ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
છેલ્લા ધણા દિવસના ભારે વરસાદ અને તહેવાર દરમિયાન શહેરની સગર્ભાઓ માટે ખિલખિલાટ વાન નો ઉપયોગ સગર્ભાઓ ને લેવા મુકવામાં ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત દર્દી પાસે તેનો ચાર્જ પણ વસુલાત કરવામાં નથી મળતી માહિતી મુજબ ઓગસ્ટ મહિનામાં 10479 માતા-બાળકને ઘરે સુરક્ષીત પહોંચાડવામાં આવ્યા હતા અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે રાજકોટ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો માટે ખિલખિલાટની કામગીરી આશીર્વાદ રૂપ સાબિત થઈ છે
- Advertisement -
વરસતા વરસાદ વચ્ચે ખિલખિલાટ ના પાયલોટ તેમજ ઈનચાર્જ ખડે પગે રહી ને કામગીરી ને સફળ બનાવવી હતી તહેવારોના દિવસોમાં પણ જનાના હોસ્પિટલ તથા પદ્મકુંવરબા હોસ્પિટલના તબીબ સ્ટાફે હાજર રહી પ્રસુતિ કરવામાં સિંહફાળો આપ્યો હતો પડધરી તાલુકાના એક ગામે ખિલખિલાટની ટીમ ભારે વરસાદમાં ફસાઈ હતી છતાં પણ હિંમત નહીં હારી પોતાના જીવન જોખમમાં મૂકી ફરજ પરહાજર રહી માતા-બાળકને ઘરે સુરક્ષીત ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. આમ ખિલખિલાટની ટીમ ખડેપગે રહીને પોતાની ફરજ પૂર્ણ કરી હતી.