અમદાવાદની વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જેની બાદ તેમના ડીએનએ મેચ કરીને આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દિવંગત નેતાના પાર્થિવ દેહને રાજ્ય સરકારી માનદંડ અનુસાર ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનાં ધર્મપત્ની અને પુત્ર સહિતના પરિવારજનોને સંપૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યો. સમગ્ર પ્રક્રિયા રાજ્યના પ્રોટોકોલ અનુસાર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
- Advertisement -
રાજ્ય સરકારે તેમના નેતૃત્વ જાહેર જીવનમાં નૈતિકતા અને કરુણા લોકહિતનાં કાર્યોને સ્મરણ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીઓ તેમજ અનેક સંસ્થાઓ -સમુદાયોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
રાજકીય સન્માન સાથે સ્વ. વિજય રૂપાણીની અંતિમવિધિ
ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 12D પર મુસાફરી કરી રહ્યા હતા. આ પ્લેન ક્રેશમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશના 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું. ત્યારે આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે સ્વ. વિજય રૂપાણીની અંતિમવિધિ કરવામાં આવશે. આ પહેલાં સવારે પરિવારને સંપૂર્ણ સન્માન સાથે પાર્થિવદેહ સોંપવામાં આવ્યો હતો.