દેશભરના વ્યાવસાયિકોએ ટેક્નોલોજી, ટેલેન્ટ, હેલ્થ અને બિઝનેસ ટ્રાન્સફોર્મેશન સાથે જોડાતા ભવિષ્ય માટે તૈયાર થવા આ સંમેલનમાં ભાગ લીધો
ખાસ-ખબર ન્યૂઝ મહેસાણા
ગણપત યુનિવર્સિટીના આંગણે ‘શિક્ષિત યુવા સે વિકસિત ભારત’ વિષય પર આંતરરાષ્ટ્રીય સીએસઆર અને ફીલાન્થ્રોપી સંમેલનમાં ટેકનોલોજી, ટેલેન્ટ, હેલ્થ અને બિઝનેસ ટ્રાન્સફોર્મેશનને સાથે છેડાતા ભવિષ્ય માટે તૈયાર વિશ્વ 2025 એ બાબતે હાઇબ્રીડ મોડમાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું. સંમેલનનું આયોજન સ્વાયત્ત રીતે ગણપત યુનિવર્સિટીએ કર્યું હતું. આ મૌલિક સંમેલનમાં વિશ્વવ્યાપી વિચારકો, ઉદ્યોગના નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકોને ડિજિટલ યુગમાં દેશના અર્થતંત્રને બુદ્ધિબળે વેગવંતુ બનાવવા CSR અને ફીલાન્થ્રોપીની વિકસતી ભૂમિકા વિશે ચર્ચા કરવા માટે આમંત્રિત કરવામાં આવેલા.
આ પ્રસંગે ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશનના ડાયરેક્ટર IAS ડો. મનીષ બંસલ, અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર IAS વસંત ગઢવી, RAF ગ્લોબલના સંસ્થાપક અને ચેરમેન રીઝવાન આડતિયા, ONGC મહેસાણાના એસેટ મેનેજર સુનિલ કુમાર, ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ-સાહસિકતા વિભાગના એક્ઝિક્યુટિવ સદસ્યા ડો. નીના પાહુજા, NBAના વર્તમાન ચેરમેન અને AICTEના ભૂતપૂર્વ ચેરમેન પ્રો. અનિલ સહસ્રબુદ્ધે, ટેકઇન્વેન્શન-મુંબઈ ના સંસ્થાપક અને ઈઊઘ સૈયદ અહમદ, ડેલ્ટા હેલ્થકેર-વડોદરાના સંસ્થાપક અને CEO જ્વલંત બાટવિયા જેવા ભારતભરના માતબર વિચારકો મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
યુનિવર્સિટી તરફથી માનનીય પ્રમુખ અને દાતા-અધિષ્ઠાતા પદ્મશ્રી ડો. ગણપતભાઈ પટેલ, યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડો. મહેન્દ્ર શર્મા, બોર્ડ ઑફ ગવર્નર્સ અને એકેડેમિક કાઉન્સિલના સભ્યો, ટ્રસ્ટીઓ, પ્રો વાઇસ ચાન્સેલર ડો. આર.કે. પટેલ, પ્રો વાઇસ ચાન્સેલર ડો. સત્યેન પરીખ, પ્રો વાઇસ ચાન્સેલર ડો. સૌરભ દવે, એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર ડો. ગિરીશભાઈ પટેલ, ડેપ્યુટી પ્રોવાઈસ ચાન્સેલરો, વિવિધ ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન, અન્ય મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ પણ થયું હતું.
પ્રથમ ઉદ્બોધનમાં યુનિવર્સિટીના ગ્રુપ પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડો. મહેન્દ્ર શર્માએ યુનિવર્સિટી શિક્ષણ અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો વચ્ચેનું અંતર ટુંકાવવા આવા આંતરરાષ્ટ્રીય સીએસઆર અને ફીલાન્થ્રોપી સંમેલનની સમીક્ષા કરતાં જણાવેલું કે ગણપત યુનિવર્સિટી શિક્ષણ અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો વચ્ચેની ખાઈને પુરવામાં સક્ષમ છે.
- Advertisement -
પ્રાસંગિક પ્રવચનમાં અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઈંઅજ વસંત ગઢવીએ જણાવ્યું હતું કે, અમે ગણપત યુનિવર્સિટી જેવી સંસ્થાઓ પાસેથી ઘણું શીખી રહ્યા છીએ અને ઈજછ તથા ફીલાન્થ્રોપી માટે ગણપત યુનિવર્સિટીથી વિશેષ બીજો કોઈ વિકલ્પ હોઈ ન શકે. પોતાની વાત રજુ કરતાં છઅઋ ગ્લોબલના સંસ્થાપક અને ચેરમેન રીઝવાન આડતિયાએ કહ્યું હતું કે, આપણી પાસે જે કાંઈ છે તેનાથી માનવસમાજની સેવા કરીએ.
પોતાના આગવા વ્યક્તિત્વમાં અને વક્તવ્યમાં ઘગૠઈ મહેસાણાના એસેટ મેનેજર સુનિલ કુમારે ઈજછ ને વસુધૈવકુટુમ્બકમ સાથે સાંકળતા કહ્યું હતું કે, આપણે ભારતવર્ષમાં ન કેવળ મનુષ્યો પરંતુ પ્રત્યેક જીવાત્માને સમાન ગણીએ છીએ અને સહુનું કલ્યાણ ઈચ્છીએ છીએ. તેમણે માનવ કલ્યાણ અર્થે મહર્ષિ દધીચિના બલીદાનની વાત બહુ સૂચક રીતે રજુ કરી હતી. આ પ્રસંગે ડેલ્ટા હેલ્થકેર-વડોદરાના સંસ્થાપક અને ઈઊઘ જ્વલંત બાટવિયાએ જણાવ્યું કે, મને ઈજછ થકી ગણપત યુનિવર્સિટી અને તે થકી સમાજની ચપટી રજ જેટલી મદદ કરવાની તક મળી તેથી ખુશ છું. ટેકઇન્વેન્શન-મુંબઈ ના સંસ્થાપક અને ઈઊઘ સૈયદ અહમદે આવનારા દિવસોમાં ટેકનોલોજીના ઘોડે સવાર થઇ વિશ્વમાં કાઠું કાઢવાની વાત કરી.



