- ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા રદ્દ
રાજકોટમાં ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઇ, શહેરમાં નદી-નાળા બે કાંઠે વહેતા થયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા રદ્દ
રંગીલા રાજકોટ ઉપર મેઘમહેરને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ સાથે ભારે વરસાદને કારણે લાલપરી તળાવ ઓવરફ્લો થયું હતો. તો વળી ન્યારી ડેમમાં નવા પાણીની આવક થયા બાદ ડેમમાંથી પાણી છોડાયું હતું. ભારે વરસાદને કારણે રાજકોટ શહેરમાં નદી-નાળા બે કાંઠે વહેતા થયા હતા. વિગતો મુજબ આજે સવાર સુધીમાં રાજકોટમાં 6.5 ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું સામે આવ્યું છે. ડેમના દરવાજા ખોલાયા બાદ નજીકના ગામોને એલર્ટ કરાયા અને લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
રાજકોટમાં ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઇ છે. તો વળી સામે ન્યારી ડેમમાં નવા પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. વિગતો મુજબ ન્યારી-2 ડેમના 4 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા બાદ ડેમના નિંચાણવાળા વિસ્તારોને અલર્ટ કરાયા હતા. જેમાં ગોવિંદપુર,ખામટા,રામપર,વણપરી,તરધડીને અલર્ટ કરાયા બાદ લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના અપાઈ છે. આ સાથે રાજકોટમાં 6.5 ઇંચ જેટલો વરસાદ પડતાં રાજકોટ નજીકની લાલપરી તળાવ ઓવેરફ્લો થયું છે.
- Advertisement -
ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા રદ્દ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શહેરમાં વરસાદની પરિસ્થિતિ જોતા આજની પરીક્ષાઓ રદ કરી દીધી છે. ભારે વરસાદના કારણે રાજકોટ યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય કર્યો છે. યુનિવર્સિટી સંલગ્ન શાળા કોલેજોના આચાર્યઓને આ અંગે સૂચના પણ આપી દેવાઇ છે. જો કે, તમને જણાવી દઇએ કે, આજના દિવસની પરીક્ષાની નવી તારીખો બાદમાં જાહેર કરાશે.
રાજકોટમાં મૂશળધાર વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા
રાજકોટમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં રાજકોટમાં આજે 6.5 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેને કારણે રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસ્યા હતા. આજી નદીના પાણી મંદિર પરિસરમાં ઘૂસ્યા બાદ મુશ્કેલી સર્જાઇ હતી. સ્થાનિક સૂત્રો મુજબ રિવરફ્રંટ પ્રોજેક્ટમાં વિલંબ થતા આ વિકટ સ્થિતિ ઊભી થઈ છે. આ સાથે રાજકોટના વોર્ડ નંબર 14માં મહાકાલ ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે.
રાજકોટમાં આજે 6.5 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો
રાજકોટમાં આજ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવાર સુધીમાં રાજકોટમાં આજે 6.5 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેથી વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તમને જણાવી દઇએ કે, રાજકોટમાં ફરી વરસાદની શરૂઆત થઇ ચૂકી છે. રાજકોટમાં સતત વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાઇ ગયા છે. શહેરની ગાયત્રીધામ સોસાયટીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જામનગર રોડ પરની સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા છે તો માધાપર રોડ પર પણ પાણી ભરાઇ ગયા છે.