છેવાડાનાં ગામથી લઈ છેક શહેરો સુધી ઉત્તરોત્તર વિકાસ થાય તેવું બજેટ
ઐતિહાસિક બજેટ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અભિનંદન: નીતિન ભારદ્વાજ
બોટાદ, જામખંભાળિયા, વેરાવળમાં મેડિકલ કોલેજો શરૂ કરવા સાથે જસદણ, લિંબાયત, પાલિતાણા, બગસરામાં નવી કોલેજો શરૂ કરવાની જાહેરાત ઉપરાંત સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બીલીમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઊભી કરવાની ઘોષણા આવકારદાયક
- Advertisement -
વર્ષ 2022-23નાં રાજ્ય સરકારનાં બજેટને આવકારતા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું છે કે, ગુજરાત અને ગુજરાતી જનતા વૈશ્વિક પ્રવાહો સાથે કદમથી કદમ મિલાવી રહે તેવી જોગવાઈઓવાળુ સર્વાંગી અને સમતોલ વિકાસની દૃષ્ટિ સાથે સમાજનાં દરેક વર્ગોની દરકાર લેતું અને વિકાસની અનેક તકોનું સર્જન કરતું સર્વસમાવેશી અને ઐતિહાસિક બજેટ આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અભિનંદન. વર્તમાન ભાજપ સરકારનું બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના સ્વપ્નના ગુજરાતનું નિર્માણ કરનારુ બજેટ બની રહેશે એમા કોઈ બેમત નથી. તમામ વર્ગ અને વયના લોકોને ધ્યાનમાં રાખી રજુ કરાયેલું બજેટ સર્વે સમાજ અને સમગ્ર રાજ્યની સુખ, શાંતિ, સંપત્તિ, સુરક્ષા, સમૃદ્ધિમાં વધારો કરશે.
ગુજરાત ભાજપ પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકારના બજેટમાં નાનાં શહેરો અને ગામોને પાયાથી લઈ ટોચની સુવિધા મળે સાથે છેવાડાનાં ગામથી લઈ છેક શહેરો સુધી ઉત્તરોત્તર વિકાસ થાય તેવું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બોટાદ, જામખંભાળિયા, વેરાવળમાં મેડિકલ કોલેજો શરૂ કરવા સાથે જસદણ, લિંબાયત, પાલિતાણા, બગસરામાં નવી કોલેજો શરૂ કરવાની જાહેરાત ઉપરાંત સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ, નવસારી જિલ્લાના બીલીમોરામાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ઊભી કરવાની ઘોષણા આવકારદાયક છે. 4 હજાર ગામોને ફ્રી વાઇફાઈની સુવિધા અપાવાનો નિર્ણય પણ યુવાનો અને વિદ્યાર્થીઓમાં માટે લાભદાયી બની રહેશે, સૌરાષ્ટ્રના મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થાપવામાં આવશે જેથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોથી લઈ નાનામાં નાના કામદાર માટે પણ આવકના સ્ત્રોતમાં વધારો થશે. આ સિવાય વર્તમાન કરમાળાખામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો તથા નવા કોઈ કરવેરા નાખવામાં નથી આવ્યા જે પણ રાજ્ય સરકારનું બિરદાવવાલાયક પગલું છે. કોરોનાકાળમાં આ પ્રકારનું બજેટ સામાન્ય જનને જોમ-જુસ્સો પૂરો પાડશે.
કૃષિ વિભાગ માટે રૂ.7737 કરોડ, જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5339 કરોડ, પાણી પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડ, આરોગ્ય વિભાગ માટે રૂ.12240 કરોડ, શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડ, મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.500 કરોડ, ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડ ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ, ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જોગવાઈ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ વગેરે અલગ-અલગ ક્ષેત્રો કરેલી હજારો-કરોડો રૂપિયાની જોગવાઈ વર્તમાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના બજેટમાં કરવામાં આવી છે. આ બજેટ ખરા અર્થમાં વાસ્તવદર્શી અને વિકાસલક્ક્ષી બજેટ છે.
- Advertisement -
ગુજરાતના વિકાસને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટેના રોડ મેપ સમાન આ બજેટ સર્વસ્પર્શી, સર્વવ્યાપી અને સર્વ હિતકારી બજેટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આગળ ધપાવશે તેવું વર્તમાન બજેટ પરથી દર્શાય આવે છે. ભાજપા સરકારે વર્ષ 2022-23ના બજેટમાં તમામ વર્ગોની ચિંતા કરી છે. કૃષિ વિકાસ, આરોગ્ય સેવા, યુવા રોજગાર, મહિલા સશક્તિકરણ તેમજ ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક-સામાજીક સુખાકારીને પ્રાધાન્ય આપતું જનહિતલક્ષી બજેટ રજૂ કર્યું છે જે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું એવું અંતમાં નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું.


