કટઑફ્ફ ઘટાડવાનો નિર્ણય દેશભરમાં મેડિકલ જગતથી રાજકારણ સુધી ચર્ચાનું કેન્દ્ર બન્યો
18 હજારથી વધુ ખાલી બેઠકો ભરવા નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સનો નિર્ણય
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હવે NEET-PG માં -40 નંબર હશે તો પણ સ્પેશ્યિલિસ્ટ ડોક્ટર બનવા માટે એડમિશન મળી જશે. કારણ કે ગઊઊઝ-ઙૠમાં એડમિશન માટે હવે કટઓફ -40 પુરતો છે. ગઊઊઝ-ઙૠ 2025 માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (ગઇઊખજ) દ્વારા લેવાયેલો કટઓફ ઘટાડવાનો નિર્ણય દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ નિર્ણય અનુસાર હવે ગઊઊઝ-ઙૠ પરીક્ષામાં માઈનસ 40 સ્કોર ધરાવતા ઉમેદવારોને પણ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં એડમિશન મળી શકે છે. આ નિર્ણય બાદ મેડિકલ ક્ષેત્ર, રાજકીય વર્તુળો અને વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ખઇઇજ પૂર્ણ કર્યા બાદ ખજ અથવા ખઉ જેવી સ્પેશ્યાલિસ્ટ ડિગ્રી મેળવવા માટે ગઊઊઝ-ઙૠ ફરજિયાત પરીક્ષા છે. કુલ 800 માર્ક્સની આ પરીક્ષા આધારે ઉમેદવારોની રેન્ક અને પરસન્ટાઈલ નક્કી થાય છે. કટઓફ એટલે એ લઘુત્તમ પરસન્ટાઈલ અથવા સ્કોર, જેના આધારે ઉમેદવાર કાઉન્સેલિંગ અને એડમિશન માટે પાત્ર બને છે.
ગઊઊઝ-ઙૠ 2025 માટે કટઓફ એટલે ઘટાડવાનું કારણ એ છે કે એડમિશન માટે બે-બે રાઉન્ડની કાઉન્સિલીંગ બાદ પણ લગભગ 18000 જેટલી બેઠકો ખાલી રહી ગઈ.
આ તરફ ગુજરાતમાં સ્ટેટ ક્વોટામાં બે રાઉન્ડ બાદ 650થી વધુ અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં 32 હજારથી વધુ બેઠકો ખાલી રહી હોવાથી સરકાર દ્વારા આગામી બે રાઉન્ડ બાદ પણ વધુ બેઠકો ખાલી રહેશે તેવા અનુમાનથી કટઓફ ઘટાડ્યો છે.
ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA)એ કટઓફ ઘટાડવાના નિર્ણયનો વિરોધ કર્યો
- Advertisement -
આ સીટો ભરવા માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઈન મેડિકલ સાયન્સ (ગઇઊખજ) આ નિર્ણય કર્યો છે. જેથી વધુ વિદ્યાર્થીઓ એડમિશન માટે એપ્લાય કરી શકે. પરંતુ એડમિશન માટે આ -40 વાળો કટઓફ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ મુદ્દે રાજકીય પક્ષોમાં વિપક્ષ પણ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળી રહ્યો છે. અગાઉ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સરકારને રેસિડેન્ટ ડોક્ટરો પર વધી રહેલા કામના દબાણ અને ખાલી બેઠકો અંગે નિર્ણય કરવા રજૂઆત કરવામાં આવી હતી. જો કે નવા કટઓફ અંગે ઈંખઅ દ્વારા પણ વિરોધનો સૂર પણ ઉઠ્યો છે. ઈંખઅ દ્વારા આ નિર્ણયથી મેડિકલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ ઘટવાનો ભય વ્યક્ત કર્યો છે. ચર્ચા એવી પણ છે કે ઓલ ઈન્ડિયા ક્વોટામાં બે રાઉન્ડ સુધીમાં તમામ બેઠકો પણ ઓફર કરાઈ ન હતી. આ નિર્ણય બાદ તો ગઊઊઝ પરીક્ષાનો કોઈ મતલબ જ ન રહે તેવી સ્થિતિ ઉભી થઈ છે. શિવસેના યુબીટી જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ગઇઊખજના નિર્ણય પર પ્રતિક્રિયા આપી, હવે સ્થિતિ એ છે કે -40/800 જેવા સ્કોર પર પણ કોઈ ડોક્ટર પોસ્ટથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી શકશે. જરા વિચારો સીટો ભરવા માટે આપણો દેશ આવા તો ક્યા સ્તરના સ્પેશ્યાલિસ્ટ તબીબો તૈયાર કરશે, જે માનવ શરીર સાથે જોડાયેલા તંત્રમાં કામ કરશે. સીટોની અછતને દૂર કરવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થાને વાસ્તવમાં કંઈક નક્કર કામગીરી કરવાની જરૂર છે પ્રિયંકા ચતુર્વેદીની આ પ્રતિક્રિયા પર ઈન્ડિયા ગઠબંધનમાંથી વિરોધનો સૂર ઉઠ્યો અને કોંગ્રેસના નેતા ઉદીત રાજે તો પ્રિયંકા ચતુર્વેદીની જાતિને લઈને ટિપ્પણી કરી. તેમણે કહ્યુ તેઓ ચતુર્વેદી છે તો તેનાથી જ ખબર પડી જાય છે કે તેઓ અનામતના પક્ષમાં શા માટે બોલે? જો તેમની જાતિના ઈન્ટરેસ્ટમાં વાત હોત તો તેમણે નિર્ણયને યોગ્ય ઠેરવી દીધો હોત.
જનરલ અને ઊઠજ કેટેગરી માટે મોટો ઘટાડો કરાયો
દેશમાં ખઇઇજ કરી લીધા બાદ ખજ કે ખઉમાં એડમિશન માટે ગઊઊઝ-ઙૠ 2025માં પરીક્ષામાં નવો કટઓફ નક્કી કરવામાં આવ્યો છે. 800 માર્ક્સવાળા ગઊઊઝ-ઙૠની પરીક્ષામાં જનરલ અને ઊઠજ વર્ગ છે-જેઓ આર્થિક રીતે પછાત છે તેવા ઊઠજ (ઊભજ્ઞક્ષજ્ઞળશભફહહુ ઠયફસયિ જયભશિંજ્ઞક્ષ) માટે નવો કટ ઓફ 7 પરસન્ટાઈલ છે. જે પહેલા 50 પરસેન્ટાઈલ હતો. આ પરસન્ટાઈલ કોઈપણ પરીક્ષામાં રેન્કના આધારે નક્કી કરવામાં આવે છે. આ વર્ષે જનરલ અને ઊઠજના જે વિદ્યાર્થીઓને 103 માર્ક્સ મળ્યા છે તેમને એડમિશન મળી જશે. જે પહેલા 50 પરસેન્ટાઈલ અને કટ ઓફ સ્કોર 276 હતા.
દિવ્યાંગ ઉમેદવારો માટે પણ કટઓફમાં ઘટાડો
સામાન્ય બાદ દિવ્યાંગ કેટેગરીની જો વાત કરીએ તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરસન્ટાઈલ 45માંથી ઘટાડીને 5 પરસન્ટાઈલ કરી દેવામાં આવ્યો છે. એટલે કે પહેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને 255 કટ ઓફ સ્કોર હોય તો એડમિશન મળતુ હતુ જે હવે તેમને 90 કટ ઓફ સ્કોરમાં પણ મળી જશે. આ વાત થઈ સામાન્ય, ઊઠજ અને દિવ્યાંગ કેટેગરીના વિદ્યાર્થીઓની.
સૌથી મોટો વિવાદ : SC-ST અને OBC માટે ઝીરો પરસન્ટાઈલ
હવે જો જઈ-જઝ કે ઘઇઈ કેટેગરીની વાત કરીએ તો તેમના માટે નવો પરસન્ટાલ ઝીરો કરી દેવાયો છે. એટલે કે -40 નંબર પર પણ એડમિશન મળી જશે. જઈ-જઝ-ઘઇઈ માટે પહેલા કટ ઓફ સ્કોર 235 હતો જે હવે -40 કરી દેવાયો છે પહેલા જઈ-જઝ-ઘઇઈ માટે ક્વોલીફાઈ થવા માટે 40 પરસન્ટાઈલ એટલે કે 235 માર્ક્સ જરૂરી હતા, જેના આધારે એડમિશન મળતુ હતુ. જેને હવે ઝીરો કરી દેવાયો અને કટ ઓફ સ્કોર -40 કરી દેવાયો છે. આ નિર્ણયનો તમામ વિરોધ કરી રહ્યા છે.
NEET-PGની કુલ બેઠકો અને સ્થિતિ
ગઊઊઝ-ઙૠ માટે હાલ 70645 સીટો છે. જેમાંથી 33,416 હજાર સીટો સરકારી મેડિકલ કોલેજની છે અને 21,418 સીટો ખાનગી કોલેજની છે. આ ઉપરાંત કોલેજ ઓફ ફિજિશ્યન અને સર્જન માટે 10621 બેઠકો અને ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડમાં 14190 સીટ છે. પરંતુ આ વર્ષે જ્યારે કૂલ બેઠકોમાં લગભગ 25% બેઠકો ખાલી રહી ગઈ તો આ સીટોને ભરવા માટે ગઇઊખજ દ્વારા કટઓફ ઘટાડવાનો નિર્ણય લેવાયો. મેરિટની દલીલ આપીને આના પર રાજનીતિક નિવેદનબાજી કરાઈ રહી છે, જ્યારે ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનએ પણ આ આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાને એક પત્ર લખી નિર્ણય સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. ઋઅઈંખઅ પર આ નિર્ણય સામે રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
ખાનગી કોલેજોને લાભ પહોંચાડવાનો આરોપ
ઋઅઈંખઅમાં ચીફ પેટ્રેન રોહન કૃષ્ણને જણાવ્યુ કે કરોડો-અબજો રૂપિયાનો ફાયદો ખાનગી મેડિકલ કોલેજોને થશે. ગઇઊખજ દ્વારા આ જે ફરમાન જારી કરાયુ છે તે સંપૂર્ણપણે તેમને ખાનગી કોલેજોને પ્રમોટ કરવા માટે, તેમના બિઝનેસને ચલાવવા માટે લાવવામાં આવ્યુ હોય તેવુ સ્પષ્ટ થઈ રહ્યુ છે. મેડિકલ કોલેજીસે જ્યારે હજારો ક્વોલિફાઈંગ ડોક્ટર માંથી પસંદગી કરવાની હતી તેના બદલે હવે તેઓ લાખો અનક્વોલિફાઈટ ડોક્ટર્સમાંથી સિલેક્શન કરશે.



