જૂનાગઢ લોકસભા ચૂંટણી સમગ્ર દેશમાં યોજાઈ રહી છે ત્યારે ગુજરાતની 26 બેઠકોની ચૂંટણી 7 મેના રોજ યોજાવાની છે જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની પ્રથમ મુલાકાતે આવી રહ્યા છે અને જૂનાગઢ લોકસભા સાથે 15 જેટલી વિધાનસભાના મત ક્ષેત્રોના લોકો માટે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગ રૂપે પ્રધાનમંત્રી આગામી તા.2 મેના રોજ કૃષિ યુનિવર્સીટી ખાતે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જાહેરસભા અનુસંધાને હેલિપેડ થી લઈને સભા સ્થળ સુધી ચુસ્ત બંદોબસ્ત જળવાઈ રહે તેના માટે પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સહીત પોલીસ અધિકરીઓએ સ્થળ નિરીક્ષણ કરીને રૂટ નિરીક્ષણની સમીક્ષા કરી હતી અને બંદોબસ્તમાં રોકાયેલ તમામ પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.