રાજકોટ ઝનાના હૉસ્પિટલમાં બાળકના મોતનો મામલો
બાળકને માસ્કમાં આપવાનું ઇન્જેક્શન પગની નસમાં આપ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની જનાના હોસ્પિટલમાં શ્રમિક પરિવારના સાડા 5 મહિનાના માસૂમ બાળકના મોત મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જનાના હોસ્પિટલની નર્સ એકતા રાઠોડ અને નર્સિંગનો અભ્યાસ કરનાર પીન્ટુ ફાંગલીયા વિરુદ્ધ ઇગજની કલમ 106(1) મુજબ પોલીસ ફરીયાદ નોંધાઇ છે. પીન્ટુ ફાંગલીયા દ્વારા બાળકને નેબ્યુલાઇઝર મારફત માસ્કમાં આપવાનું ઇન્જેક્શન પગની નસમાં આપ્યું હતું અને તેના કારણે ઇન્જેક્શન આપતા મૂળ બિહારના વતની રાજ કુશવાહ નામના માસૂમ બાળકનું 6 જુલાઈ, 2024ના રોજ મોત નીપજ્યું હતું.
રાજની માતાના જણાવ્યા મુજબ ગઇ તા.04.06.2024ના રોજ મારા દીકરા રાજને જનાના હોસ્પિટલ રાજકોટ ખાતે લઇ ગયા અને ત્યાં સારવાર માટે દાખલ કરેલ તે દરમયાન આ મારા દીકરાને દરરોજ ત્રણ ટાઇમ ડોકટર મોઢે ચડાવેલા માસ્કમાં નાસ લેવા માટેનું ઇન્જેકશન આપતા હતા અને ગઇ તા.04.07.2024ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામા મારા દીકરા પાસે હું હાજર હોય ત્યારે કોઇ ત્રણ ડોકટર આવેલા અને તેમાથી એકના હાથમા દરરોજ મારા દીકરાને નાસ માટે માસ્કમા ઇન્જેકશન આપતા હોય તે ઇન્જેકશન હતું. તે ડોક્ટરે મારા દીકરાના મોઢામાં માસ્ક હોય તેમાં ઇન્જકેશન આપવાના બદલે તેને મારા દીકરાના ડાબા પગની નસમા ઇન્જકેશન આપી દીધુ અને થોડીવારમાં મારા દીકરાની તબિયત બગડવા લાગતા મારા દીકરાને પી.આઈ.સી.યુ.માં દાખલ કરેલ ચાલુ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.