અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગીર ગઢડા તાલુકાના જરગલી ગામના નિલ અરવિંદભાઇ ખૂૂંટનું દુ:ખદ અવસાન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.17
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગીર સોમનાથ જિલ્લાના કુલ-5 પેસેન્જર હતા.જે પૈકી 3(ત્રણ) પેસેન્જર ગીર ગઢડા તાલુકાના હતા. જેઓનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ ત્રણ મૃતકો પૈકી જરગલી ગામના નીલ અરવિંદભાઇ ખુટનું અમદાવાદ ખાતે થયેલાં દુર્ભાગ્યપૂર્ણ પ્લેનક્રેશમાં તેમનું દુ:ખદ અવસાન થયું હતું. વહીવટીતંત્ર દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી સાંત્વના પાઠવવામાં આવી હતી. મૃતકનું બોડી લઈ આવવા તથા સમગ્ર કાર્યવાહી માટે પ્રાંત અધિકારી,ઉનાને નોડલ અને મામલતદાર, ગીર ગઢડાને સહ નોડલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મૃતકના પરિવાર સાથે સંકલનની કામગીરી માટે બે ડોક્ટર તથા એક નાયબ મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મોકલવામાં આવી હતી.
- Advertisement -
આ ટીમ દ્વારા મૃતકના પરિવારજનો સાથે રહીને સંકલન કરવામાં આવ્યું હતું,જેમાં મૃતક નીલ અરવિંદભાઇ ખુટનુ ઉગઅ મેચ થતાં મૃતકના પરિવારને ગઈ કાલ તા.16 ના સાંજે બોડી સુપરત કરવામાં આવી હતી.જે ગઇકાલે રાત્રે તેમના પરિવારજનો સાથે મેડિકલ ઓફિસર, પોલીસ એસ્કોર્ટ સાથે આજ તા.17 ના રોજ સવારના 6-30 કલાકે જરગલી ગામે પહોંચતા આજરોજ નીલ અરવિંદભાઇ ખુટ ના અંતિમ સંસ્કાર કરાયાં હતાં. નીલભાઇની અંતિમ યાત્રામાં જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા , ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, , જીલ્લા ભાજપના પ્રમુખ ડો. સંજયભાઈ પરમાર, તાલુકા ભાજપ, કારોબારી ચેરમેન, જીલ્લા પંચાયત, ગીર સોમનાથ મામલતદાર, ગીર ગઢડા, પોલીસ ઇન્સ્પેકટર,ગીર ગઢડા જોડાયાં હતા અને તેમના પરિવારને મળીને સાંત્વના આપી હતી અને દુ:ખની આ પળોમાં સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિવારને શક્ય તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી.