ખાસ-ખબર ન્યૂઝ કોલકાતા, તા.19
કોલકાતાના ગાર્ડન રીચ વિસ્તારમાં ચાલી રહેલુ ગેરકાયદે બાંધકામ ધરાશાયી થતાં નવ લોકોના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. આ પછી આ મુદ્દે રાજકીય ચર્ચા શરૂ થઈ અને વિપક્ષે તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર ભ્રષ્ટ્રાચારનો આરોપ લગાવ્યો. બિલ્ડિંગ ધરાશાયી થયાના લગભગ 18 કલાક પછી પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકાના પગલે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
- Advertisement -
પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા, સુભેન્દુ અધિકારીએ આક્ષેપ કર્યેા હતો કે ગાર્ડન રીચના ગીચ વસ્તીવાળા અઝહર મુલ્લા લેન વિસ્તારમાં એક જળાશયને ભરીને તેના પર બનાવવામાં આવી રહેલી પાંચ માળની ઇમારત નજીકની ઝૂંપડપટ્ટી પર તૂટી પડી હતી. તેમણે એવો પણ દાવો કર્યેા હતો કે આ વિસ્તારમાં ઓછામાં ઓછી 800 આવી અનધિકૃત ઈમારતો છે.
સેન્ટ્રલ પબ્લિક વકર્સ ડિપાર્ટમેન્ટ જેવી સંસ્થા દ્રારા રાયના શહેરી વિસ્તારોમાં બાંધકામોનું કોર્ટ દ્રારા દેખરેખ હેઠળના ઓડિટની માંગ કરતાં અધિકારીએ જણાવ્યું હતું કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પેારેશન તેના 141 વોર્ડમાં અધિકૃત અને અનધિકૃત બાંધકામોનું એક મહિનાની અંદર ઓડિટ કરશે. તેમણે જાહેરાત કરી કે હત્પં આવા બાંધકામોની વિગતો મેળવવા અને વિગતો જાહેર પ્લેટફોર્મ પર લાવવા માટે કોલકાતા મ્યુનિસિપલ કોર્પેારેશન સેક્રેટરી પાસે આરટીઆઈ પણ ફાઇલ કરીશ. બિલ્ડિંગના પ્રમોટર મોહમ્મદ વસીમની ધરપકડ કરવામાં આવી હતી. બંગાળના ગવર્નર સીવી આનદં બોઝે પણ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિક લોકો, બચાવ કાર્યકરો અને ત્યાં તૈનાત પોલીસ કર્મચારીઓ સાથે વાત કરી હતી. બાદમાં તેઓ હોસ્પિટલ ગયા અને ઘાયલોને મળ્યા. બોસે પત્રકારોને જણાવ્યું હતું કે નિર્દેાષ લોકો કોઈપણ ભૂલ વિના મૃત્યુ પામે છે.
દરમિયાન, મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ શહેરમાં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સ્થાનિક રહેવાસીઓને ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ઘાયલોને 1-1 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી.