વિવાદિત કેસમાં ચુકાદો: બિલ્ડરે પણ પારદર્શકતા માટે એજન્સીઓની પહોંચ આપવી પડે
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.18
- Advertisement -
ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે, જો કોઇ ફ્લેટ ધારક બિલ્ડર પાસેથી નવો ફ્લેટ ખરીદે તો પછી તેણે બાનાખતમાં જણાવ્યા મુજબની શરતો અનુસાર કોર્પોરેશનનો ખર્ચ, પાવર અને ગેસ કનેક્શન, સ્ટેમ્પ ડ્યુટી તેમજ લીગલ ખર્ચ સહિતની રકમ બિલ્ડરને ચુકવી આપવી પડે. રકમ મળ્યેથી બિલ્ડર દ્વારા ખરીદનાર ગ્રાહકની તરફેણમાં રજીસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવાનો રહે છે.આમ મિલકતની કિંમત ઉપરાંત એકસ્ટ્રા ખર્ચ હોય તે ચુકવી દેવાનો આદેશ રેરા દ્વારા ગ્રાહકને કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આવા એક્સ્ટ્રા ખર્ચ ખાસ કરીને સરકારી કચેરીઓના ખર્ચ કયા બાબતે લેવામાં આવે છે તેની બિલ્ડરો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવતી નથી અને મનસૂફી મુજબ નાણાં ચાર્જ કરવામાં આવતા હોવાની ફરિયાદો ગ્રાહક આલમ દ્વારા ઉઠાવવામાં આવતી હોય છે.
ત્યારે રેરા દ્વારા આપવામાં આવેલો આ ચુકાદો મહત્વનો માનવામાં આવે છે. નિષ્ણાતોના મત મુજબ આવા એક્સ્ટ્રા ખર્ચ બાબતે પારદર્શકતા અને સરકારી પાવતીઓ હોય તો તે ગ્રાહકોને આપવી જોઇએ અને ગ્રાહકો દ્વારા બિલ્ડરો પર વિશ્વાસ બેસે અને તેઓ સરળતાથી આવા ચાર્જની ચુકવણી કરી શકે.કેસની વિગતો મુજબ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શ્રીપદ હેરિટેજ સ્કીમમાં ગ્રાહક મહેશ લાલભાઇ પટેલે બી-403 નંબરનો ફ્લેટ બુક કરાવ્યો હતો. આ સ્કીમની શરૂઆત 2020માં થઇ હતી અને પૂર્ણ થવાનો સમય 31 ડિસેમ્બર, 2025 હતી. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તા. 23 સપ્ટેમ્બર 2024ના રોજ બીયુ પરમીશન આપી દેવામાં આવી હતી.
પ્રસ્તુત ગ્રાહકની ફ્લેટની કિમત રૂ.5.60 લાખ નક્કી કરવામાં આવી હતી. તેનો એલોટમેન્ટ લેટર આપીને રજીસ્ટર્ડ બાનાખત કરી આપવામાં આવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ અવેજ પૈકીની રૂ.9.39 લાખની રકમ બિલ્ડરને ચુકવી આપવામાં આવી હતી. ફરિયાદી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, બાનાખતના એક વર્ષમાં ફ્લેટનો કબજો આપવામાં આવશે તેવી ખાતરીનું પાલન બિલ્ડર દ્વારા કરવામાં આવ્યું નથી. અવેજની બાકીની રૂ..40 લાખની રકમ તેઓ ચુકવી આપવા તૈયાર છે.
આથી બિલ્ડર દસ્તાવેજ કરી આપે તેવો આદેશ કરવો જોઇએ. એટલું જ નહિ કબજો આપવામાં વિલંબ બદલ વ્યાજ આપવાનો આદેશ કરવો જોઇએ. બીજી બાજુ બિલ્ડર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ગ્રાહક દ્વારા એક્સ્ટ્રા વર્ક, એએમસી/ઔડા ચાર્જ, બાનાખતનો ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી, વકીલનો ખર્ચ, ટોરેન્ટ પાવર, અદાણી ગેસના એક્સટ્રા પૈસા આપવાના બાકી છે. જો ફરિયાદી આ રકમ ચુકવી આપે તો તેઓ દસ્તાવેજ કરવા તૈયાર છે. આથી બિલ્ડર દ્વારા જીએસટીના કુલ રૂ.5600, સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશનના રૂ..15 લાખ, વકીલ ફીના રૂ.5 હજાર, સોસાયટી મેન્ટેનન્સ ડિપોઝીટના રૂ.0255, ટોરેન્ટ પાવરના રૂ. 20 હજાર, અદાણી ગેસની ફી તેમજ એએમસી/ઔડા ચાર્જીસના રૂ..31 લાખ સહિત કુલ રૂ.0.70 લાખ આપવાની માગણી કરાઇ હતી.
- Advertisement -
તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રેરા દ્વારા નોંધવામાં આવ્યું હતું કે, રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરવાનો ખર્ચ ખરીદનારે ભોગવવાનો હોય છે તે માટે સ્ટેમ્પ ડ્યુટી, રજીસ્ટ્રેશન અને વકીલ ફીની રકમ ભોગવવાની રહે. મેન્ટેનન્સ ડીપોઝીટ સોસાયટીમાં જમા કરવવા જવાબદાર છે.
યુનીટ ખરીદનારે એએમસી, ઔડા અને ટોરેન્ટનો ચાર્જ પણ ભરવો પડે. આમ બધો હિસાબ કરતા ફ્લેટ ખરીદનારે રૂ.0.70 લાખ બિલ્ડરને ચુકવવાના રહે અને તે ચુકવી આપ્યેથી બિલ્ડરે 30 દિવસમાં દસ્તાવેજ કરી આપવાનો આદેશ રેરા દ્વારા કરવામાં આવ્યો હતો.