ચૂંટણી હાર્યા કે જિત્યા બાદ વેરભાવ નથી રાખતા એવા ભીખાભાઇ જોષી સાથે ખાસ મુલાકાત
વર્તમાન સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ જીવનભરનાં વેરઝેર થઇ જાય છે. ચૂંટણી પછી વર્ષો સુધી લોકો સામ સામે બોલતા નથી હોતા. ચૂંટણી પછી ગામડામાં ભાગલા પડી જાય છે. આવી સ્થિતીમાં પણ યુવા નેતાઓ માટે પ્રેરણારૂપ છે જુના અને પીઢ રાજકારણી ભીખાભાઇ જોષી. સરપંચની ચૂંટણીથી રાજકારણમાં પ્રવેશ કરનાર ભીખાભાઇ જોષી દરેક ચૂંટણી ખેલદીલીથી લડ્યાં છે. ચૂંટણી હાર્યા બાદ પણ હરીફ ઉમેદવાર માટે મનમાં રાગદેષ રાખતા નથી. ચૂંટણી હાર્યા બાદ ઉમેદવારને અભિનંદન આપવા જાય છે. તેની સાથે પરિવાર જેવા સંબંધ રાખે છે. આવા જુની પેઢીનાં રાજકારણી ભીખાભાઇ જોષીની ખાસ ખબર સાથે વિશેષ મુલાકાત.
- Advertisement -
કોંગ્રેસનું ઋણ ઉતારવું છે, ભાજપમાં જવાનો નથી, આગામી ચૂંટણી હું જ લડીશ
રાજકારણમાં યુવાનો પ્રવેશી રહ્યાં છે. આજે અનેક ગામડાઓમાં યુવા સરપંચ છે. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં પણ યુવાનો છે. અનેક યુવા નેતાઓ રાજકારણમાં કામ કરી રહ્યાં છે. દર પાંચ વર્ષે ચૂંટણીઓ યોજાતી રહે છે. વર્તમાન સમયમાં ચૂંટણીઓનાં કારણે અનેક ગામમાં વેરઝેર થઇ ગયા છે. ભાઇ ભાઇ સામે બોલતો નથી. ગામડાઓમાં જ્ઞાતિનાં વાડા પડી ગયા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ મનદુ:ખ કાયમી રહે છે. વેરઝેરની ચૂંટણીથી ઉપર છે જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોષી. મેંદરડા તાલુકાનાં અમરાપુરમાં 1/9/1945માં બ્રાહ્મણ કુંટુંબમાં ભીખાભાઇ જોષીનો જન્મ થયો હતો. રાજાશાહીમાં જમીન મળી હોય પિતાજી પશુપાલન સાથે ખેતીનો વ્યવસાય કરતા. ભીખાભાઇ જોષીએ પ્રાથમિક શિક્ષણ સ્થાનીક કક્ષાએ પૂર્ણ કર્યું હતું. વિસાવદરમાં ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો અને રાજકોટમાં જુની એસસીસી સુધીનો અભ્યાસ કર્યો હતો.અહીં સુધી અભ્યાસ કરી ગામડે આવ્યા અને પિતાને વ્યવસાયમાં મદદરૂપ થવા લાગ્યાં. તે જ અરસામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવી. બસ અહીંથી ભીખાભાઇએ રાજકારણમાં પ્રવેશ કર્યો.
ચૂંટણી ખેલદિલીથી લડતા: ચૂંટણી હાર્યા બાદ હરીફ ઉમેદવારને અભિનંદન આપવા જતાં
- Advertisement -
ભીખાભાઈએ 25 વર્ષ ભાજપમાં કામ કર્યું : હવે જૂનાગઢમાં કૉંગ્રેસનાં ધારાસભ્ય
શરૂઆતનાં 25 વર્ષ ભાજપમાં કામ કર્યું હવે કોંગ્રેસનાં ધારાસભ્ય છે. ભીખાભાઇ જોષીએ કહ્યું હતું કે,તે સમયે નોકરી મળવી સરળ હતી. મારા હાથમાં નોકરીઓ ઓર્ડર હતો. અને ગામ કે તમારે સરપંચ બનવાનું છે. સવારે નિર્ણય કરવાનો હતો કે નોકરી કરવી કે સરપંચ બનવું. ગ્રામજનો કહેવાથી સરપંચ થયો. પ્રથમ વખત ચૂંટણી જિત્યો. અહીંથી રાજકીય સફર શરૂ થઇ. ભીખાભાઇ જોષીની ઉંમર 77 વર્ષની છે. આ ઉંમરે પણ યુવા નેતાઓને કરતા વધુ દોડી રહ્યાં છે. ભીખાભાઇ જોષી 25 વર્ષ સુધી ભાજપમાંથી ચૂંટણીઓ લડતા આવ્યાં હતાં. વર્તમાન સમયમાં તેવો કોંગ્રેસમાં છે. ભીખાભાઇએ કહ્યું હતું કે, કોંગ્રેસે મને 3 વખત ટીકીટ આપી છે. મારી પાસે કશુ ન હતું ત્યારે પણ કોંગ્રેસ સાથે રહી છે. હવે કોંગ્રેસનો ઋણ ઉતારવાનો સમય છે. જૂનાગઢમાં પહેલા મને ભાજપમાં આવવાની ઓફર કરાઇ હતી. પરંતુ મારે કોંગ્રેસનું ઋણ ઉતારવું છે. હું કોંગ્રેસમાં જ રહેવાનો છું. આગામી વિધાન સભાની ચૂંટણી પણ હું જ લડવાનો છું. મારા પુત્ર મનોજની વાતો ગામમાં થઇ રહી છે.પરંતુ ચૂંટણી તો હું જ લડી. વર્તમાન સમય અને તે સમયની ચૂંટણીઓમાં તફાવત શું ? તેના જવાબમાં ભીખાભાઇએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં વેરઝેર વધી રહ્યાં છે. ચૂંટણી પછી લોકો બોલતા હોતા નથી. ભાઇ ભાઇ પણ સામે સામે આવી જાય છે. આજે નેતાને મત નથી આપ્યા તો તે વિસ્તારમાં કામ નથી કરવું તેવો ભાવ નેતાઓમાં જોવા મળી રહ્યો છે. પરંતુ મારી વાત કરુ તો હું દેવાણંદભાઇ સામે ચૂંટણી હાર્યો હતો. અમે બન્ને ચૂંટણીમાં હંમેશા સામ સામે રહ્યાં હતાં. પરંતું અમાર પરિવાર વચ્ચે સારામાં સારા સંબંધ છે. હું ચૂંટણી હાર્યા બાદ હરીફ ઉમેદવારને અભિનંદન આપવા જતો હતો. જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપનું શાસન હોવા છતા દરેક કોર્પોરેટરને ગ્રાન્ટ માટે જાણ કરી હતી. લોકભાગીદારીનાં કામ માટે દરેક કોર્પોરેટરને ફોન કર્યા હતાં. લોકો મત આપે કે ન આપે સત્તામાં હોઇએ ત્યારે તેના કામ થવા જોઇએ. ભીખાભાઇ જોષી 1995માં ધારાસભ્ય બન્યાં હતાં. બાદ 1998માં પેટા ચૂંટણીમાં હાર થઇ હતી. 2002માં ફરી જીત્યા હતાં. 2007માં જૂનાગઢથી લડવાની ઇચ્છા હતી પરંતુ મહિલા ઉમેદવારને કોંગ્રેસે ટીકીટ આપી હતી. 2017માં જૂનાગઢમાંથી ધારાસભ્ય બન્યાં.
ઇશ્ર્વરમાં શ્રદ્ધા પણ મતદારને ઇશ્ર્વર માને
ભીખાભાઇ જોષીએ કહ્યું હતું કે, ઇશ્ર્વરમાં શ્રધ્ધા છે. પરંતુ મતદાર એ જ સાચો ઇશ્ર્વર છે. ઇશ્ર્વર પાસે ક્યારેય કશું માગ્યું નથી. ગત ચૂંટણીમાં લોકોને કહ્યું હતું કે, તમારા માટે રૂમાલ નહી પાથરું પણ તમારા કામ માટે લડતો રહીશ. મારા કામને લઇ કોઇ તંત્રએ રૂપિયા માંગ્યા નથી. કોઇ મારી સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ ન કરી શકે. ચૂંટણી પણ ઓછા ખર્ચમાં લડુ છું.
પાંચ વર્ષમાં 100 ટકા ગ્રાન્ટ વાપરી, 98 કરોડના રસ્તા ગામડાંમાં મંજુર કરાવ્યાં
ભીખાભાઇ જોષીએ કહ્યું હતું કે, શહેર કરતા ગામડામાં રસ્તા સારા છે. 98 કરોડનાં રસ્તાનાં કામ મંજુર કરાવ્યાં છે. ધારાસભ્યની 100 ટકા ગ્રાન્ટ વાપરી છે. જૂનાગઢ શહેરમાં લોકભાગીદારી માટે 2 કરોડ આપવાનું કહ્યું હતું.ભાજપનાં શાસકો માન્ય હોત તો 10 કરોડનાં કામ થવાનાં હતાં. સ્થાયી સમિતીએ લોકભાગીદારીની દરખાસ્ત ઉઠાડી દીધી હતી. તમામ કોર્પોરેટરેને ફોન કરી વિકાસ માટે જરૂરી મદદ કરવા કહ્યું છે. જૂનાગઢ શહેરને ખુબ જ ગ્રાન્ટ મળે છે. પરંતુ અનઘડ વહીવટનાં કારણે જૂનાગઢનો વિકાસ થતો નથી.
સંયુકત પરિવાર, દરેક પ્રસંગે હાજર રહેવું, ખેતી મુખ્ય વ્યવસાય
ભીખાભાઇ સયુકત પરિવારમાં રહે છે. પરિવાર માટે પુરતો સમય આપે છે. જૂનાગઢ કે મેંદરડામાં કોઇ પણ જાણીતી વ્યકિતનાં સારા અને નરસા પ્રસંગમાં હાજર રહે છે. જન્મ દિવસ હોય કે કોઇ પણ નાનો કે મોટો પ્રસંગ હોય ભીખાભાઇની હાજરી અવસ્ય હોય છે. રાજાશાહીનાં વખતની જમીન છે. ખેતી મુખ્ય વ્યવસાય છે. પુશપાલન પણ જેતે સમય કરતા હતાં. જૂનાગઢની ચૂંટણી જત્યા બાદ ખેતીમાં ઓછી ધ્યાન આપવા લાગ્યાં છે. તેમજ કોરોના કાળ દરમિયાન અમિતભાઇ પટેલ અને ભીખાભાઇએ સાથે મળી ભોજનની વ્યવસ્થા કરતા હતાં. જૂનાગઢ,મેંદરડા,માળિયામાં ધાર્મિક,સામાજીક પ્રસંગોમાં તેમની હાજરી હોય છે. હંમેશા લોકોને વચ્ચે રહેવાનું પસંદ કરે છે.
આજે જે કંઇ છે તે જેઠાભાઇ પાનેરાનાં કારણે છે
ભીખાભાઇ જોષી જૂની પેઢીનાં રાજકારણી હોય કોઇનો ઉપકાર ભુલતા નથી. તેમણે કહ્યું હતું કે, 1985માં માળીયા-મેંદરડાથી જેઠાભાઇ પાનેરા ચૂંટણી લડતા હતાં. તેમણે મને કહ્યું કે મને મદદ કરો તો હું જીતી જાવ. પરંતુ અમે મદદ કરી નહી અને તે હારી ગયા. મારી જમીન ઉપર 7 લાખ રૂપિયાનું કરજ હતું. પરંતુ જેઠાભાઇ બેંકમાં આવ્યા અને મૂળ રકમ જ લીધી. જેઠાભાઇએ આમ ન કર્યું હોત તો શાયદ આજે મારી પાસે કશું બચ્યું ન હોત.
1998માં પેટા ચૂંટણીની રસપ્રદ વાત, ભાભી સુત્ર
વર્ષ 1998ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની રસપ્રદ વાત કરતા ભીખાભાઇ જોષીએ કહ્યું હતું કે, ત્યારે ભાવનાબેન ચૂંટણી લડતા હતાં. હું વિધાનસભાની પેટા ચૂંટણી લડતો હતો. બન્ને સામ સામ પક્ષમાં હતાં. એક બીજાને મદદ કરવાની વાત હતી. ક્રોસ વોટીંગ માટે પ્રચાર થતો હતો. ભાભી સુત્રને લઇ પ્રચાર કરતા હતાં. ભાભીનો અર્થમાં ભા એટલે ભાવનાબેન અને ભી એટલે ભીખાભાઇ. જોકે આ પેટા ચૂંટણી હું હારી ગયો હતો.