ભુપેન્દ્રભાઇ પટેલ, જે.પી.નડ્ડા, પાટીલની ઉપસ્થિતિમાં દેશભકિતનો માહોલ: બહુમાળી ભવન ચોકમાં સભા: સ્વતંત્રતા સપ્તાહ ઉજવણીનો પ્રારંભ કરાવતી રાજ્ય સરકાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
રાજકોટમાં આજથી રાજયકક્ષાની સ્વતંત્રતા સપ્તાહની ઉજવણીનો કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રધાનો, ધારાસભ્યો, પક્ષના હોદ્દેદારોની હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે સવારે બહુમાળી ભવન ચોક ખાતે વિશાળ શમીયાણામાં મુખ્યમંત્રી, પ્રમુખ સહિતના મહાનુભાવોએ સંબોધન કરીને તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આજે સવારથી પૂરો રેસકોર્સ રીંગ રોડ, બહુમાળી ભવન ચોક, કસ્તુરબા માર્ગ, જયુબીલી રોડ તિરંગા અને દેશભકિતના રંગે રંગાઇ ગયો હતો. પૂ.મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી આ યાત્રા પસાર થઇ હતી અને વંદે માતરમ, ભારત માતા કી જયના નારા લાગતા માહોલ દેશભકિત સભર બની ગયો હતો. પૂરા રૂટ પર દેશભકિતના ગીતો ગુંજયા હતા.
પૂરા શહેરની શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, ધર્મ સંસ્થાના સદસ્યો, ભાજપ પરિવારના પદાધિકારીઓથી માંડી કાર્યકરો જોડાયા હતા અને મહાનગરમાં તિરંગો માહોલ સર્જયો હતો. આજે સવારે બહુમાળી ભવન ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમા પાસે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન સી.આર.પાટીલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સરદાર પ્રટેલની પ્રતિમા, બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રા શરૂ થઇ હતી અને જયુબીલી રોડ થઇ ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી. યાત્રામાં ઉપસ્થિત વિવિધ એન.જી.ઓ., શાળા-કોલેજો, યુનિવર્સીટીઓ સહિતની સંસ્થાઓના પ્રતિનીધિઓ ઉત્સાહ સાથે સામેલ થયા હતા. આ યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ધારાસભ્યો ઉદય કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો.દર્શિતા શાહ, ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે.ચેરમેન જયમીન ઠાકર, ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, મ્યુનિ. કમિશ્ર્નર દેવાંગ દેસાઇ, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, વા.ચેરમેન પ્રવિણભાઈ નિમાવત, પોલીસ અધિકારીઓ, કોર્પોરેટરો, હોદ્દેદારો, મનપાના અધિકારીઓ, યુનિ., બોર્ડ, સંસ્થા, વિવિધ એસો.ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
- Advertisement -
રાજકોટની તિરંગા યાત્રા સુપરહિટ
ભરત બોઘરા, મુકેશ દોશી અને જયમીન ઠાકરને નેતાઓએ દિલથી અભિનંદન આપ્યા
રાજકોટમાં આજે તારીખ 10 ઓગસ્ટના યોજાયેલી તિરંગા યાત્રા સુપરહિટ રહી હતી અને ધાર્યા કરતા પણ વધુ સંખ્યામાં લોકો જોડાયા હતાં તથા લોકોએ ગજબનાક ઉત્સાહથી યાત્રામાં હોંશે-હોંશે ભાગ લીધો હતો. આ યાત્રા સફળ બનાવવા પાછળ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી તથા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન જયમીન ઠાકરે રાત-દિવસ એક કર્યા હતાં. અગ્નિકાંડ પછી અને રૂપાલા-ક્ષત્રિય વિવાદ બાદ ભાજપની જાણે પનોતી ચાલી રહી હતી. આ તિરંગા યાત્રા થકી શહેર ભાજપમાં નવા પ્રાણ ફુંકાયા છે. આ આયોજનને જોઈને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો પણ ખૂબ પ્રભાવિત થયા હતાં અને તેમણે સૌએ ડૉ. બોઘરા, મુકેશ દોશી અને જયમીન ઠાકરને અંતરમનથી અભિનંદન પાઠવ્યા હતાં.