અગાઉ હિરલબા પોલીસ રિમાન્ડ દરમ્યાન
2 વખત બીમાર પડી ગયા હતા
Dy.SP સુરજીત મહેડુએ પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તાવાર માહિતી જાહેર કરી
- Advertisement -
ખાસ ખબરની આગમવાણી ફરીવાર સાચી સાબિત થઈ.. ખાસ-ખબરે 2 દિવસ પહેલાં જ હીરલબાની માયાજાળ વિશે વિસ્તૃતમાં અહેવાલ પ્રસારિત કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર મહેર સમાજની જાણીતી મહિલા અગ્રણી હિરલબા જાડેજા સહિત અન્ય કેટલાક આરોપીઓ સામે ખંડણી અને અપહરણના ગંભીર આરોપો સાથે કેસ નોંધાતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા હાલ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. હાલમાં પોરબંદર પોલીસે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં ડીવાયએસપી સુરજીત મહેડુએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુના સંદર્ભે 100થી વધુ શંકાસ્પદ સંપત્તિ દસ્તાવેજો અને મોટી માત્રામાં બેંક એકાઉન્ટ મળી આવતા જુદી જુદી ટીમો દ્વારા તેની ડીટેઈલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ એકાઉન્ટ નાના-ગરીબ લોકોને મંડળી બનાવવાનું કહી તેમના નામે ખોલાવવામાં આવ્યા હતા જેમાં મોટી રકમોના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ થયા હોવાના અનુમાન છે. ફરીયાદી ભનાભાઈ ઓડેદરાના જણાવ્યા અનુસાર તેમની દિકરી લીલુબેન જે હાલમાં ઈઝરાઇલમાં નિવાસ કરે છે તેને હિરલબા ભુરાભાઈ જાડેજા પાસેથી રૂ.70 લાખ લીધા હતા. આ રકમ વસૂલવા આરોપીઓએ ફરીયાદી ભનાભાઈ, તેમના જમાઈ ભનુભાઈ, પુત્ર રણજીત અને સગા ગીગીબેનનું અપહરણ કરી ધાક-ધમકી આપી હતી. ત્યારબાદ તેમને માર મારી, ખાલી ચેક પર સહીઓ કરાવી અને તેમની દીકરીની મરણજનાર દીકરીના સોનાના દાગીના પડાવ્યાની વિગતો ફરિયાદમાં આપી છે. જે ફરિયાદ બાદ પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે. જે કેસની તમામ હકીકતો બહાર લાવવા કામે લાગી છે. હાલ પોલીસે કેસના મુખ્ય આરોપી હિરલબા જાડેજા તથા સહઆરોપી હિતેશ ભીમા ઓડેદરા, વિજય ભીમા ઓડેદરાની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને હિરલબા જાડેજાના ઘર સૂરજ પેલેસ ખાતેથી મોટી માત્રામાં શંકાસ્પદ પ્રોપર્ટી દસ્તાવેજો મળી આવતા તમામ પ્રોપર્ટીના મૂળ માલિકોની વ્યક્તિગત મુલાકાત લઈ ક્યાં કરોણાસર આ પ્રોપર્ટીનું વેંચાણ કર્યું છે તેને લઈને તપાસ શરૂ કરી છે. જેમાં આવનારા દિવસોમાં તમામ હકીકતો બહાર આવશે.
પોલીસે હિરલબાને ઝડપી પાડીને કોર્ટે રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, પરંતુ રિમાન્ડ દરમ્યાન અચાનક તેની તબિયત લથડતાં તેમને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. સારવાર બાદ પોરબંદર પાછા લાવવામાં આવ્યા બાદ વધુ રિમાન્ડ માટે ફરી કોર્ટમાં રજૂ કરતાં હવે ત્રણ દિવસનો રિમાન્ડ મળ્યો છે. 9 મે સુધીની સમયમર્યાદામાં પોલીસે તેમનાં નિવેદનો તથા સીધી પુછપરછ શરૂ કરી દીધી છે.
- Advertisement -
પોલીસની ભોગ બનેલા લોકોને અપીલ
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જેમના નામે તેમની જાણ વગર બેંક ખાતાં ખોલાયાં હોય, ખોટા દસ્તાવેજો બનાવવામાં આવ્યા હોય અથવા તેઓને પણ કોઈ સહાય કે મંડળીના નામે દસ્તાવેજો પર સાઇન કરાવવામાં આવ્યા હોય તો તેઓ નજીકના પોલીસ મથકે સંપર્ક કરીને તાત્કાલિક જાણ કરે : ઉુ.જઙ સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્ય
અભ્યાસપૂર્ણ પત્રકારત્વ: હિરલબા કેસમાં ’ખાસ ખબર’ની આગાહી સાચી પડી
‘ખાસ-ખબર’ પત્રકારિતાની નેમ અને નજર સાથે કાયદાકીય મામલાઓ પર તટસ્થ અને ઝડપી રિપોર્ટિંગ માટે જાણીતું રહ્યું છે
હિરલબા જાડેજા સાથે જોડાયેલા અપહરણ અને ખંડણીના ચકચારી કેસમાં “ખાસ ખબર”એ 2 દિવસ અગાઉ વિશ્લેષણાત્મક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં હિરલબાની સંડોવણી, શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શન્સ અને સંપત્તિના દસ્તાવેજોની માયાજાળની પૂરેપૂરી આગાહી કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં પોરબંદર ડી.વાય.એસ.પી. દ્વારા જે વિગતો જાહેર કરવામાં આવી, તે ’ખાસ ખબર’ની પૂર્વઅનુમાનિત માહિતી સાથે મેળ ખાતી હોવાનું સાબિત થયું છે. આમ, ’ખાસ ખબર’ પત્રકારિતાની વિશ્વસનીયતા અને સામાજિક જવાબદારીનું વધુ એક જીવંત ઉદાહરણ બની રહ્યું છે.