By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    14 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    14 hours ago
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    15 hours ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    16 hours ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    14 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    14 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    14 hours ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    2 days ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    15 hours ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    16 hours ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    16 hours ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    2 days ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    16 hours ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    4 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    7 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદીને ગાળો આપીને અને ગુજરાતનું અપમાન કરીને તટસ્થતાના નામે કોંગ્રેસ-કેજરીવાલને વહાલા થતાં ગુજરાતી પત્રકારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મોદીને ગાળો આપીને અને ગુજરાતનું અપમાન કરીને તટસ્થતાના નામે કોંગ્રેસ-કેજરીવાલને વહાલા થતાં ગુજરાતી પત્રકારો
Authorખાસ-ખબરગુજરાત

મોદીને ગાળો આપીને અને ગુજરાતનું અપમાન કરીને તટસ્થતાના નામે કોંગ્રેસ-કેજરીવાલને વહાલા થતાં ગુજરાતી પત્રકારો

Khaskhabar Editor
Last updated: 2022/12/02 at 4:00 PM
Khaskhabar Editor 3 years ago
Share
13 Min Read
SHARE

લેખક: સૌરભ શાહ(ઇલેક્શન એક્સપ્રેસ)

- Advertisement -

સાચી માહિતી પ્રગટ નહીં થાય ત્યાં સુધી લોકો ગેરમાહિતીઓના આધારે જ પોતાના મંતવ્યો બાંધશે, નિર્ણયો કરશે

મીડિયા પર ભરોસો રાખીને બેસો તો તમને એમ જ લાગે કે દારૂ પીને સ્ત્રીઓની છેડતી કરવાના આરોપસર જેલમાં જઈને જામીન પર છૂટેલા, કેજરીવાલના સાથી અને એમની પાર્ટીના અગ્રણી, ઈસુદાન ગઢવી જ ગુજરાતના નેકસ્ટ ચીફ મિનિસ્ટર બનવાના છે, એટલું જ નહીં ગુજરાત સરકારે જેને ગૃહ ખાતામાં પોલીસની નોકરી આપી અને જેણે તે વખતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું અને જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતુશ્રી વિશે એલફેલ શબ્દો કહ્યા હતા તે ગોપાલ ઈટાલિયા ગુજરાતના ભાવિ ગૃહમંત્રી, નાણામંત્રી, વગેરે મંત્રી બનવાના છે.
મીડિયાના આ કારસ્તાન વિશે અને શા માટે ઈસુદાન અને ઈટાલિયા- બેઉ આપિયાઓને ગુજરાતના સમજું મતદારો વિધાનસભામાં મોકલવાના નથી એની વિગતે વાત કરતાં પહેલાં ગઈકાલે જ મહારાષ્ટ્રના મરાઠી પત્રકારત્વમાં બનેલી એક મોટી ઘટના વિશે વાત કરું. મહારાષ્ટ્ર અને ગુજરાતના પત્રકારત્વ વચ્ચે ભાષા સિવાય ઝાઝો ફરક નથી.
ભાઉ તોર્સેકરનું નામ બહુ ઓછા ગુજરાતીઓના કાને પડ્યું હશે. 75 વર્ષના ભાઉ તોર્સેકર મરાઠી પત્રકારત્વમાં 50 વર્ષથી છે અને ગુજરાતીમાં જેમ એક્સપ્રેસ ગ્રુપના દૈનિક ‘સમકાલીન’ના સ્થાપક તંત્રી તથા પત્રકાર શિરોમણિ હસમુખ ગાંધીનું નામ ભારે આદરથી લેવાય છે એવું જ ભાઉ તોર્સેકરનું છે. ભાઉ અત્યારે 75 વર્ષના છે. હસમુખ ગાંધી જો 1999માં 66 વર્ષની વયે ગુજરી ન ગયા હોત તો આજે 90ના આરે પહોંચ્યા હોત અને દંતાલિવાળા સ્વામી સચ્ચિદાનંદની જેમ આ ઉંમરેય પ્રવૃત્તિશીલ હોત.
ભાઉ તોર્સેકરે ગઈ કાલે પોતાની યુટયુબ પર ચેનલ પર બે વિડીયો મૂકી. પહેલી વિડીયોમાં કહ્યું: ‘હું તમામ મરાઠી ન્યુઝ ચેનલોનો આજથી, 1 ડિસેમ્બર 2022થી બહિષ્કાર કરું છું.’ ભાઉ છડેચોક કહે છે કે મરાઠી ન્યુઝ ચેનલો પોતાના એજન્ડા પ્રમાણે હિન્દુવાદી નેતાઓનાં સ્ટેટમેન્ટને તોડી-મરોડીને પેશ કરે છે. અનેક દાખલાઓ છે.
ભાઉએ બીજી વિડીયો નિખિલ વાગળે નામના એક મરાઠી પત્રકાર વિશે કરી. નિખિલ વાગળે ‘બદમાશ પત્રકાર’ છે એવું સ્પષ્ટ શબ્દોમાં એમણે કહ્યું. ભાઉની આ વાત સાથે શતપ્રતિશત સહમતિ છે. છેલ્લા ત્રણ-ચાર દાયકાથી લેફટિસ્ટ અને સેક્યુલર નિખિલ વાગળેના પીળા પત્રકારત્વથી હું અને આખું મુંબઈ-મહારાષ્ટ્ર પરિચિત છીએ. નિખિલ વાગળે જેવા વરિષ્ઠ અને ભારાડી પત્રકારનું નામ દઈને એનાં કરતૂતો ખુલ્લાં પાડવાની ભાઉ તોર્સેકરની હિંમતને દાદ આપવી પડે.
ભાઉ તોર્સેકરની જેમ ગુજરાતમાં રહેતા, ગુજરાતી મીડિયાથી સુપેરે પરિચિત હોય એવા પત્રકારોમાંથી શા માટે કોઈ બોલતું નથી, અહીંની ન્યુઝ ચેનલો, યુટયુબ પછી રાજકીય સમાચારો આપતી તેમજ વિશ્ર્લેષણ કરતી ચેનલોની કક્ષા કેવી છે? નિખિલ વાગળે જેવા પત્રકારો ગુજરાતીમાં કોણ છે એવું જાહેરમાં કહીને વાચકોને- દર્શકોને સાવધ કરવાની ફરજ કેમ કોઈ બજાવતું નથી?
સાચી માહિતી પ્રગટ નહીં થાય ત્યાં સુધી લોકો ગેરમાહિતીઓના આધારે જ પોતાના મંતવ્યો બાંધશે, નિર્ણયો કરશે. દેશદ્રોહી મીડિયાની બદમાશીઓ સામે અવાજ ઉઠાવવામાં નહીં આવે તો એમની જોહુકમી વધતી જવાની અને સમાજનું નુકસાન કરતી જ જવાની.
ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તેવું રિપોર્ટિંગ કરતા મીડિયાકર્મીઓ ખરેખરે તો પોતાના એજન્ડા મુજબ જમીની હકીકતને છુપાવવાનું કામ કરતાં હોય છે.
સુરતના કતારગામ મતવિસ્તારમાંથી ગોપાલ ઈટાલિયા કેજરીવાલનો ઉમેદવાર છે. દિવસ-રાત ઈટાલિયાની આરતી ઉતારનારા પત્રકારોએ તમને ક્યારેય જણાવ્યું નથી કે આ સીટ પર ભાજપનો દબદબો છે અને ‘આપ’ તો શું કોંગ્રેસ પણ ભાજપને હરાવી શકે એમ નથી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નાનુભાઈ વાણાની 88,000 કરતાં વધુ મતથી જીતીને એમએલએ બન્યા. એમના નિકટતમ પ્રતિસ્પર્ધી નંદલાલ પાંડવને 45000 જેટલા મત મળ્યા- લગભગ અડધા.
2017ની ચૂંટણીમાં આ ગેપ ઔર વધ્યો ભાજપના વિનોદભાઈ મોરડિયાને 1,25,000 જેટલા મત મળ્યા, કોંગ્રેસના જિજ્ઞેશ જીવાણીને માત્ર 46000 જેટલા- લગભગ ત્રીજા ભાગ જેટલા.
2022માં ઈટાલિયા ભાગ પડાવીને થોડા હજાર મત મેળવી જશે તો કોંગ્રેસમાં ભાગ પડાવશે, ભાજપમાં નહીં એવું કોઈપણ સામાન્ય નાગરિક સમજી શકે. વિનોદભાઈ મોરડિયા ફરી એકવાર વિધાનસભામાં જશે અને ઇટાલિયા પોતાની ડિપોઝિટ પણ બચાવી શકે તો તે એના માટે ‘નૈતિક વિજય’ કહેવાશે એવું મતદારોને કહેવાને બદલે મીડિયા તમને કતારગામ બેઠકનું કોઈ બેકગ્રાઉન્ડ આપતું જ નથી.

ઈસુદાન કે ઈટાલિયા તો નગણ્ય માણસો છે, રાજકારણના અખાડામાં ન્યુસન્સ ફેલાવવાના આશયથી આવેલા છે: રાજ્યમાં અરાજકતા ફેલાવવાના ઈરાદે કેજરીવાલે એમને મોટાભા બનાવ્યા છે

- Advertisement -

આવું જ ખંભાળિયાની બેઠકમાં છે જ્યાં કોઈ લાયકાત વિના મુખ્યમંત્રી બની જવા માગતા એક જમાનાના તકવાદી પત્રકાર ઈસુદાન ગઢવી ઉમેદવાર છે. હકીકત એ છે કે આ બેઠક પર ક્યારેક ભાજપનું તો ક્યારેક કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. કટોકટ માર્જિનથી બેમાંથી એક પાર્ટી જીતતી રહી છે. અહીં કોઈ તૃતિય પક્ષના ઉમેદવારના જીતવાનો ચાન્સ જ નથી. ભાજપના મુળુભાઈ બેરા કે પછી કોંગ્રેસના વિક્રમભાઈ માડમ આ બંને અનુભવી ઉમેદવારો વચ્ચે જ સીધી લડાઈ છે- ઈસુદાન પોતાની ડિપોઝિટ બચાવી શકશે તો પણ એમના માટે એ ઘણી મોટી ‘મોરલ વિક્ટરી’ હશે.
2017ની ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમભાઈ માડમ લગભગ 80,000 મતથી જીત્યા હતા અને ભાજપના કાળુભાઈ ચાવડાને લગભગ 69,000 વોટ મળ્યા હતા. પાતળી સરસાઈ હતી. આ વખતે જો ઈસુદાન કોંગ્રેસના વોટ કાપે તો ભાજપના જ ઉમેદવાર જીતે- 2012ની ચૂંટણીની જેમ, જ્યારે ભાજપના પૂનમબેન માડમ 79,000 વોટથી જીત્યા હતા અને કોંગ્રેસના એભા આહિરને 40,000 જેટલા મત મળ્યા હતા. આ ઈકવેશન 2014 ખંભાળિયાની પેટાચૂંટણી વખતે બદલાયું- માંડ હજાર- બારસો મતથી. કોંગ્રેસના આહિર મેરામણ મરખીને 66,140 મત મળ્યા અને બીજેપીના મુળુભાઈ બેરાને 65,202 મત મળ્યા. આમાં ઈસુદાનનો ક્યાં ગજ વાગવાનો? પણ મીડિયાનું માનશો તો તમને ખંભાળિયામાં ચારેકોર ઈસુદાન જ ઈસુદાન છવાયેલો છે એવું લાગશે.
ઈસુદાન કે ઈટાલિયા તો નગણ્ય માણસો છે, રાજકારણના અખાડામાં ન્યુસન્સ ફેલાવવાના આશયથી આવેલા છે. રાજ્યમાં અરાજકતા ફેલાવવાના ઈરાદે કેજરીવાલે એમને મોટાભા બનાવ્યા છે. કેજરીવાલ પોતે રાષ્ટ્રીય સ્તરે એક ન્યુસન્સ મેકર, અરાજકતાવાદી, જૂઠ્ઠાબોલા અને ભ્રષ્ટાચાર તથા કોમી રમખાણો કરનાર સાથીઓને સાચવી લેનારા રાજકારણી તરીકે પંકાઈ ચૂક્યા છે.
કેજરીવાલને રંજ છે કે દિલ્હીમાં રાજ્યની પોલીસ કેન્દ્ર સરકારના તાબામાં રહે એવું બંધારણ છે. કેજરીવાલે તો છડેચોક કહ્યું જ છે કે (પોલીસ ઉપરાંત) ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) તથા સીબીઆઈને મારા તાબામાં આપો તો હું એક દિવસમાં અડધી બીજેપીને અંદર કરી દઈશ. કેજરીવાલના આ કકળાટ સામે, ટ્વિટર પર ઘણું મોટું દેશપ્રેમનું કામ કરી રહેલા રાજકોટવાસી વિજય પટેલે ટિંગળ કરી હતી કે જો મારા હાથમાં ઈડી અને સીબીઆઈને સોંપવામાં આવે તો હું અડધા દિવસમાં આખી ‘આપ’ને જેલમાં પૂરી દઈ શકું!
કેજરીવાલનું ફંડિંગ ક્યાંથી, કેવી રીતે આવે છે તે સહિતની ‘આપ’ની અનેક પોલ ખોલનારા વિજય પટેલની પાછળ ‘આપ’વાળા આદુ ખાઈને પડી ગયા છે. વિજય પટેલ જેવી હિંમત જો ગુજરાતના તમામ મીડિયાવાળા બતાવી શકે તો ચોવીસ કલાકમાં ‘આપ’ના તમામ લોકો નિર્વસ્ત્ર બની જાય, એમણે રાતોરાત ભૂગર્ભમાં છુપાઈ જવું પડે, પણ એવું થતું નથી, કારણ કે કેજરીવાલને ખબર છે કે કોનું મોઢું કેવી રીતે બંધ થાય.
કેજરીવાલને પોલીસ વગેરે પોતાના કહ્યામાં હોય એવી સત્તા જોઈએ છે. તેનું કારણ સ્પષ્ટ છે. અત્યારે ભરે એ હનુમાનચાલીસા ગાતા ફરતા હોય અને મંદિરે-મંદિરે ભટકીને દર્શન કરી કપાળે ભભૂતિ લગાડેલી હોય એવા ફોટા પ્રચલિત કરતાં હોય પણ તેઓ એક હાર્ડકોર હિન્દુદ્વેષી છે, આ દેશની સનાતન પરંપરા એમને ખૂંચે છે. કારણ કે એમને ફાઈનાન્સ કરનારા લોકો ભારતદ્વેષી છે, તેઓ ભારતના ટુકડે-ટુકડા કરી નાખવા આતુર છે. આપ અને કોંગ્રેસ ભલે એકમેકના વિરોધી ગણાતા હોય પણ બેઉના એજન્ડા એક છે. ભવિષ્યમાં ‘આપ’ કોંગ્રેસમાં વિલીન થઈ જાય કે કોંગ્રેસ આખેઆખી ‘આપ’માં ભળી જાય તો એ ચમત્કાર નહીં હોય, મનમોહન દેસાઈની ફિલ્મ જેવું, હજયાત્રામાં બીછડી ગયેલા બે ભાઈઓનું પુનર્મિલન હશે.
કોંગ્રેસના અને ‘આપ’ના ડી.એન.એ. એક જ છે. ભૂતકાળમાં કોંગ્રેસ જે કંઈ કાંડ કરી ચૂકી છે તે સઘળુંય દુષ્કર્મ ‘આપ’ કરવાને કેપેબલ છે, માત્ર તકની રાહ જુએ છે. કોંગ્રેસના સાપને કચડી નાખ્યા પછી ‘આપ’નું સાપોલિયું પણ જો કચડી નખાય નહીં તો ભવિષ્યમાં એ કોંગ્રેસ કરતાં ઘણું મોટું નુકસાન આ દેશનું કરશે. કોંગ્રેસ ભલે આ ચૂંટણીમાં હારવાની હોય પણ કોંગ્રેસે કરેલાં કાંડ ભૂલી જઈશું તો તે આજે નહીં તો આવતીકાલે ફરી માથું ઉંચકશે. કોંગ્રેસે નજીકના ભૂતકાળમાં ગુજરાતનું અને ભારતનું કેટલું મોટું
નુકસાન કર્યું છે તેની વિગતે વાત કરી આજની વાતને વિરામ આપીએ.

યાદ રાખજો, કેજરીવાલ અને રાહુલના દિમાગમાં બદમાશીઓ ઠાંસી-ઠાંસીને ભરેલી છે

કેજરીવાલે દિલ્હીમાં 2020માં હિન્દુ વિરોધી રમખાણો કરાવનારા પોતાના સાથી મુસ્લિમ નેતાઓને કાનૂનના સકંજામાંથી બચાવવાની ભરપૂર કોશિશ કરી, તો રાહુલએ પણ ટુકડે-ટુકડે ગેંગના લીડર ક્ધહૈયાકુમારને અને એના જેવા જ બીજા અનેક દેશવિરોધીઓને કોંગ્રેસમાં સ્થાન આપ્યું

કોંગ્રેસની મંછા આ દેશમાંથી હિન્દુત્વનો એકડો ભૂંસી નાખવાની છે. નેહરુના જમાનાથી કોંગ્રેસે જે વોટ બેન્ક ઊભી કરવાનું શરૂ કર્યું છે તેને એમના વારસદારો જ નહીં, ભાજપના તમામ વિરોધીઓ અનુસરી રહ્યા છે. શરદ પવારથી લઈને દિગ્વિજય સિંહ સુધીના અને વર્તમાનમાં રાહુલ ગાંધી સુધીના સૌ કોંગ્રેસીઓ હિન્દુદ્વેષી પુરવાર થયા છે.
શરદ પવાર તે વખતે મહારાષ્ટ્રના કોંગ્રેસના મુખ્યમંત્રી હતા. 12 માર્ચ 1993. યાદ છે? મુંબઈમાં કુલ બાર ઠેકાણે દાઉદ ઈબ્રાહિમે બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા હતા તે દિવસ યાદ છે? મુખ્યમંત્રી શરદ પવારે એ દિવસે સાંજે પત્રકારોને કહ્યું કે શહેરમાં તેર ઠેકાણે બોમ્બ બ્લાસ્ટ થયા છે. તેરમું સ્થળ એમણે મોહમ્મદ અલી રોડ ગણાવ્યું. મુખ્યમંત્રી હળાહળ જૂઠ્ઠુ બોલતા હતા. તેરમો વિસ્તાર એમણે ખોટો ઉમેર્યો હતો. એ મુસ્લિમ વિસ્તારમાં બોમ્બ તો શું ચાંદલિયા પણ નહોતા ફૂટ્યા. શરદ પવાર શું કામ જૂઠ્ઠુ બોલ્યા? કલ્પના કરી શકો એમ છો? દસ વર્ષ પછી એમણે કબૂલ કર્યું કે એવી છાપ ન પડે કે આ બોમ્બ ધડાકા હિન્દુ વિરોધી છે એટલે મેં મુસ્લિમ લીગનું નામ જોડ્યું હતું. બોલો, સેક્યુલરિઝમની આ કેવી ઉદાત્ત ભાવના! શરદ પવાર જેવા અત્યંત હલકું માનસ ધરાવતાં રાજકારણીના શેતાની દિમાગમાં જ આવો બદમાશ વિચાર સ્ફૂરે. યાદ રાખજો, કેજરીવાલ અને રાહુલના દિમાગમાં આના કરતાં વધારે બદમાશીઓ ઠાંસી-ઠાંસીને ભરેલી છે. કેજરીવાલે તો દિલ્હીમાં 2020માં હિન્દુ વિરોધી રમખાણો કરાવનારા પોતાના સાથી મુસ્લિમ નેતાઓને કાનૂનના સકંજામાંથી બચાવવાની ભરપૂર કોશિશ કરી જ છે. રાહુલ ગાંધીએ પણ ટુકડે-ટુકડે ગેંગના લીડર ક્ધહૈયાકુમારને અને એના જેવા જ બીજા અનેક દેશવિરોધીઓને કોંગ્રેસમાં સ્થાન આપ્યું છે.
કોંગ્રેસની આ પરંપરા રહેલી છે- હિન્દુત્વના પ્રહરીઓને કોઈપણ ભોગે બદનામ કરવા અને પોતાની વોટબેન્ક આગળ વધારવી.
2002ના રમખાણો પછી કોંગ્રેસે, કોંગ્રેસના કપિલ સિબ્બલ જેવા નેતાઓએ તિસ્તા સેતલવાડ અને અન્ય એનજીઓની બહેનજીઓને ભરપૂર સાથ આપીને ગુજરાતને હેરાન કરવામાં કોઈ કસર છોડી નહોતી. 2004 પછી કેન્દ્રમાં કોંગ્રેસ આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી સામે સીબીઆઈની સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેટિવ ટીમ છુટ્ટી મૂકી દીધી, અદાલતોમાં ખોટા કેસ કરાવ્યા- દરેક જગ્યાએ ક્લીન ચીટ મળી હોવા છતાં આજની તારીખેય કોંગ્રેસીઓ વડાપ્રધાન મોદીને ગાળો આપવાની એક તક છોડતા નથી. ગુજરાતના તે વખતના ગૃહમંત્રી અમિત શાહને કોંગ્રેસે જેલમાં પૂર્યા, પછી તડીપાર કરીને ગુજરાતમાં પ્રવેશવા ન દીધા- અમિત શાહ પણ દરેકે-દરેક બાબતમાં કાનૂની ક્લિન ચીટ મેળવી ચૂક્યા છે છતાં કોંગ્રેસ અને એના પિઠુ જેવું મીડિયા વારતહેવારે એમના પર કાદવ ઉછાળ્યા કરે છે.
દિગ્વિજય સિંહે તો કોંગ્રેસની અસલિયત સાવ ઉઘાડી પાડી દીધી- ‘હિન્દુ આતંકવાદ’ શબ્દપ્રયોગ રચીને દેશ આગળ, દુનિયા આગળ એવું જતાવવાની કોશિશ કરી કે આ હિન્દુડાઓ પણ કંઈ કમ નથી, મુસ્લિમોની જેમ આ હરામખોરો પણ આતંકવાદ ફેલાવતા ફરે છે એવું કહીને એમણે સ્વામી અસીમાનંદ, કર્નલ પુરોહિત, સાધ્વી પ્રજ્ઞાદેવી વગેરે હિન્દુત્વના પ્રહરીઓને માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસ તેમજ અન્ય કેસોમાં ફિટ કરી દીધા.
2014માં જો મોદી વડાપ્રધાન ન બન્યા હોત તે ‘હિન્દુ આતંકવાદ’ની કાળી ટીલી કાયમની આપણા માથે લાગી ગઈ હોત. કમનસીબી એ છે કે હિન્દુઓને બદનામ કરવાનું કાવતરુ ઘડનારો દિગ્વિજય સિંહ છુટ્ટો ફરે છે, એને કોઈ સજા નથી થઈ.
અને વધુ મોટી કમનસીબી એ છે કે આજના દરેક ક્ષેત્રે પ્રગતિ પામેલા ગુજરાતના વિકાસની ગાથા આપણા સુધી પહોંચાડવાને બદલે મીડિયા આપણને ગેસના બાટલા અને ઘાસલેટના ડબ્બા સાયકલ પર લાદીને વોટ આપવા જતા કોંગ્રેસીઓના ફોટા દેખાડ્યા કરે છે.
ગુજરાતી મીડિયામાં તટસ્થતાનો અર્થ એક જ છે- મોદીને, ભાજપને ભરપેટ ગાળો આપો અને હિન્દુવાદીઓને કોમવાદી ગણાવીને ઉતારી પાડો, એમને રિડિક્યુલ કરો- તમે આપોઆપ તટસ્થ, નીરપેક્ષ અને બહાદુરમાં ખપી જશો. અને કોંગ્રેસને- આપને મદદ કરવાનો તમારો કુટિલ એજન્ડા પણ છુપાઈ જશે, તમારા ભૌતિક કે નૈતિક ભ્રષ્ટાચારને કોઈ નહીં પડકારે. ગુજરાતી મીડિયાને પણ એક ભાઉ તોર્સેકરની તાતી આવશ્યકતા છે.

 

You Might Also Like

હનીટ્રેપમાં ફસાવી બોટાદના વૃદ્ધ પાસેથી 12 લાખ પડાવનાર બે યુવતી સહિત 3 ઝડપાયા

શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ, 70 લાખની ઠગાઈની ફરિયાદ

રૈયાધારના શખ્સે દેવું ઉતારવા બનાવેલી બે નોટ બજારમાં ચાલી જતા વધુ નોટો બનાવવાનું શરુ કર્યું હતું

ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ કેશલેસ સારવારનો લાભ મળશે

બેરોજગારી ઘટાડવામાં ગુજરાત મોખરે

TAGGED: aap, arvindkejriwal, assemblyelection, BJP, CONGRESS, Gujarat, JOURNALISM, narendramodi, rahulgandhi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેં રાત્રે કચ્છ-સૌરાષ્ટ્રમાં ફોન કરીને જાણ્યું: પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીનું સૌથી મોટું નિવેદન
Next Article તાલાલાના માધુપુર ખાતે પરંપરાગત પોશાક સાથે સીદીઓએ મતદાન કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હનીટ્રેપમાં ફસાવી બોટાદના વૃદ્ધ પાસેથી 12 લાખ પડાવનાર બે યુવતી સહિત 3 ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ, 70 લાખની ઠગાઈની ફરિયાદ
રૈયાધારના શખ્સે દેવું ઉતારવા બનાવેલી બે નોટ બજારમાં ચાલી જતા વધુ નોટો બનાવવાનું શરુ કર્યું હતું
ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ કેશલેસ સારવારનો લાભ મળશે
બેરોજગારી ઘટાડવામાં ગુજરાત મોખરે
રાજકોટમાં બપોરે 1થી 4 વાગ્યા ટ્રાફિક સિગ્નલો બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હનીટ્રેપમાં ફસાવી બોટાદના વૃદ્ધ પાસેથી 12 લાખ પડાવનાર બે યુવતી સહિત 3 ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ, 70 લાખની ઠગાઈની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રૈયાધારના શખ્સે દેવું ઉતારવા બનાવેલી બે નોટ બજારમાં ચાલી જતા વધુ નોટો બનાવવાનું શરુ કર્યું હતું

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?