આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરશે. કનુભાઈ થોડીવારમાં બજેટ સાથે વિધાનસભા પહોંચશે. આ વર્ષનું બજેટ ઐતિહાસિક બને તેવી શક્યતા છે. આ વર્ષના બજેટમાં ગત વર્ષના બજેટ કરતા 10થી 20 ટકાનો વધારો લઈને આવે તેવી સંભાવના છે. હાલ નાણા વિભાગના અધિકારીઓ વિધાનસભા પહોંચી ચૂક્યા છે. આજે તેઓ બ્લેક એન્ડ ગોલ્ડ કલરની બ્રિફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા છે. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ હશે, 2047નો રોડમેપ નક્કી કર્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈને શેઠ ભામાશા તરીકે સંબોધ્યા છે. વિધાનસભા સંકુલનો વિરોધ કરવા ઉપયોગ ન થવો જોઈએ એવી વિધાનસભા અધ્યક્ષે અમિત ચાવડાને ટકોર કરી હતી.
3 લાખ 32 હજાર 465 કરોડનું રૂપિયાનું બજેટ
- Advertisement -
- 22163 માર્ગ અને મકાન વિભાગ માટે જાહેરાત
- 6885 કરોડની મહિલા અને બાળકો માટે જાહેરાત
- 20,100 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે જાહેરાત
- 11535 જળસંપત્તિ વિભાગ માટે જાહેરાત
- 21696 શહેરી વિકાસ અને ગૃહ વિભાગ માટે જાહેરાત
- 22194 કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર વિભાગ માટે જાહેરાત
- ઉદ્યોગ અને ખાણ માટે 9228 કરોડની ફાળવણી
- પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2098 કરોડ
- વન અને પર્યાવરણ માટે 2586 કરોડની ફાળવણી
- ક્લાઈમેટ ચેન્જ માટે 1163 કરોડની ફાળવણી
- ગૃહ વિભાગ માટે 10378 કરોડની ફાળવણી
- કાયદા વિભાગ માટે 2559 કરોડની ફાળવણી
- મહેસૂલ વિભાગ માટે 5195 કરોડની ફાળવણી
- સામાન્ય વહીવટ માટે 2239 કરોડની ફાળવણી
- માહિતી અને પ્રસારણ માટે 384 કરોડની ફાળવણી
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ 12,138 કરોડની જોગવાઇ
- Advertisement -
પંચાયત
- 15માં નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે 2600 કરોડ ઉપરાંતની જોગવાઈ.
- ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ માટે વારિગૃહોના વીજબીલના ચૂકવણા માટે 974 કરોડની જોગવાઈ.
- નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાના કાયમી નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઇના કામો માટે 300 કરોડની જોગવાઈ.
- આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા 10 કરોડની જોગવાઇ.
ગ્રામ વિકાસ
- મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા 1309 કરોડની જોગવાઇ.
- સૌને આવાસની પ્રતિબદ્ધતાના માનનીય વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે 751 કરોડની જોગવાઇ.
- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (આજીવિકા) અંતર્ગત અંદાજે ત્રણ લાખ સ્વસહાય જૂથોની રચના કરી 30 લાખ પરિવારોને જોડવામાં આવેલ છે. આ યોજના માટે 262 કરોડની જોગવાઇ.
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના 2.0 હેઠળ 255 કરોડની જોગવાઇ.
- આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઉંચુ લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા 164 કરોડની જોગવાઇ.
- મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે 100 કરોડની જોગવાઇ.
- ગ્રામ વિકાસની યોજનાઓના સરળ અને સુચારૂ અમલીકરણ માટે હયાત મહેકમને વધુ સુદ્દઢ બનાવવા 42 કરોડની જોગવાઇ.
- ઉદ્યોગોને અપાતા વેન્ચર કેપિટલના ધોરણે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ”ની રચના કરવામાં આવશે. જે માટે આગામી 5 વર્ષમાં 50 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આગામી વર્ષ માટે 10 કરોડની જોગવાઇ.
- સ્વસહાય જુથોની આવકમાં વધારો થાય તે માટે તંદુરસ્ત હરિફાઇને પ્રોત્સાહન આપવા Performance Linked Incentive યોજના માટે 5 કરોડની જોગવાઇ.
પાણી પુરવઠા પ્રભાગ માટે 6242 કરોડની જોગવાઇ
- આદિજાતિ વિસ્તારના કુલ 14 જિલ્લાઓના 5062 ગામોને સરફેસ સોર્સ આધારિત જુથ યોજનાઓમાં આવરી લેતી અંદાજિત 6500 કરોડની સુધારણા તથા નવીન જુથ યોજનાના કામો પ્રગતિ હેઠળ.
- આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ 1122 કરોડની જોગવાઇ.
- ડાંગ જિલ્લાના કુલ 276 ગામો તથા 3 તાલુકાનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જુથ પાણી પુરવઠા યોજના અંદાજિત 866 કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન.
- વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના 23 ગામોનો સમાવેશ કરતી દમણગંગા બલ્ક પાઈપ લાઈન આધારીત ધરમપુર જૂથ પાણીપુરવઠા યોજના પેકેજ 2નું અંદાજિત 107 કરોડના ખર્ચે આયોજન.
- સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા તેમજ માળિયા તથા વલ્લભીપુર નર્મદા બ્રાંચ કેનાલ ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે ઢાંકીથી માળીયા, નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ચાવંડ-ધરાઇ-ભેંસાણ અને ચાવંડ-લાઠી બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે. આ આયોજન અંતર્ગત
- બોટાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટેની નાવડાથી ચાવંડ સુધીની 85 કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજિત 644 કરોડના કામો પૂર્ણતાના આરે.
- અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકીથી નાવડા સુધીની 97 કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજિત `૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.
- જૂનાગઢ જિલ્લા માટેની ધરાઇથી ભેંસાણ સુઘીની 63 કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત 392 કરોડના કામો પ્રગતિ હેઠળ.
- ઢાંકીથી માળીયા સુધીની નવીન 120 કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત 1200 કરોડના કામોનું આયોજન.
સૂક્ષ્મ સિંચાઇ
ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રીંકલર સિસ્ટમ વસાવવા માટે સહાય આપવા ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની હેઠળ 2500 કરોડની જોગવાઇ. ભારત સરકાર સહાયિત 750 કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઇ માટે સહાય આપવા 200 કરોડની જોગવાઇ. જળ સંપત્તિ વિભાગ હેઠળની ઉદ્દવહન સિંચાઇ યોજનાઓને સૂક્ષ્મ સિંચાઇ સાથે જોડવા માટે 403 કરોડની જોગવાઇ.
સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે 255 કરોડની ફાળવણી
નાણામંત્રીએ સરકારી છાત્રાલય,આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે 255 કરોડ, પ્રિ-મેટ્રીકના 15 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે 176 કરોડ, દૂધ સંજીવની યોજના હેઠળ 150 કરોડ, ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય માટે 120 કરોડ અને અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે 23 કરોડની ફાળવણી કરી હતી.
ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા 40 કરોડની જોગવાઈ
બજેટની જોગવાઈ અનુસાર એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ કરાવવા 319 નવી 108 એમ્બ્યુલન્સ ખરીદાશે. યુ.એન.મહેતા હાર્ટ, કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો ખરીદવા 60 કરોડ. ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા 40 કરોડ. અમદાવાદના બાવળા, સુરતના કામરેજમાં 300 બેડની હોસ્પિટલ બનાવાશે. આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ 482 કરોડની જોગવાઈ કરાઈ છે. જ્યારે કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ આરોગ્યલક્ષી સેવા પુરી પાડવા 221 કરોડ ફાળવાયા છે.
પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 113 કરોડની જોગવાઇ
વડનગરની ઐતિહાસિક ધરોહરોનું ગૌરવ જળવાય તે માટે પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય, તાના-રીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક પ્રકલ્પો વિકસાવવાનું આયોજન.
નવા કામો
– અંદાજિત 2000 કરોડના ખર્ચે રાજ્યના કોર રોડ નેટવર્કમાં સમાવિષ્ટ રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબુતીકરણની કામગીરી માટે 700 કરોડની જોગવાઈ.
– અંદાજિત 1200 કરોડના ખર્ચે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનિંગ અને મજબૂતીકરણની કામગીરી માટે 450 કરોડની જોગવાઈ.
– અંદાજિત 800 કરોડના ખર્ચે રાજ્યના બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુઘારણા, વાઇડનિંગ તથા મજબુતીકરણ, સ્ટ્રકચર અને રોડ સેફટી સંબંઘિત કામગીરી માટે 300 કરોડની જોગવાઈ.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે કઈ- કઈ જોગવાઈ
– સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” હેઠળ સહાય આપવા 1250 કરોડની જોગવાઇ.
– ધોરણ-11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે 250 કરોડની જોગવાઇ.
– મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે 2000 કરોડની જોગવાઇ.
– હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને 130 કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ-9 થી 12 ના અંદાજિત 1 લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે 260 કરોડની જોગવાઇ.
– વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઇ.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20,100 કરોડની જોગવાઇ
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ 2531 ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે 3110 કરોડની જોગવાઇ.
ઓલિમ્પિક માટે 376 કરોડની ફાળવણી
અમદાવાદમાં ઓલિમ્પિકના આયોજન માટે માટે 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શક્તિદૂત 2.0 યોજના હેઠળ શ્રેષ્ઠ દેખાવ કરતાં ખેલાડીઓને સહાય આપવાનું આયોજન. પેરા એથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપવા દેશના પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ-પર્ફોમન્સ સેન્ટરના નિર્માણનું આયોજન.
4 શહેરમાં ટ્રાફિક પોલીસમાં જગ્યા ઉભી કરાશે
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક પોલીસની 1000 જગ્યાઓ ઊભી થશે
નવી 2500 ST બસો ખરીદાશે
બજેટની જોગવાઈ અનુસાર સરકારે જનરક્ષક યોજનાની જાહેરાત કરી છે. 1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે. આ સાથે નવી 2500 જેટલી એસટી બસો ખરીદાશે. નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ કરાઈ છે.
ગિફ્ટ સિટી માટે રાજ્ય સરકરાની મોટી જોહેરાત
– 900 એકરમાં ફેલાયેલી ગિફ્ટ સિટીને 3300 એકરમાં વિસ્તરણ કરાશે
– ગિફ્ટ સિટીની આસપાસ 4.5 કિમીનો રિવરફ્રન્ટ બનશે
– ગિફ્ટ સિટીમાં ફિન-ટેક હબની સ્થાપના માટે 52 કરોડ અને ગિફ્ટ સિટી નજીક રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે 100 કરોડ
6 ITIને મેઘા ITI બનાવાશે
રાજ્યમાં 162 નવી માધ્યમિક શાળાઓ, 45 હજાર નવા ક્લાસરૂમ, 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. 10 રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન શાળા શરૂ કરાશે.
8 શહેરો બનશે મહાનગરપાલિકા
ગુજરાતના આ બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત એ પણ થઇ કે, 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણનો સમાવેશ થાય છે.
8000 આંગણવાડીને કાર્યક્ષમ બનાવવાની યોજના
- 250 કરોડની નમો સરસ્વતી યોજના હેઠળ જાહેરાત
- 3100 PM JAY યોજના માટે જાહેરાત
- 4374 આદિવાસી વિકાસ માટે જાહેરાત
- કેન્સર માટે 600 કરોડનો નવો પ્રોજેક્ટ, અમદાવાદમાં કેન્સર સોસાયટી માટે
1800 કરોડની સ્માર્ટ આંગણવાડી બનાવાશે
કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 1800 કરોડના ખર્ચે સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવશે.
નમો સરસ્વતી યોજનાની જાહેરાત
માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધો. 11માં 10 હજારની સહાય આપવામાં આવશે.
1300 કરોડની નિર્મલ ગુજરાત સ્વચ્છતા યોજનાની જાહેરાત
5 વર્ષની સાયન્સ સ્ટ્રીમમાં 2 લાખથી વધી 5 લાખ સંખ્યા વધશે
મિશન સ્કૂલ એક્સલેન્સ હેઠળ સરકારી સ્કૂલો સ્માર્ટ બનાવવામાં આવશે
નમો લક્ષ્મી યોજના
ગુજરાત મિશનની જાહેરાત કરી રહ્યા છીએ, જેમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ કેન્દ્રસ્થાને છે. આમાં નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે. બાળકો અને મહિલાઓ માટેનું માળખું વધુ સુદ્રઢ કરવામાં આવશે. નમો લક્ષ્મી યોજના અમલીકરણ કરવામાં આવશે. જેમાં 50 કરોડની જોગવાઈ છે.