By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    7 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    7 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    8 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    1 day ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી
    3 hours ago
    કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ
    3 hours ago
    કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત
    3 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    7 hours ago
    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    7 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    1 day ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    6 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    1 day ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: One Nation One Electionથી સરકારી તિજોરી કેવી રીતે ભરાશે,એક મત પાછળ કેટલો ખર્ચ…. ચાલો સમજીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > One Nation One Electionથી સરકારી તિજોરી કેવી રીતે ભરાશે,એક મત પાછળ કેટલો ખર્ચ…. ચાલો સમજીએ
રાષ્ટ્રીય

One Nation One Electionથી સરકારી તિજોરી કેવી રીતે ભરાશે,એક મત પાછળ કેટલો ખર્ચ…. ચાલો સમજીએ

Khaskhabar Editor
Last updated: 2024/12/18 at 12:43 PM
Khaskhabar Editor 6 months ago
Share
10 Min Read
SHARE

હાલમાં ભારતમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ને બિલ ચર્ચાના કેન્દ્રમાં છે ત્યારે ‘વન નેશન, વન ઈલેક્શન’થી સરકારની તિજોરી કેવી રીતે ભરાશે તેમજ હાલમાં એક મત પાછળ કેટલો ખર્ચ થાય છે. જાણો તમામ વિગતો…

પહેલા સંસદની બહાર અને હવે સંસદની અંદર, શાસક અને વિપક્ષ One Nation One Electionને લઈને સામસામે છે. સત્તાધારી ભાજપ આ બિલના તરફેણમાં છે તેમજ એનડીએના લગભગ તમામ સાથી પક્ષો ભાજપને સમર્થન આપી રહ્યા છે. જ્યાં કોંગ્રેસ ‘વન નેશન, વન ઈલેક્શન’નો ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે, તો કોંગ્રેસની સાથે જ સપા, આરજેડી, આપ અને ડીએમકે જેવી પ્રાદેશિક પાર્ટીઓ પણ વિરોધમાં છે. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નો અર્થ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ, એટલે કે લોકસભા અને વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે પોતાનો મત આપશે.

‘વન નેશન, વન ઈલેક્શન’ને લઈને સરકારના દાવાઓ

કેન્દ્ર સરકાર કહે છે કે ‘વન નેશન, વન ઈલેક્શન’થી સરકારનું કામ સરળ થઈ જશે. દેશમાં અવારનવાર ચૂંટણીના કારણે કામ અટકી જાય છે. કારણ કે ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે. જેના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થાય છે અને વિકાસના કામો પ્રભાવિત થાય છે. તો બીજી તરફ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવાના કારણે સરકાર નીતિ ઘડતર અને તેના અમલીકરણ પર વધુ ધ્યાન આપી શકશે. એટલું જ નહીં, દાવો કરવામાં આવી રહ્યો છે કે એકવાર ચૂંટણી યોજવાથી ખર્ચમાં ઘટાડો થશે અને ઓછા સંસાધનોની જરૂર રહેશે. આનાથી જે પૈસા બચશે તે દેશના વિકાસમાં ખર્ચવામાં આવશે.

- Advertisement -

રાજ્યો પર કોઈ નાણાકીય બોજ પડશે નહીં

રિપોર્ટ અનુસાર, ભારતમાં 1952થી 2023 દરમિયાન દર વર્ષે સરેરાશ 6 ચૂંટણીઓ યોજાઈ છે. આ આંકડો માત્ર લોકસભા અને વિધાનસભાની વારંવારની ચૂંટણીઓનો છે. જો સ્થાનિક ચૂંટણીઓનો સમાવેશ કરવામાં આવે તો દર વર્ષે ચૂંટણીની સંખ્યામાં અનેકગણો વધારો થશે. અહી દલીલ એવી છે કે એકસાથે ચૂંટણી થવાથી સરકાર, ઉમેદવારો અને પક્ષો દ્વારા ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં થતા ખર્ચમાં ઘટાડો થશે. એક સાથે ચૂંટણી યોજવાથી મતદાર નોંધણી અને મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી સરળ બનશે. આ કાર્ય એક જ વારમાં યોગ્ય રીતે પૂર્ણ કરી શકાય છે. ઓછી ચૂંટણીના કારણે રાજ્યો પર કોઈ નાણાકીય બોજ પડશે નહીં.

શું છે વિપક્ષોની દલીલ

- Advertisement -

કેન્દ્ર સરકારના સામે વિપક્ષની આ બિલ અંગે દલીલો છે કે, દેશમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ના અમલમાં અનેક પડકારો અને ખામીઓ છે. ખાસ કરીને કોંગ્રેસની દલીલ છે કે ભારત જેવા વિશાળ દેશમાં આ શક્ય નથી, કારણ કે દરેક રાજ્યમાં વિવિધ પડકારો અને મુદ્દાઓ છે. એક સાથે ચૂંટણીથી તેઓને અસર થશે. આ સાંસ્કૃતિક રીતે પણ અશક્ય છે. એકસાથે ચૂંટણી યોજવાથી પ્રાદેશિક રાજકીય પક્ષોની સંભાવનાઓ પર અસર પડી શકે છે, કારણ કે તેઓ સ્થાનિક મુદ્દાઓને મુખ્ય રીતે પ્રકાશિત કરી શકશે નહીં. તેઓ નાણાં અને ચૂંટણી વ્યૂહરચનાના સંદર્ભમાં રાષ્ટ્રીય પક્ષો સાથે ટક્કર કરી શકશે નહીં. પ્રાદેશિક રાજકીય પક્ષો પાસે મર્યાદિત સંસાધનો હોય છે, જ્યારે રાષ્ટ્રીય પક્ષો તેમના સંસાધનોને કારણે પ્રભુત્વ મેળવી શકે છે.

‘વન નેશન, વન ઈલેક્શન’નો સૌથી મોટો પડકાર

આ ઉપરાંત વિપક્ષોની દલીલ છે કે, બંધારણમાં સુધારો કર્યા વિના ભારતમાં ‘વન નેશન, વન ઈલેક્શન’નો અમલ શક્ય નથી, અને આ સુધારો તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા મંજૂર થવો જોઈએ. ‘વન નેશન, વન ઈલેક્શન’નો સૌથી મોટો પડકાર વિવિધ રાજ્યોની વિધાનસભાની શરતોને લોકસભાની શરતો સાથે સમન્વય કરવાનો છે. મધ્યસત્ર ચૂંટણીઓ અથવા રાષ્ટ્રપતિ શાસન જેવી પરિસ્થિતિઓમાં, જો કોઈ પક્ષ બહુમતી મેળવવામાં નિષ્ફળ જાય, તો ‘વન નેશન, વન ઈલેક્શન’નો ખ્યાલ લાગુ કરવામાં આવે તો તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

સરકારી તિજોરી કેવી રીતે ભરાશે?

એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાથી સરકારી તિજોરી પર ઓછો બોજ પડશે. દાવો કરવામાં આવે છે કે આનાથી બચેલા નાણાંનો ઉપયોગ ઔદ્યોગિક વિકાસ માટે કરવામાં આવશે. ‘વન નેશન, વન ઈલેક્શન’ના અમલથી દેશની જીડીપી પણ એકથી દોઢ ટકા વધી શકે છે.

પ્રથમ સામાન્ય ચૂંટણીનો ખર્ચ કેટલો થયો હતો

જો ચૂંટણી ખર્ચની વાત કરીએ તો તે ફુગાવાના સૂચકાંકના આધારે નક્કી કરવામાં આવે છે. ખર્ચ મર્યાદા વર્ષોથી સેવાઓ અને માલસામાનના ભાવમાં થયેલા વધારાના આધારે નક્કી કરવામાં આવે છે. વર્ષ 1951માં આઝાદી પછી દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં લગભગ 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ અનુસાર, 1951માં કુલ 17.32 કરોડ મતદારો હતા, જે વર્ષ 2019માં વધીને 91.2 કરોડ થઈ ગયા હતા. આ ઉપરાંત પંચના જણાવ્યાનુસાર, 2024ની ચૂંટણી માટે 98 કરોડ મતદારોના નામ યાદીમાં હતા.

2019ની ચૂંટણીમાં આટલા રૂપિયાનો ખર્ચ થયો હતો

મોદી સરકાર 2014માં પહેલીવાર સત્તામાં આવી હતી. ચૂંટણી પંચના જણાવ્યા નુસાર, આ ચૂંટણી કરાવવામાં અંદાજે 3870 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અગાઉ 2009ની લોકસભા ચૂંટણીમાં 1114.4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 2009ની સરખામણીમાં 2014માં ચૂંટણી ખર્ચ લગભગ ત્રણ ગણો વધ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં લગભગ 6600 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

એક મત આપવા માટે કેટલો ખર્ચ?

જો આપણે 2024ની લોકસભા ચૂંટણીમાં એક વોટ માટેના ખર્ચની ગણતરી કરીએ તો એ વાત સામે આવે છે કે જ્યારે 1951માં દેશમાં પહેલીવાર સામાન્ય ચૂંટણીઓ યોજાઈ ત્યારે લગભગ 17 કરોડ મતદારોએ ભાગ લીધો હતો. તે સમયે દરેક મતદાર પર 60 પૈસાનો ખર્ચ થયો હતો. જ્યારે આ ચૂંટણીમાં કુલ 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તો 2019ની લોકસભા ચૂંટણીમાં લગભગ 6600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કુલ મતદારોની સંખ્યા લગભગ 91.2 કરોડ હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં આ ખર્ચ વધીને 72 રૂપિયા પ્રતિ મતદાર થયો હતો. 2014ની ચૂંટણીમાં મતદાર દીઠ 46 રૂપિયાનો ખર્ચ થયો હતો. અગાઉ, 2009ની લોકસભા ચૂંટણીમાં, મતદાર દીઠ ખર્ચ 17 રૂપિયા હતો, અને 2004ની ચૂંટણીમાં, ખર્ચ પ્રતિ મતદાર દીઠ 12 રૂપિયા હતો. દેશમાં સૌથી ઓછી ખર્ચાળ લોકસભા ચૂંટણી 1957માં યોજાઈ હતી, ત્યારે ચૂંટણી પંચે માત્ર 5.9 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, એટલે કે દરેક મતદાર માટે ચૂંટણી ખર્ચ માત્ર 30 પૈસા હતો.

ચૂંટણી ખર્ચનો હિસાબ રાખવામાં આવે છે

લોકસભા ચૂંટણી 2024માં ઉમેદવાર વધુમાં વધુ 95 લાખ રૂપિયા ખર્ચી શક્તો હતો. જેમાં ચૂંટણી પ્રચાર, વાહનો, ભોજન-પાણી, તંબુ અને બેનરો-પોસ્ટરનો સમાવેશ થાય છે. ચૂંટણી દરમિયાન ગાયકો દ્વારા અને સોશિયલ મીડિયા પર આપવામાં આવતી જાહેરાતોનો પણ હિસાબ રાખવામાં આવે છે. હાલમાં, વિધાનસભા ચૂંટણી માટે આ રકમ ઉમેદવાર દીઠ મહત્તમ 40 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. અગાઉ, 2019ની લોકસભા ચૂંટણીમાં ખર્ચની મર્યાદા પણ મહત્તમ 95 લાખ રૂપિયા હતી, 2014ની લોકસભાની ચૂંટણીમાં તે 70 લાખ રૂપિયા હતી, 2009ની લોકસભાની ચૂંટણીમાં 25 લાખ રૂપિયા અને 2004ની લોકસભાની ચૂંટણીમાં 25 લાખ રૂપિયા હતી. દેશની પ્રથમ ચૂંટણી એટલે કે 1951માં એક ઉમેદવાર વધુમાં વધુ 25,000 રૂપિયાનો ખર્ચ કરી શકતો હતો.

ECએ ઘણી તૈયારીઓ કરવી પડશે

જો કે, હાલનો મુદ્દો દેશમાં એક સાથે ચૂંટણી યોજવાનો છે. ECએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ માટે ઘણી તૈયારીઓ કરવી પડશે. મતદાર યાદી અપડેટ કરવી, વોટિંગ મશીન ખરીદવા અને સુરક્ષા દળોની વ્યવસ્થા કરવી જેવા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો છે.

લોકસભા અને વિધાનસભાનો ચૂંટણી ખર્ચ કોણ ઉઠાવે છે?

ઓક્ટોબર 1979માં કાયદો અને વ્યવસ્થા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, કેન્દ્ર સરકાર લોકસભાની ચૂંટણીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે. તેવી જ રીતે, રાજ્યની વિધાનસભા ચૂંટણીનો ખર્ચ સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. હવે જો રાજ્ય અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય તો ખર્ચ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે છે. નોંધનીય છે કે, ECએ 2029માં ONOE માટે કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતી માટે 50 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આ માટે અંદાજે 7 લાખ સુરક્ષા કર્મચારીઓની જરૂર પડી શકે છે. EVM અને VVPAT સ્ટોર કરવા માટે દેશભરમાં 800 વધારાના વેરહાઉસની પણ જરૂર પડશે.

હવે ચાલો જાણીએ કે વન નેશન વન ઇલેક્શન લાગુ થશે તો શું થશે?

  • કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી 2029 પછી તારીખ નક્કી કરશે.
  • આ તારીખે જ તમામ રાજ્યોની વિધાનસભાઓનું વિસર્જન કરવામાં આવશે.
  • આ પછી, પ્રથમ તબક્કામાં, લોકસભાની મુદત અનુસાર તમામ વિધાનસભાઓ માટે ચૂંટણી યોજાશે.
  • 100 દિવસમાં બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી યોજાશે.
  • આ તમામ ચૂંટણીઓ માટે એક જ મતદાર યાદી હશે.
  • લોકશાહીમાં કોઈપણ સરકાર પડી શકે છે. આવી સ્થિતિમાં, જો અવિશ્વાસ પ્રસ્તાવને કારણે લોકસભા અથવા કોઈપણ વિધાનસભા ભંગ કરવામાં આવે છે, તો એવું સૂચન કરવામાં આવ્યું છે કે ગૃહમાં જેટલો સમય બાકી છે તેટલા જ સમયગાળા માટે નવી ચૂંટણીઓ યોજવી જોઈએ.

આઝાદી પછી એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી

ભારતની આઝાદી પછી 1952, 1957, 1962 અને 1967માં એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી . જો આપણે અન્ય દેશોની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકામાં દર 5 વર્ષે એક સાથે રાષ્ટ્રીય અને પ્રાંતીય ચૂંટણીઓ યોજાય છે. સ્વીડનમાં દર ચાર વર્ષે રાષ્ટ્રીય, પ્રાંતીય અને સ્થાનિક ચૂંટણીઓ એકસાથે યોજાય છે. ઈંગ્લેન્ડમાં પણ ફિક્સ્ડ ટર્મ પાર્લામેન્ટ એક્ટ, 2011 હેઠળ ચૂંટણીનું નિશ્ચિત સમયપત્રક છે. જર્મની અને જાપાનમાં પહેલા વડાપ્રધાન પસંદગી એક સાથે થાય છે, પછી બાકીની ચૂંટણીઓ યોજાય છે. તેવી જ રીતે ઈન્ડોનેશિયામાં પણ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એક સાથે યોજાય છે.

You Might Also Like

ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ

કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત

અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી

TAGGED: One Nation One Election, ONOE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિશ્વ માટે રાહતભર્યા સમાચાર: રશિયાએ તૈયાર કરી કેન્સર વેક્સિન, તમામ નાગરિકોને મફતમાં ઉપલબ્ધ થશે
Next Article વર્ષ 2024માં કયા ભારતીય સેલિબ્રિટી કપલના સંબંધોનો અંત આવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિમાન દુર્ઘટનામાં ભોગ બનનાર રાજકોટના મુક્તાબેન ડાંગરનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Ending Plastic Pollution વિષય અંતર્ગત રાજકોટ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી માટે 12 હોટલાઇન, 14 સેટેલાઈટ ફોન 24 કલાક કાર્યરત : મંત્રી કુંવરજી બાવળીયા
પ્રથમ વરસાદે જ 11 ડેમ હાઈએલર્ટ પર
જેતપુરમાં ધારેશ્ર્વર ચોકડી પાસેથી પિસ્ટલ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો
રાજુલાના રાજપરડા- ગાજાવદર વરચે જોલાપરી નદીમાં કાર ડૂબી જતાં આહીર સમાજ અગ્રણીનું મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?