ઉદ્યોગપતિની જન્મદિને અનોખી પહેલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ પ્રત્યે અનેરો લગાવ ધરાવનાર જાણીતા ઉદ્યોગપતિ અરૂણ કુમાર જેન્તીલાલ મુછાળા કે જેવો કેળવણીકારની સાથે ઉદ્યોગપતિ પણ છે. તેમનો જન્મ દિવસ જેઠવદ 11 યોગીની એકાદશીના રોજ આવે તે ભારતીય સંસ્કૃતિ અને કેલેન્ડર મુજબ ઉજવે છે તેઓએ કહ્યુ હતુ કે, અંગ્રેજી કલ્ચરને અનુસરને બદલે સમાજને ઉપયોગી ઉમદા કાર્યો કરી બર્થ-ડે ઉજવ્યો હતો.
તેમના બર્થ-ડેના દિવસે 11 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. જેમાં પાંચ આંબા, 3 ચંદન અને 3 રૂદ્વાક્ષના વૃક્ષો વાવ્યા હતા અને તેઓએ કહ્યુ હતુ કે, મને બર્થ-ડે વીસ કરવી હોય તો એક વૃક્ષ વોવો એટલે મને મારી બર્થ-ડે વીસ તેમજ ગિફટ મળી ગઇ ? ખરેખર આ એક સમાજ ઉપયોગી ઉમદા કાર્યો કરીને આજના ગ્લોબલ વોર્મીંગનો પ્રશ્ર્ન હલ થઇ શકે તેમ છે. ત્યારે પોતાના બર્થ-ડેના દિવસે અનોખા સંદેશ સાથે અન્ય લોકોને પ્રેરણા આપી હતી.