પાકિસ્તાને 3 દિવસમાં બીજી મિસાઈલ ટેસ્ટ કરી: નામ ફતેહ, રેન્જ 120KM
પાકિસ્તાનને ચેનાબનું પાણી પૂરું પાડતા બે ડેમના દરવાજા બંધ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સોમવારે પાકિસ્તાને વધુ એક મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું. પાકિસ્તાની સેનાએ કહ્યું કે આ મિસાઇલની રેન્જ 120 કિલોમીટર છે. આ પહેલા 3 મેના રોજ પાકિસ્તાને કહ્યું હતું કે અમે બેલેસ્ટિક મિસાઈલ અબ્દાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલની મારક ક્ષમતા 450 કિમી છે.
બીજી તરફ, વાયુસેનાના વડાએ પ્રધાનમંત્રી મોદીને યુદ્ધની તૈયારીઓ વિશે માહિતી આપી. રવિવારે યોજાયેલી બેઠકમાં એર ચીફ માર્શલ એપી સિંહે પીએમને જણાવ્યું હતું કે એરફોર્સ એલર્ટ પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એપી સિંહે કહ્યું કે પશ્ર્ચિમી સરહદ પર સંરક્ષણ નેટવર્ક પણ હાઇ એલર્ટ પર છે અને રાફેલ જેવા ફાઇટર જેટ પણ તૈયાર છે.
આ દરમિયાન, સુરક્ષા દળોએ સોમવારે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક આતંકવાદી ઠેકાણું શોધી કાઢ્યું. અહીંથી 5 ઈંઊઉ, વાયરલેસ સેટ અને કેટલાક કપડાં પણ મળી આવ્યા છે. આ છુપાવાનું સ્થળ પૂંછના સુરનકોટના મારહોટ ગામમાં મળી આવ્યું હતું. સુરક્ષા દળોનું કહેવું છે કે આ આતંકવાદીઓ માટે છુપાયેલું સ્થાન છે.
આ ઘટના બાદ શ્રીનગર સેન્ટ્રલ જેલ અને જમ્મુની કોટ બલવાલ જેલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘણા આતંકવાદીઓ ત્યાં કેદ છે, જે હુમલાઓમાં મદદ કરે છે. ગુપ્તચર માહિતી બાદ આ પગલું લેવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે ચિનાબ નદી પરના બગલીહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કરી દીધા છે. આમાંથી પાણી પાકિસ્તાન જતું હતું. પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે, જેનાથી પાકિસ્તાન સરકાર નારાજ છે.
ગઈંઅએ જમ્મુની કોટ બિલાવલ જેલમાં લશ્ર્કરના ઓવરગ્રાઉન્ડ વર્કર્સ નિસાર અહેમદ અને મુશ્તાક હુસૈનની પૂછપરછ કરી. બંને પહેલગામ હુમલાના શંકાસ્પદ છે. આ બંનેની 2023માં ડાંગરીમાં થયેલા આતંકવાદી હુમલામાં પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમણે આ હુમલામાં આતંકવાદીઓને પણ મદદ કરી હતી. એવી શંકા છે કે બંને ઓવરગ્રાઉન્ડ વર્કરોએ પહેલગામ હુમલામાં પણ આતંકવાદીઓને મદદ કરી હતી.
પહેલગામ હુમલા સમયનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. એક માર્કેટમાં લગાવેલા સીસીટીવી દ્વારા રેકોર્ડ કરાયેલા આ વીડિયોમાં લોકો દોડતા જોવા મળે છે. આ વીડિયો રવિવારે મોડી રાત્રે સામે આવ્યો છે.
પહેલગામમાં પ્રવાસીઓની સુરક્ષા અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પ્રવાસીઓની સુરક્ષા અંગે દાખલ કરાયેલી પીઆઈએલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે અરજદારને ઠપકો આપતા કહ્યું કે આ અરજી ફક્ત પ્રચાર માટે દાખલ કરવામાં આવી છે અને તેમાં કોઈ વાસ્તવિક જાહેર હિત નથી.
ભારત-પાકિસ્તાન વિવાદ પર આજે UNSCમાં બેઠક
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ પર આજે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (ઞગજઈ) માં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. આમાં, બંને દેશો આંતરરાષ્ટ્રીય મંચ પર પોતપોતાના મંતવ્યો રજૂ કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું- ભારતની આક્રમક કાર્યવાહી, ઉશ્કેરણીજનક અને ભડકાઉ નિવેદનોને કારણે સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા અંગે પાકિસ્તાન ઞગજઈને જાણ કરશે.
પાકિસ્તાને 11મા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું
પાકિસ્તાને સતત 11મા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાએ 4-5 મેની રાત્રે કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ જવાબ આપ્યો અને હળવા હથિયારોથી ગોળીબાર કર્યો.



