કેન્સરપીડિત બાળકો, વૃદ્ધાશ્રમ ખાતે ભોજન , અબોલ જીવોને ઘાસચારો ખવડાવી સેવાનું પ્રેરણાદાયી કાર્ય કરી પુત્ર યુવરાજના જન્મ દિવસની ઉજવણી કરી. હારીજ જલિયાણ ગ્રુપ પરિવાર મિતેશભાઈ ઠક્કરના મોટા પુત્ર યુવરાજના 26 માં જન્મ દિવસ નિમિત્તે પરિવાર સાથે અમદાવાદ ખાતે આવેલ સક્ષમ ફાઉન્ડેશન, અન્નપૂર્ણા વૃદ્ધાશ્રમ, ઉડાન આશ્રમ કેન્સર પીડિત બાળકો, સાંત્વન દિવ્યાંગ દીકરીઓની સંસ્થાઓમાં સવારે નાસ્તો, બપોરનું ભોજન પીરસી જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી. અન્નપૂર્ણા વૃધ્ધાશ્રમ ખાતે આશરો લઈ રહેલા દાદા દાદીના આશીર્વાદ સાથે વડીલોની વચ્ચે રહી જલિયાન પરિવારે દીકરા યુવરાજના જન્મ દિવસની કેક કાપી ઉજવણી કરી હતી વડીલ દાદા દાદીઓના ચહેરા પર ખુશીની મુસ્કાન જોવા મળી હતી તમામ દાદા દાદીએ જલિયાન પરિવારને અંતરના આશીર્વાદ આપ્યા હતા. સાથે અબોલ જીવોને ઘાસ ચાર માટે ગૌ શાળામાં રોકડ રકમનું દાન અર્પણ કર્યું હતું વધુમાં જલિયાન ગ્રુપ ફરશુરામભાઈ ડાયાલાલ ઠક્કર પરિવાર મિતેશભાઈ, શૈલેષભાઇ, નિલેશભાઈ સહયોગ થકી હર હમેશ પોતાના વતન માટે સેવાનો યજ્ઞ ચલાવી નાત જાતનો ભેદ રાખ્યા વગર કોઈ પણ જરૂરિયાત મંદ પરિવારને પોતાની યથા શક્તિ મદદ કરી લોકોના હૃદય સમ્રાટ બની લોક સેવામાં સહભગી બની પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે.
હારીજ જલિયાણ ગ્રુપ પરિવારે પુત્રના 26મા જન્મદિવસની અનોખી ઉજવણી કરી

Follow US
Find US on Social Medias