અંદાજે 30 કિલો જેવડો સિમેન્ટનો માંચડો હવામાં લટકી રહ્યો
ત્રણ મહિનામાં જ વિકાસના પોપડા ખર્યા : ‘5 કિલોનું પોપડુ જો કોઈની માથે પડે તો મોત નિશ્ર્ચિત’
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની પ્રજા ઘણાં વર્ષોથી ગોંડલ ચોકડી પર ટ્રાફિક સહન કરી હતી. જેની મુક્તિ સ્વરૂપે ગોંડલ ચોકડી પર ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. રૂ.90 કરોડના ખર્ચે નિમિત આ બ્રિજનું લોકાર્પણ પણ ગુજરાતના ઈખ ભૂપેન્દ્ર પટેલે 3 મહિના પહેલા કર્યું હતું. એ વખતે રાજકોટિયન્સ અને ખાસ કરીને સ્થાનિક પ્રજાએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ રૂ.90 કરોડના ખર્ચે બનેલો બ્રિજ પૂરા 90 દિવસ પણ માંડ ટક્યો હોય ત્યાં આજે તો વિકાસના પોપડા ખરવા લાગ્યા. એ હદે બ્રિજ ખોખલો થઈ ગયો કે હવે સ્થાનિકો બ્રિજ નીચેથી પસાર થવામાં પણ ભય અનુભવે છે. એક સાથનિકે તો કહ્યું કે:’ અહી પસાર થનાર પર 5 કિલોનું પોપડુ જો કોઈની માથે પડે તો તેનું મોત નિશ્ચિત છે’
તાજેતરમાં રાજકોટની ગોંડલ ચોકડીએ રૂ. 90 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કરાયું હતું. જોકે આ બ્રીજ માત્ર 3 મહિનાનાં ટૂંકા ગાળામાં ફરી વિવાદમાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ આ બ્રિજના ઉપરના ભાગે જે સેફટી વોલ બનાવવામાં આવી છે, તેમાં તિરાડ અને મસમોટું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. ગાબડું પડવાને લીધે અંદાજે 30 કિલો જેવડો સિમેન્ટનો માંચડો હવામાં લટકી રહ્યો છે. હવામાં લટકતો આ માંચડો નીચે પડે તો ગંભીર અકસ્માત થાય તેવી પૂરતી શક્યતા હોવા છતાં તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
- Advertisement -
ગાબડાં સામે જ દુકાન ધરાવતા ભરતભાઇ માયાણીએ જણાવ્યું હતું કે, ત્રણેક મહિના અગાઉ બ્રિજનું ઉદ્ઘાટન થયા બાદ આ ગાબડું આમ જ મૂકીને ચાલ્યા ગયા હતા. અત્યારે તેમાંથી 30 ટકા કરતા વધુ ભાગ ખરી ગયો છે. બાકીનો ભાગ જોખમી રીતે લટકી રહ્યો છે. તાજેતરમાં જ એક ભાગ નીચે પડ્યો હતો. જો કે ત્યારે કોઈ હાજર નહીં હોવાથી માત્ર કારના કાચનો કડુસલો બોલી ગયો હતો. બીજી કોઈ મોટી નુકસાની થઈ નથી. ઊંચાઈ વાળો બ્રીજ હોવાથી ગાબડું નીચે પડે તો કોઈને ઇજા થવાની પૂરતી સંભાવના હોય ત્વરિત આ અંગે કામગીરી કરવી જરૂરી છે.
વિપુલભાઈ આહીર નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, આ ગાબડું નીચે પડવાની પૂરતી શક્યતા છે. આ પહેલા પણ તેમાંથી ચાર-પાંચ કિલોનો એક પથ્થર પડ્યો હતો. જોકે એ સમયે ત્યાં કોઈ હાજર નહીં હોવાથી દુર્ઘટના ટળી હતી. જો કોઈ વ્યક્તિ ઉપર આ પથ્થર પડ્યો હોત તો તેનું મૃત્યુ થવાની સંભાવના હતી. ત્યારે ભ્રષ્ટાચારનું રૂપ કહી શકાય. ભલે સરકારે પુલ સારો બનાવ્યો છે. પણ સાથે લોકોની જવાબદારી પણ સરકારે લેવી જોઈએ.