જમ્મુ-કાશ્મીરના ડોડામાં પણ મકાનોમાં તિરાડો જોવા મળી છે. ડોડા વિસ્તારમાં આવેલા 19 મકાનો, એક મસ્જિદ અને મદરેસામાં તિરાડો પડી ગઈ છે. હાલ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં પણ જોશીમઠ જેવું સંકટ સામે આવ્યું છે. જિલ્લાના એક ગામની જમીન ધસી રહી છે, જેના કારણે ઈમારતોમાં તિરાડો જોવા મળી રહી છે. તંત્ર દ્વારા હાલ ડોડા વિસ્તારમાં રહેતા અસરગ્રસ્ત પરિવારને સ્થળાંતર કરવામાં આવી રહ્યાં છે લોકોને તેમના ઘરોથી સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 19 મકાનો, 1 મસ્જિદ અને 1 મદરેસાને ખાલી કરાવવામાં આવ્યા છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઘટનાના કારણની તપાસ કરવા પહોંચી ગઈ છે.
- Advertisement -
નઈ બસ્તી ગામના ઘરોમાં તિરાડ
ડોડા શહેરથી 35 કિલોમીટર દૂર કિશ્તવાડ-બટોટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા નઈ બસ્તી ગામમાં ઘરોની દિવાલોમાં તિરાડો પડી રહી છે. ડોડાના DM અતહર અમીન જરગરના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ડોડા જિલ્લાના નઈ બસ્તી ગામના ઘરોમાં તિરાડ પડ્યાની ઘટના બની છે. આ તિરાડ કેવી રીતે પડી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 19 ઘરોમાં તિરાડો જોવા મળી છે.
19 પરિવારોને ખસેડાયા સુરક્ષિત સ્થળે
અધિકારીઓએ જણાવ્યું કે, તિરાડ પડ્યા બાદ અત્યાર સુધીમાં 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ગામના એક મદરેસા અને એક મસ્જિદને પણ અસુરક્ષિત જાહેર કરવામાં આવી છે. બે મહિના પહેલા ગામના કેટલાક મકાનોમાં તિરાડો પડવા લાગી હતી, પરંતુ ગુરુવારના ભૂસ્ખલનથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી.
J&K | Cracks were reported in a house in December in Doda district. Till yesterday, 6 buildings had cracks, but now these cracks have started to increase. This area is gradually sinking. The government is trying to find a solution as soon as possible: Athar Amin Zargar, DM Doda pic.twitter.com/ZmADASy4o6
- Advertisement -
— ANI (@ANI) February 3, 2023
તંત્રએ શક્ય તમામ મદદની આપી ખાતરી
માહિતી મળ્યા પછી ડેપ્યુટી કમિશનર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકે ગામની મુલાકાત લીધી અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ઘણા પરિવારોને હાલ કેમ્પમાં સ્થાળાંતર કરવામાં આવ્યા છે, જ્યારે ઘણાં તેમના સગા-સબંધીના ઘરે પહોંચી ગયા હતા.
એક તપાસ ટીમની રચના કરવામાં
આ ઘટનાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે અને એક ટીમની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજમાર્ગના ભૂસ્તરશાસ્ત્રીયને પણ આ ઘટનાની તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તપાસ અહેવાલ બાદ જ આગામી યોજનાને ઘડવામાં આવશે.