સમાજના આગેવાને ધર્માધિકારીની ભૂમિકા નિભાવવાના બદલે લાગતા-વળગતાઓને આગળ કરી મુખ્ય દાતાઓને નીચા દેખાડવા કરેલા પ્રયાસોના પ્રકરણમાં નવો વળાંક
વિમલભાઈ ચાવડા દ્વારા જ્ઞાતિના આગેવાનો વિરૂદ્ધ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફોજદારી ફરિયાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
શ્રી ગુજરાતી મચ્છુ કઠિયા જ્ઞાતિ, રાજકોટ (સહયોગવાડી 15-6 ભક્તિનગર સોસાયટી, ધર્મજીવનદાસજી માર્ગ, ઢેબર રોડ, રાજકોટ)ના ટ્રસ્ટી, પ્રમુખ સહિતના હોદ્દેદારો તરીકે કાર્યરત આગેવાનો દ્વારા જ્ઞાતિના વિવિધ કાર્યક્રમોમાં તેમજ નાણાંકિય વહિવટમાં મનસ્વી રીતે ચલાવતા હોવા અંગે જ્ઞાતિના સભ્ય અને અગ્રણી દાતા વિમલભાઈ દિલીપભાઈ ચાવડાએ સણસણતો આક્ષેપ કર્યો છે. તેમણે આ મામલે સમાજના હોદ્દેદારોનું ધ્યાન દોર્યું હતું તેમજ આ મામલે લિટીગેશન થયા હતા ત્યારે જ્ઞાતિના હોદ્દેદારો દ્વારા કોર્ટમાં જે પ્રકારનું અંડરટેઈકીંગ આપવામાં આવ્યું હતું એ મુજબનું પાલન થયું નથી, આથી જ્ઞાતિના જાગૃત સભાસદ, સભ્ય દરજ્જે વિમલભાઈ ચાવડાએ ધ્યાન દોરી અંડરટેઈકીંગ મુજબનું પાલન કરવા વિનંતી કરી હતી પરંતુ અમુક હોદ્દેદારોએ પોતાની રીતે મનઘડંત વાણી, વર્તન, વ્યવહાર કરતા જ્ઞાતિના જવાબદાર હોદ્દેદાર તથા સભ્ય ધર્મેન્દ્રભાઈ પરમાર (સભ્ય) અને ભરતભાઈ દુદકીયા (પ્રોજેક્ટ ચેરમેન) વિરૂદ્ધ રાજકોટ સિવિલ કોર્ટમાં રે.દિ.કે.નં. 374-2023થી વિજ્ઞાપ થતા કાયમી મનાઈહુકમ મેળવવાનો દાવો દાખલ કર્યો હતો.
આ દાવા અંગેની નોટીસ- સમન્સ જ્ઞાતિના જવાબદાર હોદ્દેદારો તથા સભ્યોને બજી જતાં તેઓએ અંડરટેઈકીંગ મુજબ વર્તવાના બદલે સમગ્ર સમાજમાં બદનામી થાય તેવા પ્રયત્નો કર્યા હતા. આથી વિમલભાઈ ચાવડા જ્ઞાતિના હોદ્દેદારોને સત્ય વિગતોથી માહિતગાર કર્યા હોવા છતાં વિમલભાઈ ચાવડાની સમાજમાં બદનક્ષી થાય તેવા સમાચારો હોદ્દેદારો તથા જવાબદાર વ્યક્તિ તથા સભાસદો દ્વારા પ્રસિદ્ધ કરી- કરાવ્યા હોવાથી જ્ઞાતિના સભ્ય, અગ્રણી દાતા વિમલભાઈ દિલીપભાઈ ચાવડાએ જ્ઞાતિના પ્રમુખ પરેશભાઈ ચાવડા તથા સેક્રેટરી ગૌરવભાઈ ચાવડા વિરૂદ્ધ રૂપિયા પાંચ કરોડનો માનહાનિનો દાવો દાખલ કરેલો છે તેમજ જ્ઞાતિના હોદ્દેદારો દ્વારા સમાજના મુખ્ય દાતા સાથે અગાઉ નામદાર અદાલતમાં દાવાના કામમાં કરવામાં આવેલા સમાધાન કરારનું પાલન ન કરતાં મુખ્ય દાતા સાથે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી આચરેલી હોય આથી ફરિયાદી દ્વારા જ્ઞાતિના આગેવાનો વિરૂદ્ધ રાજકોટ શહેર પોલીસ રૂબરૂ આઈ.પી.સી. કલમ 406, 420 મુજબ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફોજદારી ફરિયાદ પણ આપવામાં આવી છે જેથી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિમાં ખળભળાટ મચી ગયો છે.
- Advertisement -
ગુજરાતી મચ્છુ કઠિયા જ્ઞાતિ રાજકોટના સભ્ય અને અગ્રણી દાતા વિમલભાઈ દિલીપભાઈ ચાવડાએ સમાજના હોદ્દેદારો વિરૂદ્ધ એવો પણ આરોપ મૂક્યો છે કે તેમણે અગાઉ અદાલતમાં સમાજના ઉપરોક્ત હોદ્દેદારો વિરૂદ્ધ 243-2021થી દાવો દાખલ કર્યો હતો. ઉપરોક્ત દાવાના કામે આરોપીઓ દ્વારા 1 ડીસેમ્બર 2021ના રોજ અદાલતમાં લેખિત પુરશીશ આપી સમાધાન કર્યું હતું. ઉપરોક્ત પુરશીશ વંચાણે લેવામાં આવે તો તેમાં સ્પષ્ટપણે લખવામાં આવે છે કે આમંત્રણ કાર્ડમાં જે પેટર્ન હાલ રહી છે તેમાં સરસ્વતી સન્માન સમારોહી જે પેટર્ન છે તે મુજબ અનુસરીશું.
દાવામાં થયેલા સમાધાન મુજબ જે વ્યક્તિ દ્વારા સૌથી વધુ રકમનું દાન આવે તેનું નામ ને પત્રિકા તથા પ્રતિજ્ઞા સમારોહમાં જે અતિથિઓને આમંત્રણ આપવામાં એ પત્રિકામાં અગ્રતા આપવામાં આવશે તેવું નક્કી થયું હતું. જ્ઞાતિની પ્રતિષ્ઠા અને હિતને ધ્યાને લઈને સમાધાન કર્યું હતું તેમ છતાં આ કામના આરોપીઓ દ્વારા અમો સાથે છેતરપિંડી વિશ્ર્વાસઘાત કરી અમો સાથે રાગદ્વેષ રાખવાના એકમાત્ર ઈરાદે ઉપરોક્ત સમારોહની પત્રિકામાં અમો કરતાં ઓછુ અનુદાન કરનાર વ્યક્તિનું નામ અમો મુખ્ય દાતા કરતા પહેલાં લખવામાં આવ્યું હતું. આમ વિમલભાઈ ચાવડા દ્વારા જ્ઞાતિના ઉત્કર્ષ માટે સામાજિક કાર્યક્રમો માટે સૌથી વધુ રકમનું દાન આપવામાં આવતું હોવા છતાં સતત નીચે દેખાડવાનો હિન પ્રયાસ કરવામાં આવે છે.
વધુમાં વિમલ ચાવડાએ જણાવ્યું કે મુખ્ય દાતાના વિરૂદ્ધના લખાણવાળી પત્રિકા જ્ઞાતિના સભ્યોને પોસ્ટથી મોકલી દાતા વિમલભાઈ ચાવડાએ જ્ઞાતિના હોદ્દેદારો, આગેવાનો વિરૂદ્ધ વિશેષમાં કરેલા આક્ષેપ મુજબ, કાર્યક્રમ સામે મૌખિક વિરોધ કરાતા આ કામના આરોપીઓ દ્વારા દાતા વિમલભાઈ ચાવડાને બદનામ કરવા અમો વિરૂદ્ધના લખાણવાળી પત્રિકા પ્રસિદ્ધ કરાવી હતી તેમજ અમોને બદનામ કરવાના મલિન ઈરાદે આવી પત્રિકાઓ જ્ઞાતિના અન્ય સભ્યોને પોસ્ટ મારફત મોકલી સમાજમાં નીચ દેખાડવાનું હિન કાર્ય કર્યાનો આક્ષેપ પણ કર્યો છે. આ કામમાં વિમલભાઈ ચાવડા વતી એડવોકેટ તરીકે ભગીરથસિંહ ડોડીયા તથા દીવાની દાવામાં પરેશ મારૂ રોકાયેલા છે.