By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    3 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    3 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    3 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    3 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    3 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    4 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    4 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    4 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    4 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    5 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    6 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    6 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 6 કરોડના ખર્ચે નવા રંગરૂપ ધારણ કરતું હેમુ ગઢવી નાટ્યગૃહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 6 કરોડના ખર્ચે નવા રંગરૂપ ધારણ કરતું હેમુ ગઢવી નાટ્યગૃહ
રાજકોટ

6 કરોડના ખર્ચે નવા રંગરૂપ ધારણ કરતું હેમુ ગઢવી નાટ્યગૃહ

Khaskhabar Editor
Last updated: 2021/09/07 at 4:40 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

સરકાર થકી નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત નાટ્યગૃહમાં અનેક સુવિધાઓ વધારાઈ 

  • નવી આરામદાયક ખુરશી મુકાઈ, મુખ્ય અને મીની એમ બંને થીયેટરમાં નવી કાર્પેટ

  • નવી અદ્યતન સાઉન્ડ અને લાઈટ સીસ્ટમ 

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઇ રાજકોટને આપ્યું વધુ એક નઝરાણું: પત્રકાર પરિષદમાં માહિતી આપતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા 

ખાસ-ખબર સંવાદદાતા
માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં નાટ્ય મંચન કે પછી અન્ય કાર્યક્રમો માટે બધાનું માનીતું હેમુ ગઢવી નાટ્યગૃહે હવે નવા રંગરૂપ ધારણ કર્યા છે અને હવે ટૂંક સમયમાં અહી કાર્યક્રમો પણ શરુ થઇ જશે. રાજ્ય સરકાર દ્વારા નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત હેમુ ગઢવી નાટ્ય ગૃહનું આશરે 6 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે અને હવે કલાકારો ઉપરાંત દર્શકોને વધુ સુવિધા સાથેનું નાટ્યગૃહ ઉપલબ્ધ બન્યું છે.આ અંગે વિશેષ માહિતી આપવા માટે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદના બોલતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈને આ નાટ્યગૃહ નમૂનારૂપ બને તે માટે સતત માર્ગદર્શન આપ્યું હતું અને આજે અમને આનંદ છે કે, આ નાટ્ય ગૃહ રાજકોટની કલા પ્રેમી જનતાની સેવા કરવા માટે તૈયાર છે.
ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે, કોરોના અને નવીનીકરણની કામગીરીને કારણે હેમુ ગઢવી નાટ્યગૃહના બંને થીયેટર છેલ્લાં 18 માસથી બંધ હતા પરંતુ હવે આ નવીનીકરણ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, મોટાભાગે તા. 18 મી સપ્ટેમ્બરથી આ નાટ્યગૃહનું બુકિંગ શરુ કરવામાં આવશે.

Contents
સરકાર થકી નિર્મિત અને સરગમ કલબ દ્વારા સંચાલિત નાટ્યગૃહમાં અનેક સુવિધાઓ વધારાઈ નવી આરામદાયક ખુરશી મુકાઈ, મુખ્ય અને મીની એમ બંને થીયેટરમાં નવી કાર્પેટનવી અદ્યતન સાઉન્ડ અને લાઈટ સીસ્ટમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઇ રાજકોટને આપ્યું વધુ એક નઝરાણું: પત્રકાર પરિષદમાં માહિતી આપતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા 

તેમણે કહ્યું હતું કે, નવીનીકરણ પામેલા આ નાટ્યગૃહમાં આરામદાયક ખુરશીઓ નાખવામાં આવી છે એટલું જ નહી અદ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ નાખવામાં આવી છે. બંને થીયેટરમાં કાર્પેટ પણ બદલી નાખવામાં આવી છે. આ ઉપરાંત નવું કલરકામ, ગ્રીન રૂમમાં નવી સુવિધા, સ્ટેજ લાઈટ, એર કંડીશન સીસ્ટમ, એક્રોલીક વોલ પેનલિંગ અને એકોસ્ટિક સિલિંગ, સ્ટેજ ઉપર વુડન ફલોરિંગ, વોટર પ્રુફીંગ, નવી બુકિંગ ચેમ્બર, સહિતની અનેક નવી નવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

- Advertisement -

તેમણે ઉમેર્યું હતું કે, આ નવા અદ્યતન મેઈન થીયેટરનું ભાડું 10 હજાર રૂપિયા અને 20 હજાર રૂપિયા ડીપોઝીટ નક્કી કરવામાં આવ્યા છે. આ જ રીતે મીની થીયેટરમાં 4 હજાર રૂપિયા ભાડું અને 12 હજાર રૂપિયા ડીપોઝીટ નક્કી કરવામાં આવ્યા છે. ભાડા ઉપરાંત લેવાયેલી રકમમાંથી બિલ્ડીંગ જાળવણી, વીમો, હાઉસ ટેક્સ, લાઈટ-એ.સી.ઓપરેટીંગ ચાર્જ, માઈક, જનરેટર ઓપરેટીંગ ચાર્જ, સિક્યોરીટી ચાર્જ, વોટર ચાર્જ અને ગ્રાઉન્ડ ભાડું વસુલવામાં આવશે. આ નાટ્યગૃહ માટે સવારે 8 થી 1, બપોરે 2 થી 7 અને રાત્રે 8 થી 1 એમ ત્રણ શિફ્ટ માટે ભાડે આપવામાં આવશે. બુકિંગનો સમય સવારે 9 થી 1 અને 4 થી 7 નો રહેશે. કોઈ પૂછપરછ માટે ફોન નંબર 2465994 ઉપર સંપર્ક કરવાનો રહેશે. જો કે, બુકિંગ ફોન ઉપર નહી કરવામાં આવે અને નિયત ફોર્મ ભર્યું હશે તેનું બુકિંગ જ માન્ય ગણવામાં આવશે.

આ નાટ્યગૃહમાં કાર્યક્રમ યોજવા ઈચ્છતા લોકોએ મંડપ, ડેકોરેશન અને કેટરિંગની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. આ વ્યવસ્થા હેમુ ગઢવી નાટ્યગૃહના સંચાલક દ્વારા કરવામાં આવતી નથી તેમ જણાવતા ગુણવંતભાઈએ ઉમેર્યું હતું કે, લાઈટ, સાઉન્ડની વ્યવસ્થા ઉપલબ્ધ છે પણ જો કોઈને વધારાની જરૂરિયાત હોય તો બહારથી વ્યવસ્થા કરવાની રહેશે. ગ્રાઉન્ડમાં જમણવાર માટે લાઈટની વ્યવસ્થા ઉપલબ્ધ નથી તેથી આ વ્યવસ્થા બુકિંગ કરનાર પાર્ટીએ કરવાની રહેશે. જો જનરેટર મગાવવાનું થાય તો બુકિંગ કરાવનારે પોતે તેની વ્યવસ્થા કરવાની રહેશે.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સતત માર્ગદર્શન આપીને આ નવીનીકરણને અંતિમ રૂપ આપ્યું છે ત્યારે તેની યોગ્ય રીતે જાળવણી કરવી એ આપણા સૌની ફરજ છે. રાજ્ય સરકારે સરગમ કલબને છેલ્લાં 21 વર્ષથી આ નાટ્યગૃહનું સંચાલન સોપ્યું છે અને તાજેતરમાં જ વધારાના 10 વર્ષ માટે રીન્યુ કરી આપ્યું છે ત્યારે સરગમ કલબ શહેરની કલાપ્રેમી અને જુદી જુદી સંસ્થાઓનો આભાર પણ માને છે.

- Advertisement -

આ નાટ્યગૃહનાં નવીનીકરણમાં રાજ્ય સરકારના રમત ગમત અને યુવક સેવા સંસ્કૃતિક વિભાગના અધિક મુખ્ય સચિવ સી.વી.સોમ ( આઇએએસ) ઉપરાંત યુવક સેવા વિભાગના કમિશનર પી.આર.જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે.વાઘેલા, જિલ્લા રમત ગમત અધિકારી વી.પી.જાડેજા, પી.ડબલ્યુ.ડી (શહેર માર્ગ મકાન વિભાગ)ના કાર્યપાલક ઈજનેર નિતેશ કે.કામદાર, નાયબ કાર્યપાલક ઈજનેર રાજેશ્વરી નાયર, મદદનીશ ઈજનેર પારસ કોઠીયા વગેરેએ સતત જહેમત ઉઠાવી હતી.આ નાટ્યગૃહના મેનેજર તરીકે ભરતભાઈ સોલંકી તથા રાજેન્દ્રભાઈ શેઠ (ઇન્ચાર્જ) અને જયસુખભાઈ ડાભી (સહ ઇન્ચાર્જ) તરીકે સેવા આપશે. સંપૂર્ણ જવાબદારી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા સંભાળશે.

આ પત્રકાર પરિષદમાં સરગમ ક્લબના ચેરમેન વજુભાઈ વાળા સરગમ ક્લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ઉપરાંત સરગમ પરિવારના ચેરમેન-માર્ગદર્શક વજુભાઈ વાળા, અરવિંદભાઈ દોમડીયા, મૌલેશભાઈ ઉકાણી. સ્મિતભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, ટ્રસ્ટીઓ ખોડીદાસભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, અરવિંદભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ, વિનોદભાઈ પંજાબી, જયેશભાઈ વસા, શિવલાલભાઈ રામાણી ઉપરાંત નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, લલીતભાઈ રામજીયાની, કિરીટભાઈ આદ્રોજા, મનસુખભાઈ મકવાણા,. રમેશભાઈ અકબરી, મનસુખભાઈ ધંધુકિયા, અલ્કાબેન કામદાર, છાયાબેન દવે મધુરિકાબેન જાડેજા, મિતેનભાઈ મહેતા, ગીતાબેન હિરાણી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ અને જયસુખભાઈ ડાભી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોલીસે જાહેર કરી ગણેશોત્સવ અંગેની ગાઇડલાઇન
Next Article શિક્ષકો પણ સરકારનો જ ભાગ, 8 કલાકની ફરજ બજાવવી પડશે: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?