પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં આવેલા સંદેશખાલી ગામ આ દિવસોમાં ઘણું ચર્ચામાં છે. ગામની મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે, ટીએમસી નેતા શાહજહાં શેખે તેમની જમીન પર કબ્જો કરવાની સાથે-સાથે કેટલીક મહિલાઓની સાથે યૌન શોષણ કર્યું છે. બંગાળનું સમગ્ર રાજકારણ અત્યારે સંદેશખાલીની આસપાસ ભટકી રહ્યું છે. સંદેશખાલી રાજકારણનું યુદ્ધનું મેદાન બની ગયું છે. આની વચ્ચે, આજે મહિલાઓને કથિત રીતે શારિરિક શોષણ કરવાને લઇને દાખલ કરવામાં અરજી પર સુપ્રિમ કોર્ટે સુનાવણી કરશે. અરજીમાં ઘટનાની તપાસ અને ત્યાર પછી સુનાવણી પશ્ચિમ બંગાળથી બહાર કરવાની માંગણી કરી છે.
વકીલ આલોક અલખ શ્રીવાસ્તવની તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં સંદેશખાલીની પીડિતો માટે વળતરની માંગણી કરી છે. સાથે જ તેમની જવાબદારી સારી રીતે નિભાવવા માટે પશ્ચિમ બંગાળ પોલીસની સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે.
- Advertisement -
West Bengal Govt moves Supreme Court against Parliament Ethics Committee notices relating to Sandeshkhali incident in West Bengal.
The matter is likely to be mentioned in the Supreme Court for urgent listing today. pic.twitter.com/p0ZSNnlOUM
— ANI (@ANI) February 19, 2024
- Advertisement -
બે જજોની ખંડપીઠમાં સુનાવણી થશે
સંદેશખાલી કેસ પર દાખલ કરવામાં આવેલી અજી પર સુપ્રિમ કોર્ટમાં જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જોર્જ મસીહની પીઠ સુનાવણી કરશે. આ પહેલા રવિવિરના ઉત્પીડન કેસના મુખ્યમ આરોપીઓમાંના એક શિબૂ બાજરાને આઠ દિવસની પોલીસ અટકાયતમાં મોકલવાની સમાચાર સામે આવ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ નેતા શિબૂ હાજરાએ એક દિવસ પહેલા જ ધરપકડ કરી હતી. શિબૂને ધરપકડમાં મોકલવાનો નિર્ણય બશીરહાટ સબડિવિઝન કોર્ટેએ સંભળઆવ્યો. તેમની સામે સંદેશખાલીમાં જમીન કબ્જે કરવા અને મહિલાઓને શારિરિક શોષણના આરોપ લાગ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
જણાવી દઇએ કે, સંદેશખાલી જતા વખતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સુકાંત મજમૂદારને રોકવા પરની ઘટનાના કારણે સમગ્ર ઘટના દુનિયા સામે આવી હતી. મજમૂદાર પોલીસ અધિકારીની સાથેના ઘર્ષણમાં ઘાયલ થયા હતા. સંદેશખાલીના વિસ્તારમાં મોટી સંખ્યામાં મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસના મોટા નેતા શાહજહાં શેખ અને તેમના સમર્થકો પર જમીન કબ્જે કરવા અને મહિલાઓ સાથે શારિરિક શોષણનો આરોપ લગાવ્યા પછી તણાવ વધ્યો હતો.