વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભાને સંબોધિત કરતાં મહાકુંભની સફળતાના વખાણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં પ્રયાગરાજ મહાકુંભ પર ભાષણ આપી રહ્યા છે. પીએમ મોદીએ પ્રયાગરાજ મહાકુંભના આયોજનમાં યોગદાન આપનારા તમામ કર્મયોગીઓ અને પ્રયાગરાજના રહેવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
સ્થાનિક નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ મહાકુંભના આયોજન પર સંસદમાં ભાષણ આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મા ગંગાને પૃથ્વી પર લાવવાના કઠોર પ્રયાસોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મહાકુંભના આયોજન માટે પણ કઠોર પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમણે પ્રયાગરાજના રહેવાસીઓ અને આ કાર્યક્રમમાં યોગદાન આપનારા તમામ કર્મયોગીઓનો આભાર માન્યો.
સમગ્ર વિશ્વ ભારતીય ચેતનાનું સાક્ષી બન્યું
- Advertisement -
પ્રધાનમંત્રીએ કહ્યું કે, મહાકુંભના રૂપમાં, સમગ્ર વિશ્વએ ભારતના ભવ્ય સ્વરૂપનું સાક્ષી બન્યું. મહાકુંભનો મહાન પ્રયાસ સફળ રહ્યો. મહાકુંભમાં રાષ્ટ્રીય ચેતના જોવા મળી અને મહાકુંભનો ઉત્સાહ અને ઉલ્લાસ અનુભવાયો. દેશની સામૂહિક ચેતનાનું પરિણામ મહાકુંભ દરમિયાન જોવા મળ્યું. યુવા પેઢી પણ મહાકુંભ સાથે સંપૂર્ણ ભાવનાથી જોડાઈ. મહાકુંભ પર પ્રશ્નો ઉઠાવનારાઓને તેમના જવાબ મળી ગયા છે. દેશના દરેક ખૂણામાં આધ્યાત્મિક ચેતનાનો ઉદય થયો છે. મોરેશિયસની પોતાની મુલાકાતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ત્રિવેણીનું પવિત્ર જળ ત્યાં ગંગા તળાવમાં રેડવામાં આવ્યું હતું.
વેલમાં આવીને વિપક્ષનો હોબાળો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ વિપક્ષના સભ્યો વેલમાં આવી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને પોતાની બેઠકો પર જવા માટે વારંવાર અપીલ કરી અને કહ્યું કે જો તમે તમારી બેઠકો પર બેસો તો હું તમને 1 વાગ્યા સુધી બોલવાની તક આપીશ. મંત્રી (અશ્વિની વૈષ્ણવ) એક વાગ્યે જવાબ આપશે. વિપક્ષી સભ્યોએ વેલમાં હંગામો ચાલુ રાખ્યો. આ પછી સ્પીકરે ગૃહને 1 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી.
યુવા પેઢી જોડાઈ, દેશ હજારો વર્ષ માટે સજ્જ
આગળ પીએમ મોદીએ કહ્યું કે, દેશની સામૂહિક જાગૃત્તિ-ચેતનાનું પરિણામ મહાકુંભમાં જોવા મળ્યું છે. યુવા પેઢી સંપૂર્ણ ભાવ સાથે મહાકુંભમાં જોડાઈ. મહાકુંભ પર સવાલો ઉઠાવનારાઓને જવાબ મળ્યા, તેમજ દેશભરમાં આધ્યાત્મિક ચેતના ઉભરી છે. ગતવર્ષે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને આ વર્ષે મહાકુંભનું સફળ આયોજન દેશને આગામી હજાર વર્ષ માટે સજ્જ હોવાનો સંકેત આપે છે.
નદી ઉત્સવને વેગ
PM મોદીએ મહાકુંભના સફળ આયોજનના કારણે નદીઓના સંરક્ષણ અને સાંસ્કૃતિક મૂલ્યોને રજૂ કરતાં નદી ઉત્સવને વેગ મળ્યો હોવાનું જણાવ્યું છે. ગતવર્ષે નદી ઉત્સવ નવી દિલ્હી ખાતે 19થી 21 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજાયો હતો. આ ઉત્સવની શરૂઆત 2018માં થઈ હતી.
PM ના સંબોધન બાદ લોકસભામાં હોબાળો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વક્તવ્ય બાદ લોકસભામાં વિપક્ષે હોબાળો શરૂ કર્યો હતો. જો કે, આ હોબાળા વચ્ચે પણ સદનની કાર્યવાહી ચાલુ રહી હતી. PM મોદીના સંબોધન પહેલાં રાજ્યસભામાં વિપક્ષ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મનરેગાનો મુદ્દો ઉઠાવતાં લઘુત્તમ વેતન વધારવાની માગ કરી હતી.