આંતરરાજ્ય ભૂતિયા વાહન કૌભાંડમાં રાજકોટ RTOની પણ ભૂંડી ભૂમિકા
આરટીઓના સૌથી મોટા આંતરરાજ્ય ભૂતિયા વાહન કૌભાંડમાં રાજકોટ આરટીઓની પણ ભૂંડી ભૂમિકા હોવાનું માલૂમ પડ્યું છે. કારણ કે, અરુણાચલપ્રદેશના બસ-ખટારા રાજકોટ આરટીઓમાં પાર્સીંગ કરવામાં આવ્યા છે. જે બસ-ખટારાનું અસ્તિત્વ જ નથી તે બસ-ખટારાને સરકારી ચોપડે ચઢાવવામાં રાજકોટ આરટીઓના કેટલાંક અધિકારીઓનો હાથ છે. રાજકોટ આરટીઓના અધિકારીઓએ ભૂતિયા વાહનોને સરકારી ચોપડે ચઢાવવા સુરતના ઈર્શાદ પઠાણ અને રાજકોટના ભોલુગીરી ગોસ્વામી પાસેથી પૈસા લઈ આખો પ્લાન ઘડ્યાનું જણાય રહ્યું છે, જો રાજકોટ આરટીઓના અધિકારી ભૂતિયા વાહનોને કાયદેસર કરવાના ષડ્યંત્રમાં સાથ ન આપતા તો બેંકોને કરોડોને ચૂનો લાગતા બચી જતો એટલું જ નહીં વાહનનું વેલ્યુએશન કાઢનારા પણ ખોટી રીતે ફસાતા નહીં. ઉલ્લેખનીય છે કે, અરુણાચલપ્રદેશના આરટીઓ અધિકારી અગાઉથી જ સુરતના ક્રિમિનલ માસ્ટરમાઈન્ડ ઈર્શાદ પઠાણ સાથે ભૂતિયા વાહનના કૌભાંડમાં સંકળાયેલા હતા. રાજકોટમાં પણ આ કૌભાંડ કરવામાં રાજકોટ આરટીઓ અધિકારીઓનો સાથ-સહકાર લેવામાં આવ્યો છે. રાજકોટ આરટીઓ અધિકારીની ગેરરીતિ વગર ભૂતિયા વાહનોનું રાજકોટ આરટીઓમાંથી પાર્સીંગ જ શક્ય નથી. રાજકોટ આરટીઓ અધિકારીઓએ બહુ જ ચતુરાઈપૂર્વક પડદા પાછળ રહી રાક્ષસી ભૂમિકા ભજવી છે અને એટલે જ તેઓ આજ સુધી પોલીસની પકડથી દૂર છે પણ હવે ટૂંકસમયમાં આ સમગ્ર કૌભાંડમાં તેમણે કરેલા કારનામાઓ પણ સામે આવશે એ સ્પષ્ટ છે.

ભૂતિયા વાહનોને સરકારી ચોપડે ચઢાવવા રાજકોટ RTOના અધિકારીઓએ ભોલુગીરી પાસેથી પૈસા લઈ આખો પ્લાન ઘડ્યો હતો?
- Advertisement -
GJ03BV8520 રાજકોટ RTOમાં પાર્સીંગ થયેલા આ વાહનના કાગળો રાજકોટ RTO પાસેથી જ ગાયબ છે!
સુરતના ઈર્શાદ પઠાણે આચરેલા કરોડોના ભૂતિયા વાહન કૌભાંડ અંગે રાજકોટ આરટીઓ પાસે માહિતી માંગવામાં આવી, રાજકોટ આરટીઓ કહ્યું, કાગળોની શોધખોળ ચાલુ છે, રાજકોટ આરટીઓને છેલ્લા દસ મહિનાથી પાર્સીંગ કરેલા વાહનોના કાગળ મળતા નથી!? આરટીઓમાં વાહન રજીસ્ટ્રેશન કરવાના સમયે જે-તે કંપનીના વાહનનું ઓરિજિનલ ઈન્વોઈસ અથવા બિલ તેમજ ચેસીસ નંબરવાળું વાહન આરટીઓ ઈન્સ્પેક્ટર પાસે વેરીફાઈ કરાવવું ફરજીયાત છે. આરટીઓએ જાણીજોઈને વાહન વેરીફાઈ કરવામાં ગોટાળા કર્યા છે, તો પછી આરટીઓ અધિકારીઓ ઉપર એફઆરઆઈ કેમ નથી નોંધાઈ!? ફાઈનાન્સ કંપની કે બેંક જે લોન આપે છે તે લોન કસ્ટમરના આઈટી રીટર્ન અને બેંક સ્ટેટમેન્ટ તથા સિબિલ રિપોર્ટના આધારે અપાતી હોય છે, વેલ્યુઅરના વેલ્યુએશનને આધારે નહીં, તો પછી જ્યારે ફાઈનાન્સ કંપની કે બેંકે લોન લઈ ભરપાઈ ન કરનારને ગુનેગાર ગણાવવા જોઈએ કે પછી વાહનનું વેલ્યુએશન કાઢનાર વેલ્યુઅરને!? જે વાહનનું વેલ્યુએશન કાઢવામાં આવ્યું હતું તે વાહન પ્રત્યક્ષ દર્શાવવામાં આવ્યું હતું અને તેની ખરાઈ પણ કરવામાં આવી હતી. લોન થયા બાદ વાહનની ઓળખ એટલે કે નંબર પ્લેટ તથા ચેસીસ નંબર બદલવામાં આવતા લોન થયેલા વાહન ભૂતિયા થઈ ગયા અને સમગ્ર દોષનો ટોપલો વેલ્યુઅરો પર ઢોળી દેવામાં આવ્યો, શું કૌભાંડીઓ સાથે ફાઈનાન્સ કંપની – બેંકની પણ મિલીભગત છે!?
ભોલુગીરી ગોસ્વામીની ગઠિયાગીરીથી ફસાયેલા વેલ્યુઅરોએ કૌભાંડીને કડક સજા થાય તેવી માંગણી કરી
રાજકોટ અને અમદાવાદમાં બોગસ આરસી બૂક અને બોગસ વીમા પોલીસીના આધારે બેંક અને ફાઈનાન્સ કંપનીમાંથી ર8 લકઝરી બસ માટે ચાર કરોડ છ લાખની લોન લઈ તેને ઓળવી જનાર રાજકોટની ખોડીયાર ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી ભાણગીરી ગોસ્વામીને રાજકોટ આરટીઓના અધિકારીઓ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. ભૂતિયા વાહનોને કાયદેસર કરાવવામાં ભોલુગીરીએ આરટીઓ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી હોવાનું રાજકોટના એક વાહન વેલ્યુએશન કરનાર પાસેથી જાણવા મળ્યું છે. કરોડો રૂપિયાના ભૂતિયા વાહન કૌભાંડમાં વાહનોનું વેલ્યુએશન કરનાર વેલ્યુઅરોને ખોટી રીતે ફસાવી દેવા બાબતે ઉપરાંત બેંક – ફાઈનાન્સ કંપનીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનાર ભોલુગીરી ગોસ્વામી સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી વાહનોનું વેલ્યુએશન કરનારા વેલ્યુઅરોની માંગણી છે. ભોલુગીરી ગોસ્વામી ચાલાક, ચતુર અને એક નંબરનો ચાલબાજ છે જેણે ભૂતિયા વાહનોનું કૌભાંડ કરી નિર્દોષ વ્યક્તિને ફસાવી દીધા છે.
- Advertisement -
RTO ભૂતિયા વાહન કૌભાંડમાં સામેલ ન હોય તો આ સવાલના જવાબ આપે..
1 ભૂતિયા વાહનનું રેજીસ્ટ્રેશન ગાડી વગર આરટીઓમાં કઈ રીતે થાય?
2 વાહન વગર ગાડીની પરમિટ કઈ રીતે આવી?
3 વાહન વગર ગાડીની ફિટનેસ કઈ રીતે નીકળી?
4 વાહન વગર ગાડીનો ટેક્સ કઈ રીતે ભરાયો?
5 વાહન વગર પી.યુ.સી. કઈ રીતે આવ્યુ?
6 વાહન તથા પી.યુ.સી વગર નામ કઈ રીતે ટ્રાન્સફર થયા?
7 વાહન વગર તથા વાહનના ફોટા વગર ગાડીનો વીમો કઈ રીતે ઉતારવામાં આવ્યો?
8 વાહન વગર આરટીઓમાં હાયપો એટલે કે બોજો કઈ રીતે ચઢ્યો?
9 અરુણાચલપ્રદેશના પાર્સીંગવાળી ગાડી ગુજરાત પાર્સીંગ થયા વિના રાજકોટમાં લોન કઈ રીતે શક્ય બની?
10 શું લોન લેનાર વ્યક્તિ ગુજરાતના વતની હોવા છતાં ભાડાકરારથી અરુણાચલ પ્રદેશના છે તેવું સાબિત કરી ગેરકાયદે લોન આપવામાં આવી?
ભૂતિયા વાહન પાર્સીંગ અંગે રાજકોટ આરટીઓમાં આજથી દસ મહિના અગાઉ એક આરટીઆઈ કરવામાં આવી હતી અને આઠ મહિના અગાઉ રાજકોટ આરટીઆઈ તરફથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, જે વાહનના કાગળોની માહિતી માંગવામાં આવી છે તે કાગળોની શોધખોળ ચાલુ છે. ૠઉં03ઇટ8520 રાજકોટ આરટીઓમાં પાર્સીંગ થયેલા આ વાહનના કાગળો રાજકોટ આરટીઓ પાસેથી જ ગાયબ છે! આ પરથી સમજી શકાય છે કે, આરટીઓના ભૂતિયા વાહનોના કૌભાંડોમાં રાજકોટ આરટીઓ પણ ભૂંડી રીતે સંકળાયેલું છે. ખાસ-ખબરમાં છેલ્લા ત્રણ દિવસથી આરટીઓના ઈતિહાસનું આજ સુધીનું સૌથી મોટી અને વિચિત્ર ભૂતિયા વાહનોના કૌભાંડનો પ્રકરણવાર પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. આજ સુધીમાં આપણે જોયું કે કે, અરૂણાચલપ્રદેશના આરટીઓ અધિકારી નાહર લૂંગણની મદદથી ત્યાનાં પાટનગર ઈટાનગરના ડિસ્ટ્રીકટ ટ્રાન્સપોર્ટ ઓફિસર રેમર ગેબએ 500 જેટલા હેવી વ્હીકલ કે જેનું અસ્તિત્વ જ ન હતું, તેની પોતાની જ કચેરીમાંથી આરસી બૂક બનાવી, બનાવટી આરસી બૂક સુરતના ઈર્શાદ પઠાણને વેંચી દીધી હતી અને ત્યારબાદ આ આરસી બૂક પરથી ઈર્શાદ પઠાણે બિનહયાતી વાહનોના ડોક્યુમેન્ટથી માંડી વીમા સહિતના કાગળો બોગસ બનાવી નાખ્યા હતા અને લોનધારકના નામે બેંકોમાંથી વ્હીકલ લોન પાસ કરાવી આપી હતી. આ કૌભાંડનો એક મુખ્ય સૂત્રધાર રાજકોટનો ભોલુગીરી ગોસ્વામી પણ છે. સુરતના ઈર્શાદ પઠાણ અને રાજકોટના ભોલુગીરી ગોસ્વામીએ રાજકોટ સહિત અમદાવાદ, વડોદરા, સુરતમાં લકઝરી બસો કે ખટારા જેવા મોટા હેવી વ્હીકલ્સની નકલી આરસી બૂક્સ તેમજ અન્ય દસ્તાવેજી પુરાવાઓ બેંકો, ફાઈનાન્સ કંપનીઓમાં મૂકી અલગ અલગ લોન મેળવી કરોડોનું કૌભાંડ આચર્યું અને આ આ સમગ્ર કૌભાંડમાં વાહનોની લોન પ્રક્રિયામાં વાહનનું વેલ્યુએશન કાઢનાર વેલ્યુઅરોનો ભોગ લેવાઈ ગયો હતો. હકીકતમાં આ કૌભાંડના મૂળિયા આરટીઓ કચેરીમાં આરટીઓ અધિકારી સાથે જોડાયેલા છે.



