AMTS દ્વારા શહેરીજનો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 પછી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને બસ ટિકિટમાં 85 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે, જેના કારણે વિદ્યાર્થીનીઓની અભ્યાસકીય યાત્રા વધુ સસ્તી અને સુગમ બની રહેશે.
અમદાવાદ શહેરમાં રહેતા વિધવા બહેનોને બસ ટિકિટમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ફક્ત નિર્ધારિત કાર્ડ ફી લઈને લાભ મળશે. ત્યારે ધોરણ 10 પછી અભ્યાસ કરતા અનાથ વિદ્યાર્થીઓ માટે બસમાં સંપૂર્ણ મુસાફરી ફ્રીમાં રહેશે, જો કે તેના માટે નક્કી કરેલી કાર્ડ ફી લઈને આ લાભ આપવામાં આવશે. આ તમામ નિર્ણય આગામી 1 જૂનથી અમલી બનશે.
- Advertisement -
વોટ્સએપ સર્વિસ શરૂ કરાઈ હતી
આ પહેલા એપ્રિલ મહિનામાં એક નવી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત AMTSની બસો અંગે મુસાફરો રોજે રોજ કોઈના કોઈ મુદ્દે ફરિયાદો કરતાં હોય છે. ડ્રાઈવર અને કંડક્ટરની દાદાગીરી હોય કે બસ દ્વારા કરાયેલો અકસ્માત હોય, બસના ટાઈમિંગ અંગેની ફરિયાદો હોય આવી અનેક ફરિયાદો AMTSના તંત્રને મળતી હોય છે. ત્યારે હવે મુસાફરો દ્વારા કરવામાં આવતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ નહીં આવવાથી તંત્ર પ્રત્યેનો વિશ્વાસ ઘટવા લાગ્યો હતો. જેથી તંત્ર દ્વારા હવે ફરિયાદ કરવા માટે વોટ્સએપ સર્વિસ શરૂ કરી છે. અમદાવાદમાં AMTS બોર્ડ દ્વારા એક વોટ્સએપ સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેમાં ફોટો કે વીડિયો વોટ્સએપ દ્વારા મોકલીને ફરિયાદ કરી શકશે.
ફોટો કે વીડિયો વોટ્સએપ દ્વારા મોકલીને ફરિયાદ કરી શકશે
બે નંબરો જાહેર કરવામાં આવ્યાં છે. આ નંબરો પર મુસાફરો ફરિયાદ કરી શકશે. AMTSને લગતી કોઈ પણ ફરિયાદ હોય તેનો ફોટો કે વીડિયો વોટ્સએપ દ્વારા મોકલીને ફરિયાદ કરી શકશે. અગાઉ કોઈપણ વ્યક્તિને ફરિયાદ હોય તો પહેલા કંટ્રોલમાં કોલ કરવો પડતો અને બાદમાં બીજા દિવસે જે તે બસમાં રૂટનો સમય હોય એ ટાઇમ પર સ્થળ પર જઈ તપાસ કરવી પડતી હતી. પરંતુ હવે વોટ્સ એપમાં કોઈ ફોટો કે વીડિયો મોકલશે તો ત્વરિત તેને લઈને કાર્યવાહી કરવામાં આવશે. સેન્ટ્રલ સ્ટેશનથી નજીકનો ડેપો કે ટર્મિનસ હશે ત્યાં જાણ કરી ટીમ સ્થળ પર મોકલી તપાસ કરવામાં આવશે.