By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે ગેમ-ચેન્જર હારી ગયા: મંત્રીએ સ્વીકાર્યું કે પાકિસ્તાન CPECથી લાભ મેળવવામાં નિષ્ફળ ગયું
    1 day ago
    કિવ પર રશિયાના હુમલામાં ઓછામાં ઓછા 4 માર્યા ગયા, 27 ઘાયલ
    1 day ago
    જાપાન PM સાને ટાકાઇચીની સવારે 3 વાગ્યે બેઠક બોલાવી
    2 days ago
    લોરેનશ બિશ્નોઈના ખાસ એવા જોરા સિદ્ધુની હત્યાનો દાવો,રોહિત ગોદરાએ લીધી જવાબદારી
    2 days ago
    યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ રુબિયોએ દિલ્હી બ્લાસ્ટને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાનના શાકભાજી વિક્રેતા અમિત સેહરાને 11 કરોડની લોટરી લાગી
    1 day ago
    ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
    1 day ago
    જમ્મુ કાશ્મીરમાં ઘટેલી ઘટના અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સ્પષ્ટતા
    1 day ago
    ઝારખંડ: રાંચી હટિયા ડેમમાં ત્રણ પોલીસકર્મીઓના મોત, એક લાપતા
    1 day ago
    આવતા વર્ષે પશ્ચિમ બંગાળના લોકો જંગલરાજને પણ નકારી દેશે : પ્રધાનમંત્રી મોદી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    1 day ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    4 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    6 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    1 day ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    1 day ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    1 day ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    2 days ago
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
TALK OF THE TOWNરાજકોટ

જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..

Khaskhabar Editor
Last updated: 2025/04/18 at 5:12 PM
Khaskhabar Editor 7 months ago
Share
11 Min Read
SHARE

‘જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈ બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામે નહીં જાય’

સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તક ‘અક્ષર પુરુષોત્તમ ઉપાસના’માં દેવી-દેવતાઓને નીચા દેખાડી સ્વામિનારાયણને જ સર્વોપરી બતાવવાનો હિન પ્રયાસ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સ્વામિનારાયણ સંપ્રદાયના લાડુડી ટકલા મહારાજોએ સનાતની દેવી-દેવતાઓને નીચા દેખાડવામાં કોઈ જ કસર છોડી નથી. ‘ખાસ-ખબર’ દ્વારા સમયાંતરે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં સનાતની દેવી-દેવતાઓના અપમાન અને તેમના વિરૂદ્ધ ફેલાવાતું ઝેરની શ્રેણી વાચકો સમક્ષ મૂકવામાં આવી છે. આ શ્રેણીના ભાગરૂપે આજે આપણે આ ટીલા ટપકાવાળાઓના વધુ એક પુસ્તક ‘અક્ષર પુરુષોત્તમ ઉપાસના’ની વાત કરશું કે જે પુસ્તક સ્વામિનારાયણ અક્ષરપીઠ-અમદાવાદ દ્વારા પ્રકાશિત કરાયું છે.

1. મહારાજને (સહજાનંદ સ્વામીને) પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં. (પેજ 28) અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે અને તેને જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈ બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિષે નહિ જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકારમૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અતવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. (પેજ 29)
2. આ વાત સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટપણે સમજાવી છે; ‘બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ; વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જુજ્વો નિવાસ. ઇન્દ્ર રાખ્યો અમરાવતી, શેશ્ર્જી રાખ્યા પાતાળ; જ્યાં જ્યાં કરી હરિએ આજ્ઞા, તીય રહ્યા સદાકાળ. બદ્રીતળે રાખ્યા ઋષિશ્ર્વર. નીરન્ન્મુક્ત રાખ્યા શ્ર્વેતધ્વીપમાં; ગોપીગોપ રાખ્યા ગોલોકે, રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં.’

- Advertisement -

શ્રીજી મહારાજ કહે છે, ‘જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે.’ વળી, અક્ષરધામ સિવાયના અન્ય સ્થાનકો નાશવંત છે, જ્યારે અક્ષરધામ તો અવિનાશી છે

અક્ષરધામ સિવાય આ સર્વે લોક માયાની અંદર જ આવેલ છે, તેથી ત્યાં ત્રિવિધ તાપ પણ છે. પરંતુ અક્ષરધામ માયાથી પર હોવાથી ત્યાં ત્રિવિધ તાપ નથી. પરિણામે, ત્યાનું સુખ પણ અતિ અધિક છે.
તે સમજાવતા શ્રીજી મહારાજ કહે છે: ‘પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે ને તે કરતાં રાજાનું સુખ અધિક છે, ને તેથી દેવતાનું સુખ અધિક છે, ને તેથી ઈન્દ્રનું અધિક છે ને તેથી બૃહસ્પતિનું ને તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠલોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે. અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે.’
તેથી તો શ્રીજી મહારાજ કહે છે, ‘જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે.’ વળી, અક્ષરધામ સિવાયના અન્ય સ્થાનકો નાશવંત છે, જ્યારે અક્ષરધામ તો અવિનાશી છે. (પેજ 29, 30)
બીજા ધામો નાશવંત હોવાથી ત્યાં ગયા પછી પણ પાછું પડવાનું છે. પણ અક્ષરધામમાં ગયા પછી પુનરાગમન નથી. બીજા ધામોની અવધિ છે. દાત. ગોલોક, વૈકુંઠ વગેરે અમુક જોજન સુધી વિસ્તરેલાં છે એવું શાસ્ત્રોમાં વર્ણન છે. જ્યારે અક્ષરધામની અવધિ નથી, એ અધો-ઉર્ધ્વ અને પ્રમાણો રહિત છે. બીજા ધામોના વર્ણનમાં માંનીમય મહોલો, રત્નો વગેરે લૌકિક પદાર્થો છે, જ્યારે અક્ષરધામમાં સર્વત્ર અલૌકિક દિવ્ય તેજ છે અને એ તેજના સમુહમાં પુરુષોત્તમ, અક્ષર અને અક્ષર્મુકતો છે. (પેજ 31)
3. શ્રીજી મહારાજે જુના ખરડામાં લખાવ્યું છે: ‘દુસરા અવતાર હૈ સો કાર્ય-કારણ અવતાર હુઆ હૈ, ઔર મેરા યહ અવતાર હૈ સો તો જીવોકું બ્રહ્મરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વાહ મનુષ્ય જેસા બન્યા હૂં.’ એટલે કે પૂર્વ શ્રીકૃષ્ણ પર્યંત સર્વ અવતારો કોઈ કાર્ય નિમિત્તે (અસુરોના સંહાર વગેરે માટે) થયા હતા અને એ કાર્ય પૂરું થતાં જ પૃથ્વી પરથી અંતર્ધાન થઇ ગયા. પણ ભગવાન સ્વામિનારાયણ તો જીવોને બ્રહ્મરૂપ કરવા અને તેમનું આત્યંતિક કલ્યાણ કરવા જ પધાર્યા હતા. (પેજ 33)
4. ‘આ સત્સંગને વિષે જે ભગવાન વિરાજે છે (શ્રીજીમહારાજ) તે જ ભગવાનમાંથી સર્વે અવતાર થયા છે.
તેમને કોઈ પૂછે કે શ્રીજી મહારાજના સર્વોપરી મહિમાની વાતો તો શાસ્ત્રોમાં નથી. તો તેઓ કહેતા કે શાસ્ત્રોમાં આ વાત ક્યાંથી હોય? ‘જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય? તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રોમાં ક્યાંથી લાખની હોય?’ શ્રીજી મહારાજ આ પહેલાં આ લોકમાં પધાર્યા જ નહોતા, તો તેમની વાત શાસ્ત્રમાં મળે જ કેમ? (પેજ 34, 35)
5. પૂર્વના અવતારમાં જેમાં જેટલું ઐશ્ર્વર્ય છે તેમાં તેટલા જીવ તણાય છે. આજ તો સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ છે તે જ પધાર્યા છે. (સહજાનંદ સ્વામી વિષે)
વાદી, ફૂલવાદી ને ગારડી, તેમાં વાદી હોય તે તો ગરીબ સાપ હોય તેને ઝાલે, ને ફૂલવાદી હોય તે તો હાથ આવે તો ઝાલે, નહિ તો લુગડાના છેડાને વળ દઈને મારી નાખે, ને ગારડી હોય તેની આગળ તો ગમે તેવો મણીધર હોય તે પણ ડોલ્યા કરે. …. દત્તાત્રેય, કપિલ તે તો વાળીને ઠેકાણે છે, તે તો મુમુક્ષુ હોય તેનું કલ્યાણ કરે. ને રામચંદ્ર ને શ્રીકૃષ્ણ તે તો ફૂલવાદી ને ઠેકાણે છે. તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો ત્યારે સમાધાન કરીને કલ્યાણ કરે. ને મહારાજ (શ્રીજી મહારાજ) તો ગારડી ને ઠેકાણે છે ને તેમની આગળ તો જીવ, ઈશ્ર્વર, પુરુષ ને અક્ષરાદીક તે સર્વે હાથ જોડીને ઉભા છે. (પેજ 36)
પૂર્વે મોટા મોટા અવતાર થઇ ગયા છે, તે કરતાં તો અ સત્સંગી છોકરા સામું જોઈએ છીએ ત્યાં તો કરોડ કરોડ ગણું અધિક દૈવત જણાય છે; તો મોટા મોટા હરિભક્ત ને મોટા મોટા સાધુ અને મહારાજનો મહિમા તો કહેવાય જ કેમ? (પેજ 36)
નોંધ: અહીંયા કહેવાઈ રહ્યું છે કે સનાતન ધર્મમાં આજ સુધી જે પણ અવતાર થયા છે તેના કરતાં તો સહજાનંદ સ્વામીના આ સંપ્રદાયમાં સત્સંગ કરતાં એક છોકરાનું તેજ કરોડો કરોડો ઘણું વધુ છે, તો બીજા સ્વામીઓ અને મહારાજોનું તેજ વિષે તો શું કહેવું? અહીંથી પેલા વિડીયોમાં ઇઅઙજ ના પેલા ગુણાતીતાનંદ સ્વામી કેમ તેમના શિષ્યને ડાકોરમાં એવું કહેતા હતા કે ‘તમને ખબર નથી આપણે કોણ છીએ, અને આપણો મોભો શું છે?

BAPS પોતાના ચોપડામાં વર્ણન કરે છે કે સહજાનંદ સ્વામીએ કેવી રીતે તે સમયની હિંદુ પ્રજાને આ નવા સર્વોપરી ભગવાનવાળા સંપ્રદાયમાં વટલાવી

જાઓ (ડાકોરના મંદિરમાં કૃષ્ણને) દર્શન દઈ આવો.’ એ વિકૃત વિચારનું મૂળ તેમના ચોપડામાં લખાયેલ આ પ્રકારના કથનોમાં સમાયેલું છે. આજ વિકૃત લખાણમાંથી બળ મેળવીને પેલા પ્રબોધસ્વામીના ચેલા કહી રહ્યા હતા કે શિવજીએ કોઈ નીશીતભાઈને કહ્યું કે ‘પ્રબોધ સ્વામીના દર્શન થાય એટલા ભાગ્ય તો મારા જાગ્યા નથી, પણ તમારા દર્શન થાય એટલે હું ધન્ય થયો.’ અને પછી ભગવાન શિવ (જેમને આ લોકો હમેશા શિવજી જ કહે છે) એ નીશીતભાઈના પગમાં પાડીને ચાલ્યા ગયા.
6. ‘એમ તો પહેલાં ગણેશને પ્રભુ કહે છે. બ્રહ્મા, વિષ્ણુ ને શિવને કહે છે. અનિરુધ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહે છે, ત્યારે એમાંથી કે ને પ્રભુ માનવા? ત્યારે એનું તો એમ જ છે જે જીવનું કોટીયું, ઈશ્ર્વરની કોટીયું, બ્રહ્માની પણ કોટીયું કોટીયું છે. એ સૌના કારણ તો મહારાજ પોતે એમ સમજે ત્યારે મજકુર મળ્યું કહેવાય ને અનંત કોટી રામ, અનંત કોટી કૃષ્ણ ને અનંત કોટી અક્ષરમુક્ત એ સર્વેના કરતાં, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે ત્યારે જ્ઞાન થઇ રહ્યું.’
‘શ્રી કૃષ્ણે કેટલું જ્ઞાન કર્યું ત્યારે એક ઉધ્ધવે ત્યાગ કર્યો ને આજ તો (આ સંપ્રદાયમાં સહજાનંદ સ્વામી પાછળ) વીસ વીસ વરસના સંસાર મુકીને ચાલ્યા આવે છે. … બીજા અવતાર મોટા મોટા તે પારસમણી જેવા છેને પુરુષોત્તમ (સહજાનંદ) તો ચિંતામણી છે. …. જેમ ચક્રવર્તી રાજા અને ખંડિયા રાજા વચ્ચે ભેદ છે, તેમ અવતાર-અવતારીનો ભેદ સમજવો.’ (પેજ 37)
7. શ્રીજી મહારાજને અષાઢી મેઘની ઉપમા આપી કે જે મેઘવર્ષાથી પૃથ્વી સચેતન થઇ ફળવતી બને , જ્યારે બીજા અવતારોને ઝાકળ જેવા કહ્યા છે, જે ઝાકળના બિંદુની પૃથ્વી પર કોઈ અસર થતી નથી. …. ‘કોટી કોટી વિષ્ણુ બ્રહ્મા કર જોડી, શંકર કોટી સુરત આની, શારદા શેષ અરુ નારદ બરને, નહિ માનત નાર અભિમાની. પરબ્રહ્મ પુરણ પુરુષોત્તમ, સ્વામિનારાયણ સુમરાની.’ (પેજ 39)
8. લાલજી ભક્તે પૂછ્યું, ‘એ વર્ણી કેવા મોટા છે? આપણા જેવા?’ રામાનંદ સ્વામીએ કહ્યું, ‘અમારાથી પણ મોટા છે. એ વર્ણી સર્વ અવતારોના કારણ પરાત્પર, અપ્રાકૃત ગુણેશ્ર્વર્યવાળા પુરુષોત્તમ છે.’ ….. ‘જેમ કૃષ્ણ મોટા સર્વેથી, તેમ આ છે મોટા વળે એથી; આ છે અવતારના અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી…’ (પેજ 49)
9. ઇઅઙજ પોતાના ચોપડામાં વર્ણન કરે છે કે સહજાનંદ સ્વામીએ કેવી રીતે તે સમયની હિંદુ પ્રજાને આ નવા સર્વોપરી ભગવાન વાળા સંપ્રદાયમાં વટલાવી. પેજ નંબર 54-55 પર એક સવાલનો જવાબ અપાયો છે. સવાલ છે, ‘જો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, તો વચનામૃતમાં, સંપ્રદાયનાં અન્ય પુસ્તકોમાં અને પરમહંસોના કીર્તનમાં તેમને કૃષ્ણ કેમ કહેવાયા છે?’
જવાબ બિલકુલ એવો જ આપ્યો છે, જેવો ઇસ્લામના ઉદય પહેલાના દેવી-દેવતાઓ વાળા આરબના સમાજ પર અલ્લાહ નામના એક નવા સર્વોપરી ઈશ્ર્વરને સ્થાપવા માટે અપાય છે. જવાબ છે, ‘શ્રીજીમહારાજના પ્રાગટ્ય સમયે અનેક મતપંથ, શક્તિપંથ, અસત સંપ્રદાયો, ગુરુઓ, વહેમો, જંત્ર-મંત્ર-તંત્ર વગેરેનું જોર હતું. તે સૌને આ નવા સંપ્રદાય સામે વિરોધ જબ્બર હતો. એવા કપરા સમયમાં મનુષ્યધારી જો પોતાને જ પરમાત્મા છડે ચોક કહે તો લોકો ભડકીને આ સંપ્રદાયમાં આવે જ નહિ. જેમ પથ્ય પડે તેમ ઔષધ અપાય એ ન્યાયે પ્રથમ સત્પુરુષ જેવા, પછી અવતાર જેવા અને તે પછી સર્વાવતારી પુરુષોત્તમ જેવા કહ્યા. જીવોને પોતાન સ્વરૂપમાં જોડવા જ શ્રીજીમહારાજે જ્યાં જે ઉપાસના પ્રધાન હોય ત્યાં તે દેવોની મૂર્તિઓ પધરાવી, જેથી મુમુક્ષુઓ પોતાના ઈષ્ટદેવનાં દર્શન કરવા આવે અને પછી સંતના સમાગમથી શ્રીજીમહારાજના સર્વોપરી સ્વરૂપની ઉપાસના દ્રઢ કરે. આ રીતે સંપ્રદાયમાં સર્વોપરી ઉપાસના ક્રમશ: પ્રસિધ્ધ થઇ.’

 

You Might Also Like

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા

રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે

TAGGED: Rajkot, Supreme Lord
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટોલની લાંબી લાઈનોમાંથી છૂટકારો: 1 મેથી FasTag બંધ
Next Article મફતમાં માલસામાન લઈ જતાં દુકાનદાર સમજાવવા ગયો ત્યારે 6 લોકોનો હિચકારો હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની ટી.પી.શાખાનું ડિમોલીશન: વોર્ડ નં-3માં 27.58 કરોડની જમીન ખુલ્લી કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?