સ્નેહમિલન, ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
શ્રી ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટ- પારડી, શાપર વેરાવળ રાજકોટ દ્વારા આયોજિત ઘેડીયા કોળી ભવનના ઉદ્ઘાટન પ્રસંગે સ્નેહમિલન અને ભવ્ય સંતવાણીનું તા. 31 ને બુધવારે સાંજે 4-00 કલાકે રાજકોટ ગોંડલ હાઈવે, પારડી ઓવરબ્રીજ પાસે, બાપા સીતારામ મંદિર પાછળ, પારડી ખાતે દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાંજે 4-00 કલાકે સંતો-મહંતોના સામૈયા, સાંજે 4-30 કલાકે દિપ પ્રાગટ્ય, સાંજે 5-00 કલાકે સમાજ ભવનનું ઉદ્ઘાટન, સાંજે 7-00 કલાકે સ્નેહ ભોજન સમારંભ, રાત્રે 9-00 કલાકે ભવ્ય સંતવાણી. આ સંતવાણીમાં ગુજરાતના ખૂબ જ લોકપ્રિય ભજનીક કલાકાર લલિતાબેન ઘોડાદ્રા, વિજયભાઈ મોકરીયા, સાહિત્યકાર અર્જુનભાઈ જાંબુચા તથા અન્ય નામાંકિત કલાકારો પોતાની કલા રજૂ કરશે.
આ અવસરે સમાજના સંતો-મહંતો, સંસદસભ્યો, ધારાસભ્યો, મંત્રીઓ, જિલ્લા- તાલુકા પંચાયતના સભ્યો, ઉચ્ચ કક્ષાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, સરપંચો, સરકારી કર્મચારીઓ, બિઝનેશમેનો, બિલ્ડરો, શિક્ષણ શાસ્ત્રીઓ, સામાજિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત આગેવાનો, ડોકટરો, વકિલો, રાજકોટ જિલ્લામાં સમગ્ર કોળી સમાજના ચાલતા અલગ અલગ મંડળોના હોદ્દેદારો આ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ ઘેડીયા કોળી સમાજ ભવન નિર્માણ માટે ઘણા સમયથી પારડી શાપર વેરાવળ રાજકોટના કાર્યકરોની કામગીરીથી થઈ રહ્યું છે. આ ભવનના નિર્માણ દાતાઓના તન, મન, ધનના સહકારથી આ ભવનનો પ્રથમ માળ સુધીનું બાંધકામ પૂર્ણ થયું છે. આ ભવન આવનારા દિવસોમાં પાંચ માળનું નિર્માણ થશે. આ ભવનનો મુખ્ય હેતુ બહારગામથી આવતા જ્ઞાતિના દર્દીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓના ઉપયોગ માટે રહેશે. રાજકોટ શહેરમાં ઘેડીયા કોળી સમાજનું ભવન પણ આવેલ છે. શાપર વેરાવળ પારડી અને રાજકોટ ઘેડીયા સમાજના તમામ કાર્યકરો સમાજની એકતા માટે અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ શહેરમાં ભવિષ્યમાં સમસ્ત કોળી સમાજની દીકરીઓ માટે ક્ધયા છાત્રાલય બને તેના માટે સમગ્ર ઘેડીયા કોળી સમાજની મહત્ત્વની ભૂમિકા રહેશે અને ઘેડીયા કોળી સમાજના કાર્યકરોએ ક્ધયા છાત્રાલય માટે જગ્યાની માગણી કરેલ છે. આ સમાજ ભવન કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ કેશુભાઈ ભુવા, ભીમભાઈ ડાકી, લખમણભાઈ બાલસ, મુન્નાભાઈ ગોરડ, શૈલેષભાઈ માલમ, હરસુખભાઈ બાલસ, હરસુખભાઈ માવદીયા, હરસુખભાઈ કેશવાલા, ભુપતભાઈ કરગટીયા, ઘનશ્યામભાઈ ધરસેંડા, દેવરાજભાઈ મોકરીયા, રાજુભાઈ વાઢીયા, કરસનભાઈ જોરા વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
પારડી ખાતે બુધવારે ઘેડીયા કોળી ભવનનું ઉદ્ઘાટન થશે
