ગુજરાત સરકાર દ્વારા પંચમહાલમાં ‘ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી’
પંચમહાલ જિલ્લાના ગોધરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1 મે , ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ શુભ અવસર પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે. મુખ્યમંત્રીએ સવારે 10 વાગ્યે પોલીસ આઇજી ઓફિસ અને અન્ય અલગ-અલગ વિભાગોનું ઉદ્દઘાટન કર્યું. શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સહિત અનેક મહાનુભાવોએ પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું.
- Advertisement -
છાબનપુર રામમંદિરમાં શસ્ત્ર પ્રદર્શન રાખવામાં આવ્યું. આ ઉપરાંત તેઓ પંચામૃત ડેરીના દૂધ પ્રક્રિયા પ્લાન્ટનો પણ શિલાન્યાસ કરશે. હાલોલની રૂબીનમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લિથિયમ – આર્યન બેટરી રીસાયકલિંગ પ્લાન્ટનો શિલાન્યાસ તેમના દ્વારા કરવામાં આવશે.
650 કરોડના 85 પ્રોજેક્ટ્સનું કામ હાથ ધર્યું
સાંજના 6 વાગ્યે મુખ્યમંત્રી પંચમહાલના ઇતિહાસ અને સંસ્કૃતિની ઝલક દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ અને બાઇક રેલી તથા પરેડના સાક્ષી બનશે. તેમની આ મુલાકાત પંચમહાલ જિલ્લા માટે ભેટરૂપ બની રહેશે, એ પણ આજના ખાસ દિવસ, ગુજરાત સ્થાપના દિન પર. ગુજરાત સરકાર પંચમહાલ જિલ્લામાં 649.77 કરોડ રૂપિયાના 85 ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને શરૂ કરશે. આ અંગેની વધુ માહિતી જિલ્લા કલેકટર દ્વારા નજીકના ભવિષ્યમાં પ્રસાર કરવામાં આવશે.