પ્રભાસ પાટણ શહેરમાં સોમનાથ મંદિરના 47 માં પ્રાણ પ્રતિષ્ઠા દિવસે ભવ્ય પાલખીયાત્રા તિર્થપૂરોહીત બ્રહ્મ સમાજ દ્વારા કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો અને શહેરીજનો જોડાયા હતા પ્રભાસ ક્ષેત્ર હર હર મહાદેવ ના નારાથી ગૂંજી ઊઠ્યૂ હતું.
વેશાખ શૂક્લ પંચમી એ સોમનાથ મહાદેવ ના 74 માં પ્રતિષ્ઠા દિવસે દેવાધીદેવ મહાદેવ નગર ચર્યા એ નીકળ્યા જેમાં તિર્થપૂરોહીત બ્રહ્મ સમાજ દ્વારા બપોર ચાર કલાકે સોમનાથ પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન સોમનાથની પાલખી યાત્રા કાઢી હતી. ભવ્ય પાલખીયાત્રામાંં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો આ યાત્રામાં જોડાયા હતા.