આજથી ગુનો નહીં આચરો તેવી પ્રતિજ્ઞા લો, જો ગુનો કર્યો તો છોડશું નહીં : ગોંડલમાં SPની ચેતવણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દિવાળી પૂર્વે ગુનેગારોની ઓળખ પરેડ દરમિયાન તેઓને સુધરી જવા માટે ચેતવણી આપવામાં આવી હતી. જેમાં બે કે તેનાથી વધુ ગુના આચરેલા 800 શખસ છે જેમાંથી અગાઉ 400 બાદ આજે 250 શખસની ઓળખ પરેડ હતી. જેમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જો કાયદાનું ઉલ્લંઘન કર્યુ તો રાજકોટ બહાર તડીપાર થવાનો સમય આવશે તેવો કડક આદેશ અપાયો હતો.
ગોંડલમાં 250 જેટલા શખસને એકત્ર કરી ઓળખ પરેડ કરવામાં આવી હતી. તેમાં ગ્રામ્ય જઙ વિજયસિંહ ગુર્જર દ્વારા ગુનેગારોને સુધરી જવા માટે ચેતવણી આપવામાં આવી હતી. જેમાં કહ્યું કે આજે પ્રતિજ્ઞા લો કે આજ પછી કોઈ ગુના કરવામાં આવશે નહીં અને જો થશે તો પછી પોલીસ તેને છોડશે નહીં. જો કોઈ ગુનેગાર સુધારવા માગતું હોય તો પોલીસ તેની સાથે છે.રાજકોટ ગ્રામ્ય જઙ વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતુ કે, દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે આ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે અને લોકો શાંતિપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પોલીસ એલર્ટ બની છે.
- Advertisement -
આ દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા 250 જેટલા ગુનેગારોની ઓળખ પરેડ કરવા માટે તેમને એકત્ર કરાયા હતા અને આ દરમિયાન તેઓને સુધરી જવા માટેની ચેતવણી આપવામાં આવી હતી. આ સાથે જ કાયદામાં રહેશો તો ફયદામાં રહેશો તેવો કડક સંદેશો પણ આપવામાં આવ્યો હતો. અગાઉ 400 ગુનેગારોની બેઠક કરવામાં આવી હતી અને ત્યારબાદ એક માસમાં આ પ્રકારના શખ્સોનું અટકાયતી પગલાંમાં પણ નામ આવ્યું નથી. ત્યારે ગૃહમંત્રી અને ઉૠની સુચના અનુસાર આજે 250 જેટલા ગુનેગારોને એકત્ર કરાયા હતા અને તેઓને ગુનો ન આચરવાની શરતે સુધરવાની તક આપવામાં આવી હતી.દિવાળી પર્વને લઇને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા 250 શખસને એકત્ર કરી ઓળખ પરેડ કરવામાં આવી હતી.



