સૌરાષ્ટ્ર-કચ્છ પર ફુંકાયેલા વાવાઝોડા ‘બિપોરજોય’ની અસર કચ્છમાં સૌથી વધુ જોવા મળી છે તથા વ્યાપક તારાજી પણ અહી થઈ છે તે વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ભુજ જઈને પરિસ્થિતિની સમીક્ષા કરશે તથા તેઓ અસરગસ્ત ક્ષેત્રોમાં પણ જશે તેવા સંકેત છે.
અમીત શાહ આજે દિલ્હીથી સીધા ભુજ પહોંચી રહ્યા છે અને મુખ્યમંત્રી ગાંધીનગરથી ભુજ પહોચશે અને અહી ઉચ્ચ અધિકારીની ટીમ પણ પહોંચી રહી છે. કચ્છમાં વિજળી-પુરવઠો ખોરવાયો છે. હજારો ગામોમાં હજુ અંધારપટ છે તથા માર્ગો ઉપરાંત કાચા-પાકા મકાનને નુકશાન થયુ છે.
- Advertisement -
અમીત શાહ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સ્થિતિની સમીક્ષા કરી અનેક મહત્વની જાહેરાત કરે તેવી ધારણા છે.