ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના ગાંધીચોક વિસ્તારમાં અવેધ દબાણો દૂર કરાયા હતા જેમાં 10 જેટલી કેબિનો હટાવામાં આવી હતી જેમાં શહેરમાં ટ્રાફિક અડચણ રૂપ થયેલ દબાણોને હટાવવા ની કામગીરી મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ કામગીરી એકજ દિવસ કરવામાં આવશે કે તેનો કાયમી ઉકેલ આવશે તેવા સવાલો ઉભા થયા છે સ્થાનિક લોકોના મતે નાના કેબીન ધારકોનું દબાણ દેખાય છે પણ વોકળા પર થયેલ મસ મોટા દબાણો ક્યારે દૂર થશે તે પણ લોકોના મુખે ચર્ચાય રહ્યું છે.