વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (ટૠછઈ) કચ્છ અને સૌરાષ્ટ્ર ઉજાગર કરશે
સી-વીડની ખેતી માટે દરિયાકાંઠાના સમુદાયોને આપવામાં આવે છે વિશેષ તાલીમ
- Advertisement -
કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને મોરબીમાં સરકાર સમયાંતરે તાલીમ વર્ગો યોજે છે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (ટૠછઈ)ની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે, જે 10 થી 12 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાશે. આ કોન્ફરન્સની સાથે જ 10 થી 13 જાન્યુઆરી, 2026 દરમિયાન તે જ સ્થળે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (ટૠછઊ) પણ યોજાશે, જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, ખજખઊ, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉચ્ચ પ્લેટફોર્મ પ્રદાન કરશે. ઉલ્લેખનીય છે કે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં યોજાનારી આગામી ટૠછઈ સીવીડ ફાર્મિંગ ક્ષેત્રે કચ્છની સિદ્ધિને પ્રદર્શિત કરશે. કચ્છના કિનારાથી લઈને દેવભૂમિ દ્વારકા નજીકની ઊંડી ખાડીઓ સુધીના અંદાજિત 430 કિમી વિસ્તારમાં સી-વીડની ખેતી ઝડપથી વિકાસ પામતા ક્ષેત્રમાં પરિવર્તિત થઈ રહી છે. આ સીવીડની ખેતી માછીમાર પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે સાથે દેશની બ્લૂ ઇકોનોમીને મજબૂત બનાવી રહી છે.
દરિયાઈ સીવીડની ખેતી દરિયાકાંઠાના સમુદાયો માટે જીવનરેખા સાબિત થઈ રહી છે. ચોમાસામાં માછીમારી-પ્રતિબંધિત સમયગાળા દરમિયાન સીવીડ ઉત્પાદનની પ્રવૃત્તિ આવક પ્રદાન કરે છે. ગુજરાતમાં સીવીડ ઉત્પાદન સતત વધી રહ્યું છે. સીવીડ ઉત્પાદનના આંકડાઓ પર નજર નાખીએ તો, વર્ષ 2023-24 દરમિયાન કચ્છમાં સી-વીડની 14 ટન ખેતી કરવામાં આવી હતી. જેમાં મહિલા સ્વ-સહાય જૂથો સી-વીડની ખેતી અને તેની સૂકવણીમાંથી દર મહિને રૂ.12,000-રૂ.18,000 કમાય છે. આ ખેતી પર્યાવરણને અનૂકુળ કામ કરવા માંગતી પેઢીઓને આકર્ષે છે અને પરંપરાગત માછીમારી પર દબાણ ઘટાડે છે. સીવીડની ખેતી માટે દરિયાકાંઠાના સમુદાયોને તાલીમ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કચ્છના 17 ગામોમાં મોટી સંખ્યામાં લોકોને તાલીમ આપવામાં આવી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને મોરબીમાં સમયાંતરે તાલીમ વર્ગો યોજાતા રહે છે. ઉલ્લેખનીય છે કે, સીવીડ ફાર્મિંગ એક સમયે ફક્ત થોડા દરિયાકાંઠાના સમુદાયો દ્વારા કરવામાં આવતી એક વિશિષ્ટ પ્રવૃત્તિ હતી તે આજે સરકાર-સમર્થિત, સંશોધન-સંચાલિત ચળવળ બની ગઈ છે. નવી નીતિઓ, તકનીકી નવીનતા અને ૠઈંજ મેપિંગ સાથે, ગુજરાતમાં સીવીડની ખેતી અભૂતપૂર્વ વેગ મેળવી રહી છે.
- Advertisement -
શું છે સી-વીડ અને તેની ઉપયોગિતા?
સીવીડ એક પ્રકારનો દરિયાઈ શેવાળ છે, જેનો ઉપયોગ સદીઓથી ખાદ્ય અને ઔષધીય હેતુઓ માટે થાય છે. સીવીડ વિટામિન્સ, ખનિજો (ખાસ કરીને આયોડિન), ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો, હૃદયનું સ્વાસ્થ્ય, થાઇરોઇડ કાર્ય અને સંભવિત વજન વ્યવસ્થાપન જેવા ફાયદાઓ પ્રદાન કરે છે. સીવીડનો તેનો ઉપયોગ પોષક તત્વોથી ભરપૂર ખોરાક અને કાર્યાત્મક ઘટક તરીકે થાય છે, જે બળતરા વિરોધી, કેન્સર વિરોધી અને બ્લડ શુગરના નિયમન માટેના સંયોજનો પૂરા પાડે છે.
રાફ્ટ યુનિટનો ખર્ચ રૂ.3,000થી વધારી રૂ.6,000 કરાયો
સીવીડને મેરીકલ્ચર વિઝનના મુખ્ય સ્તંભ તરીકે માન્યતા આપીને ગુજરાત સરકારે વિકસિત ગુજરાત ફંડ હેઠળ અનેક સુધારાઓ અમલમાં મૂક્યા છે. આ પહેલ હેઠળ ખેતી સહાયથી લઈને પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી છે. અત્યાર સુધી રાફ્ટ યુનિટનો ખર્ચ રૂ.3,000ની મર્યાદામાં આપવામાં આવતો હતો, તે વધારીને રૂ.6,000 કરવામાં આવ્યો છે. ટ્યુબ-નેટ યુનિટનો ખર્ચ રૂ.8,000થી વધારીને રૂ.25,000 કરવામાં આવ્યો છે. આખા વર્ષ દરમિયાન સીવીડ બીજ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે સીવીડ બેંક યુનિટ્સ માટે રૂ.2 કરોડ આપવામાં આવશે, તેમજ મીઠાના અગર, કેરેજીનન, અલ્જીનેટ અને બાયો-ઉત્તેજકો કાઢવા માટે સીવીડ પ્રોસેસિંગ યુનિટ માટે રૂ.5 કરોડ આપવામાં આવશે. કામધેનુ યુનિવર્સિટી હેઠળ ઓખા ખાતે સીવીડ સંશોધન અને ઉપયોગિતામાં શ્રેષ્ઠતા કેન્દ્ર માટે રૂ.6 કરોડ ફાળવવામાં આવશે.



