ગાય માતાના પીવાના પાણીના આવેળામાં અને વાડામાં મચ્છરોના ગંજ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં એનિમલ હોસ્ટેલમાં માલધારીઓને શહેર બહાર મોકલી પોતાના ગૌવંશની માલધારીઓને બદલે મહાનગર પાલિકાએ ચિંતા ચાલુ કરી છે ત્યારથી ગાય માતાનાં હાલ બેહાલ થઈ રહ્યો છે. આજરોજ રાજકોટ ભરવાડ સમાજના પ્રમુખ ભીખાભાઈ પડસાળીયા રણજીત મુંધવા સહિતના આગેવાનોએ જ્યારે એનિમલ હોસ્ટેલની મુલાકાત લીધી ત્યારે ત્યાં અસહ્ય દર્દ આપતું દ્રશ્ય નજરે પડ્યું.
- Advertisement -
ગાય માતાના પીવાના પાણીના આવેળામાં મચ્છરોના ગંજ એનિમલ હોસ્ટેલમાં ગાયને જ્યાં રાખવામાં આવે તે વાડામાં મચ્છરોના ગંજ અને ઠેક સુધી પાણી ભરાયેલા હોય હદ તો ત્યારે થઈ એક ગાય માતા ગંદકીમાં પાણી પીતી હોય કોર્પોરેશનના પાણીના ભરવા માટેના ટાંચામાં વાયરો ખુલ્લા હોવાથી જો ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થાય તો તેની જવાબદાર કોણ તે જોવાનું રહ્યું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવી ઘોર બેદરકારીના પગલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ માલધારીઓ દ્વારા કરવામાં આવી હતી.