન્ય સભાગારમાં અલગથી ગુરુદક્ષિણા કાર્યક્રમનું આયોજન થવા લાગ્યો. પ્રશાસન પત્રકારિતા, ચિકિત્સા વગેરે જેવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનો ગુરુદક્ષિણા માટે સુવિધા અનુસાર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થાય છે. સંઘ દર વર્ષે 6 ઉત્સવનું આયોજન કરે છે. સંઘની સ્થાપના 19રપ ના દિવસે થઈ. ત્રણ વર્ષ બાદ સંઘે 19ર8માં પ્રથમ વખત ગુરૂપૂજનનુ આયોજન કર્યું હતુ. ત્યારથી માંડી આજદિન સુધી આ પરંપરા અબાધ રીતે ચાલતી આવી છે અને ભગવો ધ્વજ સંઘમાં સર્વોચ્ચ સ્થાને બિરાજે છે.
હિન્દુ સમાજની આકાંક્ષાનું પ્રતીક છે ભગવો
ભગવો ધ્વજ એ હિન્દુ સમાજની આકાંક્ષા ની પ્રતીક છે તે ઉર્જા પણ છે જે એ આકાક્ષાઓને સાકાર કરવા માટે સમાજને પ્રેરિત કરી શકે છે એ ઉર્જા ભલે પ્રગટ ન થાય પરંતુ તેને આપણે સંગઠનનું સમાજના ભાગરૂપે જરૂરથી જોઈ શકીએ છીએ. ભગવાન ધ્વજને ગુરુના રૂપમાં પ્રસ્થાપિત કરવા માટે સંઘનું દર્શન એ જ છે કે કોઈ વ્યક્તિને ગુરુ બનાવીએ તો તે વ્યક્તિમાં કોઈને કોઈ કમજોરી તો હોય જ છે કે પછી સમયાંતરે તેના સદગુણોનો ક્ષય પણ થઈ શકે છે પરંતુ ધ્વજ સ્થાયીરૂપથી શ્રેષ્ઠ પ્રેરણા આપતો રહી શકે છે