ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે જ્યારે મનસુખ સાગઠિયા સહિત ત્રણ આરોપીના જામીન ફગાવી દીધા છે.
ગુજરાત હાઇકોર્ટે મનપાના પૂર્વ એટીપી રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને એન્જિનિયર જયદીપ ચૌધરીના જામીન મંજૂર કર્યા છે. જ્યારે મનસુખ સાગઠિયા, અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
- Advertisement -
ગત તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા. જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા, રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકર જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ રામજી મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલ વિગોરા, ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જીનીયર જયદીપ બાલુ ચૌધરી, રાજેશ નરશી મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવા ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો.
રાજકોટ TRP ગેમઝોનના સંચાલકો આરોપી ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર ધવલ ભરતભાઈ ઠક્કર તથા રેસવે એન્ટરપ્રાઈઝના ભાગીદારો અશોકસીહ જગદીશસિંહ જાડેજા, કીરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરણ, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીતભાઈ રાઠોડ તથા તપાસમા ખુલવા પામે તે તમામ સામે 50 મીટર પહોળુ અને 60 મીટર લાંબુ અને બેથી ત્રણ માળ જેટલુ ઊંચુ લોખંડ તથા પતરાનુ ફેબ્રિકેશનનું માળખુ ઉભું કરી ગેમઝોન બનાવવામાં આવ્યુ હતું. આ ગેમઝોનમાં આગ લાગવાની ઘટના ઘટતા ખ્યાલ પડ્યો કે, અહીં આગને ઠારવા માટેના કોઈપણ અસરકારક ફાયરના સાધનો નહોતા. ગઘઈ વગર જ આ જોખમી ગેમઝોન ધમધમતું હતું. પરિણામે આગની ઘટનાથી 27 નિર્દોષોએ જીવ ગુમાવ્યા. ગુનો કર્યા અન્વયે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ઙજઈં પ્રજ્ઞેશકુમાર ભીખાભાઈ ત્રાજીયાએ ફરીયાદ આપેલ હતી.