પોલીસવાળા મારા મામા, પોલીસ સ્ટેશન મારું મોસાળ!
ખોડુ વિરૂદ્ધ અગણિત ફરિયાદો છતાં તેનો વાળ વાંકો થતો નથી: લુખ્ખા વ્યાજખોર પર આટલી મહેરબાનીનું કારણ શું?
- Advertisement -
ગામ આખાની મિલકતો પચાવી પાડતાં અને ચામડાં ચીરી નાંખે તેવું વ્યાજ વસૂલતાં ખોડુ સામે અત્યંત કડક પગલાં જરૂરી
ખાસ-ખબર સંવાદદાતા
કૂખ્યાત વ્યાજખોર ખોડુ મુંધવાનાં એક પછી એક પરાક્રમો બહાર આવી રહ્યાં છે. કોઈની પાસે એ દિવસનું 40 હજાર વ્યાજ વસૂલે છે તો કોઈની મિલકતો ગૂપચાવી જાય છે. આવી અનેક બાબતો પુરાવા સહિત બહાર આવી હોવા છતાં અને તેની ફરિયાદ પોલીસ કમિશનરને કરવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી ખૂંખાર ખોડુ મુંધવા સામે કોઈ જ અસરકારક પગલાં લેવાયા નથી.
ખોડુ મુંધવા સરાજાહેર કહેતો ફરે છે કે, ‘પોલીસવાળા મારા મામા છે અને પોલીસ સ્ટેશન મારૂં મોસાળ! ત્યાં મારે જલ્સા-જલ્સા જ હોય!’ ખરેખર આ વાત ઘણી વખત સાબિત પણ થઈ છે.
અગાઉ ખોડુ મુંધવા વિરૂદ્ધ ચાર-પાંચ પીડિતો પોલીસ કમિશનરને અરજી આપવા પહોંચ્યા ત્યારે ખોડુને પળભરમાં એ વાતની જાણ થઈ ગઈ હતી અને એ પણ ત્યાં પહોંચી ગયો હતો. અરજદારે પોલીસ કમિશનરને આ અંગે વાત કરતાં તેમણે બહાર તપાસ કરાવી તો ખોડુ કમિશનર ઑફિસમાં જ હાજર હતો! કમિશનરે તેને બોલાવી સારો એવો
ખખડાવ્યો હતો.
ટૂંકમાં કહીએ તો ખોડુ મુંધવા એકદમ ચાલું આઈટમ છે. તેનાં વ્યાજનાં ભરડામાં અનેક પરિવારો પીસાઈ ગયા છે અને હજુ અનેક પરિવારો તેને કારણે બરબાદ થઈ રહ્યાં છે. અફસોસ એ વાતનો છે કે, તેની સામે પગલાં લેનારૂં કોઈ નથી.
શું ખોડિયાર પરામાં પણ ખોડુએ મિલકત પચાવી પાડી?
ચર્ચાતી વિગતો મુજબ ખોડુ અને તેનાં સાગરીતોએ ખોડિયાર પરામાં એક છસ્સો વારનો પ્લોટ પચાવી પાડ્યો છે. બજાર ભાવ મુજબ તેની કિંમત લગભગ બે કરોડ રૂપિયા આસપાસ થાય છે. અનેક પ્રયાસો છતાં જમીન માલિક આ જમીન ખુલ્લી કરાવી શક્યા નથી.
- Advertisement -
‘ખાસ-ખબર’ અપીલ
ખોડુ મુંધવા વિરૂદ્ધ અમને વિગતો આપો
જો તમે પણ ખોડુની ગૂંડાગીરીથી કે વ્યાજખોરીથી ત્રસ્ત હોવ તો તમે
‘ખાસ-ખબર’નો
મો. નં. 76982 11111 પર
સંપર્ક કરી શકો છો.
અમે તમારી વ્યથાને વાચા
આપીશું અને તમને ન્યાય અપાવીશું.