બેંક ગ્રાહકો માટે સરકારનું મોટું એલાન, નવા વર્ષે મળશે ખુશખબર
ખાસ-ખબર સંવાદદાતા
સરકાર અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી બેંક અને અન્ય ફાઈનાન્સિયલ સંસ્થાનોનાં ગ્રાહકો માટે નવી નવી યોજનાઓ બનાવવામાં આવતી હોય છે. સરકર તરફથી ઉઠાવવામાં આવતા આ પગલાઓથી ગ્રાહકોને ઘણો લાભ થાય છે. હવે સરકાર તરફથી હજુ એ પ્લાનિંગ કરવામાં અવી રહ્યું છે, જેથી આવનારા સમયમાં બેંક ગ્રાહકો અને ફાઈનાન્સિયલ સંસ્થાનોનાં ગ્રાહકોને રાહત મળશે. ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે કહ્યું કે અલગ અલગ ફાઈનાન્સિયલ સંસ્થાનો વચ્ચે લેવડદેવડને સરળ બનાવવા આમતે એકસમાન ’ઊંઢઈ’ને લાગૂ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.
- Advertisement -
આ કામ નવા વર્ષમાં પૂરું થવાની આશા છે. સીતારમણે ફિક્કી લીડ્સ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે એક જ કેવાયસીનાં વિભિન્ન ફાઈનાન્સિયલ સંસ્થાનોમાં લેવડદેવડ માટે ઉપયોગ કરવાની વ્યવસ્થા લાગૂ કરવાની દિશામાં સતત પ્રયત્નો ચાલી રહ્યાં છે. તેમણે કહ્યું કે એક કેન્દ્રીય સંગ્રાહક છે એજે કેન્દ્રીય કેવાયસીનું ધ્યાન રાખે છે. હવે અમે આ દિશામાં કામ કરી રહ્યાં છીએ કે ગ્રાહક તરફથી એકવાર કેવાયસી જમા કરવા પર તેનો ઉપયોગ વિભિન્ન સંસ્થાનોમાં લેવડદેવડ માટે કરી શકાય. આ વ્યવસ્થા લાગુ થયા બાદ તમારે દરેક વખત અલગ અલગ સંથાનોમાં લેવડદેવડ માટે કેવાયસી નહીં આપવું પડે. ફાઈનાન્સ મિનિસ્ટરે કહ્યું કે સરકાર અને ફાઈનાન્સિયલ ક્ષેત્ર સાથે જોડાયેલા નિયામક બધાને એક મંચ પર લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેથી વ્યવસાય કરવામાં સરળતા વધારવામાં મદદ મળશે. બેન્કિંગ, વીમા તથા મૂડી બજારોમાં એકસમાન કેવાયસીનાં ઉપયોગ મુદ્દે ગત અઠવાડિયે ફાઈનાન્સ નિયામકો તથા ફાઈનાન્સ મિનિસ્ટરની બેઠકમાં ચર્ચા થઈ હતી.