ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જે નવી જંત્રી અમલમાં મૂકવામાં આવી રહી છે તે જંત્રી ખૂબ જ વધારે હોવાથી અનેક જગ્યાએ હોય આ જંત્રીનો વિરોધ શરૂ થયો છે ત્યારે માણાવદરમાં પણ આ જંત્રી નો વિરોધ ઉઠ્યો છે ત્યારે આજે માણાવદરના વેપારીઓ અને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માણાવદર તથા બાંટવા તથા આજુબાજુના તમામ ગ્રામ્ય વિસ્તાર ની ખેતીની જમીન તથા ઔઘોગીક હેતુની જમીનના સરકારની જંત્રીના દરમાં અસહય અને જુલ્મી વધારો થતો હોય અને તે અન્વયે તમામ ખેડુતો તથા વેપારીઓને પારાવાર તકલીફ તથા મુશ્કેલી થાય તેમ છે. હાલમા ખેતી ની જમીનના ભાવ માણાવદર શહેર મા પ્રતી ચો.મી. 180 થી લઈ પ્રતી ચો.મી. 200 સુધીના હતા અને ઔઘોગીક હેતુની જંત્રી પ્રતી ચો.મી. 300થી લઈ પ્રતી ચો.મી. 500 સુધીના દર હતા. જે તા 18.04.2011ની જંત્રી મુજબ હતા. તે બાદ તા. 15.04.2023 થી ઉપરોકત દર ડબલ કરવાનો એટલે કે ખેતીના ભાવો પ્રતી ચો.મી. 360 થી લઈ પ્રતી ચો.મી. 400 સુધી અને ઔધોગીક હેતુની જંત્રી પ્રતી ચો.મી. 600થી લઈ પ્રતી ચો.મી. 1000 તે મુજબનો હુકમ સરકાર દ્રારા કરવામા આવેલ તે જંત્રી પણ અસહય અને જુલ્મી છે. તેમ છતા માણાવદર તાલુકા ની સમગ્ર જનતા તે જુલ્મ ભોગવી રહી છે. અને તે બાદ હાલ મા ઉપરોક્ત ભાવ મા ખેતી ના ભાવો પ્રતી ચો.મી. 1820 થી 5000 સુધી અને ઔઘોગીક હેતુની જંત્રી ચો.મી. 3500 થી 5000 સુધી કરવા અંગે નો મુસદો તૈયાર થાય છે. આમ ઔઘોગીક હેતુ માટેની જંત્રી મુજબ એક વિઘાના 70 થી 80 લાખ થાય છે. અને ખેતી હેતુ માટે ની જંત્રી મુજબ એક વિઘા ના 30 થી 50 લાખ થાય છે.
- Advertisement -
આમ ઉપરોકત અસહય અને જુલ્મી વધારો કરવામા આવે તો સમગ્ર માણાવદર શહેર તથા બાંટવા શહેર તથા સમગ્ર ગ્રામ્ય વિસ્તારનો વિકાસ સમગ્ર રીતે રુંધાઈ જાય તેવી સ્થીતી અસ્તીત્વમા આવે તેમ છે. અને જો ઉપર મુજબનો વધારો થાય તો કોઈપણ મીલ્કતના સોદા થવા શક્ય નથી.
ઉલ્લેખનીય છે કે ભુતકાળમા માણાવદર શહેરમા પ્રભાત સોલવન્ટ તથા દિપક સોલવન્ટ તથા એન.જી.એક્સર્પોટના નામે વેજીટેબલ પ્લાન્ટની મીલો ચાલતી હતી. અને તે મીલો હાલ બંઘ થઈ ગયેલ છે. અને તે બાદ બીજા અન્ય કપાસના પણ ઘણા કારખાનોઓ બંધ થઈ ગયેલ છે. ત્યાથી માણાવદર વિસ્તાર ની વેપાર ધંધાની પરીસ્થીતી ખુબ જ કફોડી થઈ ગયેલ છે. અને જો જંત્રી વધારો કરવામા આવે તો ભવીષ્યમાં નવી કોઈ મીલો જંત્રી ના કારણે માણાવદર શહેર મા સ્થાપીત થશે નહી અને દિવસેને દિવસે માણાવદર શહેર ની હાલત ખુબ જ કફોડી બને તેવી સ્થીતી સર્જાય તેમ છે ત્યારે આ બાબતે યોગ્ય નિર્ણય લેવા મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રીને લેખીત રજૂઆત કરી છે.