રાજકોટમાં નવા વર્ષની લોકસંગીત, ભક્તિ અને ભજનના ત્રિવેણી સંગમ સાથે અનોખી ઉજવણી
ગુજરાતની અસ્મિતા અને ઓળખ સમાન લોકસંગીતને આધુનિક યુવા અભિગમ સાથે રજૂ કરાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં યુવી ઇવેન્ટ ગ્રુપ ઉજાલા તથા વિશાલની ટીમ દ્વારા યુવાનો માટે એક સંસ્કૃતિપ્રધાન અને નવતર પ્રયાસ રૂપે ૠઊગ-ણ ડાયરો નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્ર્ચિમી કલબ કલ્ચરથી દૂર રહી, પરંપરાગત ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિના સમન્વય સાથે 31 ડિસેમ્બર 2025ના રોજ વર્ષાંત ઉજવવાનો આ અનોખો પ્રયાસ યુવાનોમાં ખાસ આકર્ષણ ઊભું કરી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની અસ્મિતા અને ઓળખ સમાન લોકસંગીતને આધુનિક યુવા અભિગમ સાથે રજૂ કરવામાં આવશે. ખાસ કરીને આજની ૠઊગ-ણ પેઢીને ધ્યાનમાં રાખીને આયોજિત ‘ૠઊગ-ણ ડાયરો’ દ્વારા યુવાનોને લોકસંગીત, ભક્તિ અને ભજનની ત્રિવેણી સાથે સાંસ્કૃતિક રીતે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવા ગીતકાર-સાહિત્યકાર પિયુષ ગઢવી તેમની ટીમ સાથે તેમજ ડીજે દર્શન અને તેમની ટીમ દ્વારા સંસ્કારસભર સંગીતપ્રસ્તુતિ કરવામાં આવશે. સનાતન સંસ્કૃતિ મુજબ નવા કેલેન્ડર વર્ષનું સ્વાગત કરવાની ભાવનાથી યોજાતા આ કાર્યક્રમમાં આદિત્ય ઇન્ટરનેશનલ કુરિયર ના ઓનર્સ પ્રથમભાઈ દવે, રુદ્ર સેતુ ફાઉન્ડેશન તથા રિયલ હ્યુમન ટ્રસ્ટના સંસ્થાપક દિસ્તભાઈ જોશી, ભાજપ અગ્રણી મનીષ ભટ્ટ અને સુપ્રસિદ્ધ મ્યુઝિક ડાયરેક્ટર પંકજભાઈ ભટ્ટ સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહેશે. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન નવા 150 ફૂટ રિંગ રોડ પર, અટલ સરોવર પાસે આવેલ કેફેનીટી કેફે ખાતે કરવામાં આવ્યું છે. પરિવાર સાથે ઉપસ્થિત રહી શકાય તેવા આ સંસ્કારસભર કાર્યક્રમ માટે પ્રવેશ પાસ રૂ. 500/- અને 12 વર્ષ સુધીના બાળકો માટે રૂ. 200/- નક્કી કરવામાં આવ્યો છે.પાસ માટે 99093 72995, 63540 08232 નંબર પર સંપર્ક કરવો. યુવાશક્તિ, સંસ્કૃતિ અને સંસ્કારના સંગમરૂપ આ કાર્યક્રમને રાજકોટના સાંસ્કૃતિક ઇતિહાસમાં નવા વર્ષની ઉજવણી માટે એક મહત્વપૂર્ણ પગથિયું તરીકે જોવામાં આવી રહ્યું છે.



