ગુજકેટની પરીક્ષા એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે 1,37,000 વિદ્યાર્થીઓ આપશે ગુજકેટની પરીક્ષા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
ગુજરાત રાજ્યમાં 31 માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાશે. જેમાં ગુજકેટની પરીક્ષા એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે હોય છે. તથા 1,37,000 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. અમદાવાદમાં 70થી વધુ કેન્દ્રમાં પરીક્ષા યોજાશે. તથા ગુજકેટની પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો ઈઈઝટથી સજ્જ થયા છે.
રાજ્યમાં 31 માર્ચે 34 કેન્દ્રો પરથી 1.37 લાખ વિદ્યાર્થી ગુજકેટ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેવાના છે. આ તમામ પરીક્ષા કેન્દ્રો ઈઈઝટથી સજ્જ હોય તેની ચકાસણી કરવા પણ સ્થળ સંચાલકોને તાકીદ કરાઈ છે.
- Advertisement -
સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન ગુજકેટ લેવામાં આવનાર છે. ગુજકેટને લઇને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ગુજકેટ અન્વયે શાળાના આચાર્યોને સ્થળ સંચાલક તરીકેના આદેશ કર્યા છે. સ્થળસંચાલક તરીકે શાળાના આચાર્યએ જ ફરજ નિભાવવાની રહેશે, અન્ય કર્મચારીને કામગીરી સોંપી શકાશે નહીં. નજીકના કોઈ સગા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષામાં ઉપસ્થિત થનાર નથી તે શરતે નિમણૂક સોંપઈ છે. પરીક્ષા સ્થળની ચકાસણી કરી યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.
પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાની કામગીરી માટે જરૂરી સ્ટાફની નિમણૂક સ્થળ સંચાલકે કરીને જિલ્લા શિક્ષણાધિકારી કે બીટ નિરીક્ષક પાસે 3 દિવસમાં બહાલી મેળવવાની રહેશે. બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સ્થળસંચાલક તરીકેની ફરજોનો અભ્યાસ કરી તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રના ઈઈઝટ ચાલુ રહે અને તે માટે પરીક્ષા પહેલા ચકાસણી કરાવી લેવાના રહેશે અને રેકોર્ડિંગ સમયસર લેવાનું રહેશે.