મોટો સવાલ : તંત્ર દંડનીય કાર્યવાહી ક્યારે કરશે ?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાનું ગેરકાયદે સરકારની સંખ્યા ખાણો આજે પણ ધમધમી રહી છે. તેવામાં ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે કોલસાની ખાણો પર દરોડો કરવા છતાં પણ હજારો ખાણોમાં ગેરકાયદેસર ખનન યથાવત સ્થિતિમાં જોવા મળતું હોય છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી કોલસાના સામે નિષ્ક્રિયતા દર્શાવતું ખનીજ વિભાગ ફરી એક વખત સક્રિય થયું હતું અને થાનગઢ પંથકના ભાડુલા વિસ્તારમાં ચાલતી કોલસાની ગેરકાયદે ચાલતી ખાણો પર દરોડો કર્યો હતો. દરોડામાં ખનીજ વિભાગે મોડી રાત સુધી કાર્યવાહી પણ હાથ ધરી હતી. જે પ્રશંસનીય છે. જેમાં જમીનમાંથી કાઢેલો કોલસો સહિત મુદ્દામાલ સીઝ કર્યો હતો. પરંતુ જે વિસ્તારમાં ખનીજ વિભાગે દડો કર્યો તે વિસ્તારની આસપાસ હજુ કોલસાની ખાણોમાં ખાનન યથાવત હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે. એટલે કે જે ગેરકાયદેસર ખાણ પર ખનીજ વિભાગ દરોડો કર્યો તેના નજીક અન્ય કોલસાની ખાણો પણ આવેલી છે અને દરોડા છતાં આ વિસ્તારની અન્ય ખાણોમાં ખનન શરૂ હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
દંડનીય કાર્યવાહી ક્યારે?
સુરેન્દ્રનગર થાનગઢ ખાતે ભાડુલા વિસ્તારમાં આજ સુધી ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી નબળી સાબિત થઇ છે. થોડા સમય પહેલા ખાનગી જમીનમાંથી થયેલ કોલસાના કુવાઓ ખાણ ખનીજ વિભાગ દ્વારા પકડેલ હતા. પરંતુ આજદિન સુધી કોઈ દંડની કાર્યવાહી થઈ નથી તેવું જાણવા મળેલ છે. તો તંત્ર આ બાબતે ક્યારે પગલાં ભરશે ?તંત્ર આ બાબતે ગંભીરતાથી કાર્યવાહી તો કરી પરંતુ જો કોઈ પણ પ્રકારનો દંડ કરશો જ નહીં તો આવી ગેરપ્રવૃત્તિ કઈ રીતે અટકશે ?