આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતના મામલામાં સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે, EWS કોટા પર સામાન્ય વર્ગનો જ અધિકાર છે.
આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતના મામલામાં સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે, EWS કોટા પર સામાન્ય વર્ગનો જ અધિકાર છે, કારણ કે એસસી-એસટી લોકો પહેલાથી જ અનામતના ઢગલાબંધ ફાયદા ઉઠાવી રહ્યા છે.
- Advertisement -
મુખ્ય ન્યાયાધીશ યૂયૂ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલાની સંવિધાન પીઠ સમક્ષ અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે મંગળવારે કહ્યું હતું કે, પછાત જાતિઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પહેલાથી અનામતના ફાયદા લઈ રહ્યા છે. સામાન્ય વર્ગના ગરીબ લોકોને આ કાયદા અંતર્ગત લાભ મળશે, જે ક્રાંતિકારી સાબિત થશે.
વેણુગોપાલે કહ્યુ કે, આ કાયદો આર્ટિકલ 15 (6) અને 16 (6) મુજબ જ છે. આ પછાત અને વંચિતોને એડમિશન અને નોકરીમાં અનામત આપે છે અને 50 ટકાની મર્યાદાને પાર કરતો નથી. તેમણે કહ્યું કે, સંવિધાનમાં એસસી અને એસટી માટે અનામત અલગથી અપાયેલુ છે. તે મુજબ, સંસદમાં, પંચાયતમાં અને સ્થાનિક નિગમોમાં તથા પ્રમોશનમાં પણ તેમને અનામત આપવામાં આવે છે. જો તેમના પછાતપણાને ધ્યાનમાં રાખીને દરેક પ્રકારનો ફાયદો તેમને આપવામા આવે તો, EWS કોટા મેળવવા માટે તે તમામ ફાયદો છોડવા માટે તૈયાર થશે.
આપને જણાવી દઈએ કે, જાન્યુઆરી 2019માં 103મું સંવિધાન સંશોધન અંતર્ગત EWS કોટા લાગૂ કર્યો હતો. હવે આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. પાંચ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી રહી છે. અરજીમાં કહેવાયુ છે કે, એસસી, એસટી અને ઓબીસીમાં ગરીબ લોકો છે, તો તેમને આ અનામત ફક્ત સામાન્ય વર્ગના લોકોને શા માટે આપવામા આવે છે. તેનાથી 50 ટકાના અનામતના નિયમનું ઉલ્લંઘન થાય છે. પહેલાથી જ ઓબીસીને 27 ટકા, એસટીને 15 ટકા અને એસસી માટે 7.5 ટકા કોટા નક્કી કરેલા છે. ત્યારે આવા સમયે 10 ટકા EWS કોટા 50 ટકા નિયમ વિરુદ્ધ છે.