ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે. જેના ઉપક્રમે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડે ગીર સોમનાથનાં ધ્રામણવા અને પીપળવાના ગ્રામજનો સાથે વિવિધ યોજનાકીય બાબતો અંગે સંવાદ સાધ્યો હતો અને વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. ગીર સોમનાથમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. ધ્રામણવા ઉપરાંત પીપળવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોએ હર્ષોલ્લાસપૂર્વક આવકાર આપ્યો હતો.કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડના હસ્તે આ બન્ને ગામમાં વિવિધ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી વિવિધ 17 પ્રકારની યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
ગિર સોમનાથ કેન્દ્રીય રાજ્યમંત્રી ભાગવત કરાડની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
