ઇમરાન ખાન આર્મી વચ્ચે સોદાબાજી થઈ રહી છે
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્ર્કેલીઓ ઘટવાનું નામ નથી લેતી. કોઈ એક કેસમાં જામીન મળે છે તો બીજા કેસમાં જેલમાં મોકલવામાં આવે છે. સત્તાભ્રષ્ટ થયા પછી તેઓ આગામી ચૂંટણી લડવા તૈયાર થયા હતા તેઓની રેલીઓમાં જનતા પણ ઉમટતી હતી આથી સ્પષ્ટ થતું હતું કે, જનતા તેમની સાથે છે પરંતુ શહબાઝ સરકારે તેઓની ઉપર એટલા બધા કેસ કર્યા છે કે તેમાંથી તેઓ બહાર નીકળી શકે તેમ જ નથી.
પાકિસ્તાનના મીડીયા રિપોર્ટસને માનીએ તો તેઓ ટૂંક સમયમાં રાજકારણ અને દેશ બંને છોડી દેવાના છે. પાકિસ્તાનમાં મીડિયા જણાવે છે કે, ઇમરાનખાન અને આર્મી વચ્ચે સોદાબાજી ચાલી રહી છે, જે પ્રમાણે તેઓને જેલમાંથી મુક્ત કરવામાં આવશે પરંતુ સાથે શરત તે છે કે તેઓએ દેશ અને રાજકારણ બંને છોડી દેવા પડશે. મીડીયા રિપોર્ટસ જણાવે છે કે, થોડા દિવસો પહેલા ઇમરાનખાનનાં બંને બહેનો અને પત્ની બુશરા અટક જેલમાં તેમને મળવા ગયાં હતાં. તે દરમિયાન તેઓએ તેમને એક પત્ર આપ્યો જે પત્ર બ્રિટન સ્થિત તેમના એક વગદાર મિત્રનો હતો.
પાકિસ્તાનના ત્રણ મોટાં મીડીયા હાઉસ ’જીયો ન્યૂઝ’, ’ધી ન્યૂઝ ઇન્ટરનેશનલ’ અને પ્રસિદ્ધ ઉર્દૂ અખબાર ’ધ ડેઇલી’માં દ્વારા ઇમરાન દેશ છોડવા તૈયાર થયો છે તેમ જણાવવામાં આવ્યું છે તે સાથે તેઓ રાજકારણને પણ અલવિદા કહેશે. તેઓની સમક્ષ આ બંને બાબતો છોડવાનો વિકલ્પ રજૂ કરાયો છે. ઇમરાનખાનને તોશાખાના કેસમાં 3 વર્ષની સજા કરાઈ છે તે સાથે પાંચ વર્ષ સુધી તેને ચૂંટણી લડવા માટે ’ડિસ્ક્વોલીફાઇડ’ કરાયા છે. તેઓને સજા થશે જ તેમ તેઓ પોતે પણ જાણે છે. તે સંયોગોમાં જો તેઓ સેના અને સરકાર સાથે સોદાબાજી ન કરે તો બાકીની જીંદગી જેલમાં જ ગાળવી પડે. આ કારણસર તેઓ સરકાર અને સેના સાથે સોદો કરશે જ.